SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૩ યોગદષ્ટિના અજવાળાં–ભાગ-૨ આખો નાશ પામી ગયો. ઘોર પાપાનુબંધ ઊભો કર્યો, ઘોર પાપાનુબંધ બાંધવા છતાં પુણ્ય ઊભું રહ્યું, જેના પ્રભાવે મમ્મણના ભવમાં અઢળક સંપત્તિ મળી. તેનું કારણ જે પુણ્ય બંધાયું હતું તે નિકાચિત હતું. જો તે પુણ્ય નિકાચિત ન બંધાયું હોત અને તેના બદલે અનિકાચિત બાંધ્યું હોત તો પશ્ચાત્તાપ કાળે પુણ્ય પણ સાફ થઈ જાત, પાપ કર્મ બંધાત. જેથી મમ્મણના ભવમાં જે અઢળક સંપત્તિ મળી તે ન મળત. મહાત્માને ખાવા દીધું નહીં, તેમાં કયું કર્મ બંધાય ? (૧) ભોગાંતરાયકર્મ અને (૨) ઉપભોગાંતરાયકર્મ. બન્ને બાંધ્યા. મરીને મમ્મણ થયો. પહેલા ભવમાં લાડવા ઉપર મૂછ હતી, તે વધીને આ ભવમાં મળેલી તમામ સામગ્રીવસ્તુ ઉપર મૂછ થઈ. કોઈ પણ ચીજની મૂછ થાય તેનું નુકશાન એ છે કે તેનો જીવનમાં સદુપયોગ ન કરી શકે. જીવનભર મૂછ રાખીને મર્યો. ખાઈ ન શક્યો, ભોગવી પણ ના શક્યો. પૂ. હરિભદ્રસૂરિ મ. સા. વિવેકપૂર્વકની ભક્તિ કરવાનું જણાવી રહ્યા છે. મહાત્માઓની ભક્તિ એવી રીતે કરવી જોઈએ કે જેથી તેમના આરોગ્યની વૃદ્ધિ થાય અને જ્ઞાન-ધ્યાનાદિ આરાધનામાં પણ વિશેષ વૃદ્ધિ થાય. ઔષધની જરૂર હોય તો તે આપીને ભક્તિ કરે. અનુપાનની જરૂર હોય તો તે વખતે પણ તમારે (ગૃહસ્થોએ) બહુ ઉપયોગ રાખવો જોઈએ. બરછટ હોય, જાડું હોય, કાચું હોય, ગમે તેવું વહોરવી દ્યો તો મહાત્માને કેટલું નુકશાન થાય ? સાધુના પાત્રમાં આવી ગયા પછી તેને પરઠવવાની બિલકુલ રુચિ-ઇચ્છા ન હોય, સાધુ મહાત્મા તે વાપરી જાય. પછી તેનાથી નુકશાન કેટલું થાય છે? શુભ ભાવનાથી સંસાર સાગર તરવાનો છે. શુભ આલંબનના બળે કુસંસ્કારોને દાબવાના છે. સુકતા એ ભયંકર દોષ છે. નાગશ્રીએ માસક્ષમણના પારણે વહોરવા પધારેલા મહાત્માને કડવી તુંબડીનું શાક વહોરાવી દીધું. આ તેની બુદ્ધિમત્તા નથી. બુદ્ધિમાન તે છે કે જે ચીજમાં નુકશાન દેખાય તે દિવસે તે ચીજ કાચી સેકન્ડમાં છોડી દે. ધન્નાજીએ સુભદ્રાએ હસતાં હસતાં કહ્યું તો ય સંસાર છોડી દીધો. જેમાં દુઃખ દેખાય તેને છોડવા માટે ઊભો રહે ? સાત્વિક વ્યક્તિ છોડવામાં વિચાર ન કરે. છોડવા માટે પૂછવા ઊભો ન રહે તે સાત્વિક છે. ધન્નાને થયું, મારી સ્ત્રી આવી રીતે મશ્કરી કરે? મારા સ્પોટ ઉપર ઘા કરે ? આર્યદેશમાં સંસ્કારી કુલોમાં, ખાનદાન કુલોમાં કુતુહલ, ઠઠ્ઠા - મશ્કરી ન હોય. આ બધું નુકશાનકારક છે. નાગશ્રી જાણે છે કે તુંબડી ઝેરી છે ખાનાર મૃત્યુ પામે છે, છતાં તેને કડવી તુંબડી ખબર પડ્યા પછી પણ ફેંકી દેવાનું મન ન થયું, અને સાધુને વહોરાવી દીધું. આ સ્ત્રી સહજ ક્ષુદ્રતા છે. સ્ત્રી સહજ દોષ છે. બુદ્ધિનો અભાવ છે. તેની બુદ્ધિએ મહાત્માના લાભ-નુકશાનનો વિચાર ન કર્યો, તેમ પોતાના લાભ-નુકશાનનો પણ વિચાર ન કર્યો. મારા આત્માને નુકશાન કરશે એવો વિચાર આવ્યો હોત તો પણ આવું ન કરત. ઘરના કોઈ માણસને ન ખવરાવી અને મહાત્માના પાતરામાં વહોરાવી દીધી અને Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy