SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૯ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ આ જગતમાં ભક્તિ કરનારો વિચારે કે આ મહાત્માએ મારા ઉપર કેટલો બધો ઉપકાર કર્યો છે. આ ચારિત્રધર આત્માઓ ન હોત તો તમે જીવી ન શકત. જીવન જોખમભર્યું હોત. તમારે જીવવા માટે ડોક્ટરની જરૂર પડે, વકીલની જરૂર પડે, તમે આ બુદ્ધિજીવી વિના ન જીવી શકો, તમને તમારા ઉપાડનારની જરૂર પડે, શ્રમજીવીની જરૂર પડે. એમ ચારિત્રધરની જરૂર ખરી ? ચારિત્રધર વિના જીવી શકો એમ છો ? આજે તમારા મા-દીકરી-બેનો રોડ ઉપર સહેલાઈથી ફરી શકે છે તે આ ચારિત્રધરનો પ્રભાવ છે. શાસનનો પ્રભાવ છે. અમેરિકા જાવ ત્યાં બુદ્ધિના વિકાર કેટલા વધ્યા તે જોવા મળશે. અમેરિકામાં એક ભાઈએ ગોળી મારીને એક ભાઈને ઠાર કર્યો, કેમ ? મને એ માણસની ચાલ ન ગમી. આજે તમે અલંકાર પહેરીને આવી શકો છો તે બતાવે છે – કે આ ચારિત્રધરના પ્રભાવથી લોકોની વૃત્તિ અને બુદ્ધિ બગડતી નથી. ચારિત્રધરના આચારના પ્રભાવે એક એવું વાતાવરણ ઊભું થાય છે, કે જે જગતના જીવોમાં સંયમની વૃત્તિ ઊભી કરે છે. જીવો સંયમી બને છે. સંયમમાં સુખ છે. જેટલું સંયમ વધારે તેટલું સુખ વધારે. પાંચમા આરા કરતાં ચોથા આરામાં સારા (સુખી) વધારે. કારણકે લોકો સંયમી, સંતોષી અને પરોપકારી હતા. સારો કોને કહેવાય ? જેને લેવા કરતાં આપવું ગમે તે સારા કહેવાય. જીવનમાં લેવા કરતાં આપવાનું પ્રધાન બનાવો. આપવાનો વખત આવે ત્યારે મન મૂકીને આપવા માંડો તે ઉપકારી છે એમ માનો તો ગૃહસ્થ જીવનમાં તમે આગળ વધી શકશો. ઉપદેશક માટે શ્રોતા ઉપકારી છે. તમે બધા મને સાંભળનારા છો તો તમે મારા ઉપકારી છો. તમે ન હોત તો હું કોને સંભળાવત ? લેનારાના હાથ જ મહાન છે. જેમ લેનારા વિશેષ હોય, જેમ લેનારા અધિક હોય તેમ આપનારો વધારે આપી શકે છે. માટે લેનારનો ઉપકાર માનવો એ ઉચિત છે. શંકા - વ્યવહારમાં તો દ્રવ્યદાનમાં લેનારા વધારે હોય તો આપનાર વધારે આપી શકતો નથી, વળી લેનાર વધે તેમ દાનની રકમ ઘટે છે. સમાધાન-દ્રવ્યદાનમાં તેવું બને છે એ બરાબર છે ભાવદાનમાં તેવું નથી. દ્રવ્યદાનમાં આપનારને ખૂટે છે, લેનાર મેળવે છે જ્યારે ભાવદાનમાં આપનારને ખૂટતું નથી, વધતું જાય છે. અને લેનાર પોતાની યોગ્યતા હોય તો એક સરખું મેળવી શકે છે. - વાગભટ્ટમંત્રીની ઉદારતા - રાજા કુમારપાળ છે. વામ્ભટ્ટ તેમના મંત્રી છે. રાજાએ સૌરાષ્ટ્રમાં કોઈ રાજા સાથે સુલેહ કરવા મોકલ્યો. મંત્રી સુલેહ કરીને આવ્યો. રાજા તેને એક હાથી અને સોનાનો ચરૂ ભેટ આપે છે. રાજદરબારમાંથી બહાર નીકળે છે ત્યારે વાચકોનું ટોળું ઊભું છે. વાચકોને શ્રદ્ધા છે કે મંત્રીશ્વર આપશે જ, તેના જેવો કોઈ ઉદાર નથી. મંત્રી ચારે બાજુ બે હાથે દરેકને આપતો આપતો જ આવે છે. છેલ્લે ઘરે પહોંચતા હાથી પણ આપી દીધો. તેણે એટલું દાન આપ્યું છે કે રાજા કુમારપાળ કરતાં લોકો તેને વધુ યાદ કરે. કોઈ ઈર્ષ્યાળુએ રાજાના કાન ભંભેર્યા કે લોકો આપને ભૂલી જાય તેવું આ મંત્રી કરે છે. કુમારપાળ આ વાતમાં આવી ગયા. એના મગજમાં વાત બેસી ગઈ. બીજે દિવસે સભામાં મંત્રી આવ્યો. કુમારપાળે મોઢું Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy