SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ અકલ્યાણમિત્રના યોગે મમ્મણ સંસારમાં રહ્યો ૨૪૨ જેની ભક્તિ કરવી છે તેમને શું અનુકૂળ છે, શું પ્રતિકૂળ છે? તે જાણ્યા વગર પાત્રમાં વહોરાવી દેવું તે અવિવેક છે. તેવી ક્રિયા આત્માને વિશેષ લાભ કરતી નથી. યથાશક્તિ એટલે પોતાની શક્તિને છૂપાવે નહીં અને શક્તિનું ઉલ્લંઘન પણ એવું ન કરે કે પરિણામ તૂટી જાય. કારણ કે યોગમાર્ગ ગમ્યો છે. યોગીની સેવા-ભક્તિથી માનસિક અધ્યવસાય નિર્મળ બને છે. અકલ્યાણમિત્રના યોગે મમ્મણ સંસારમાં રહ્યો મખ્ખણના જીવે પૂર્વભવમાં સાધુ મહાત્માની ભક્તિ કરી હતી. જેમાં ઉત્તમ કોટિનાં દ્રવ્યો નાંખેલા હતાં એવો સિંહ કેસરીયો લાડવો મહાત્માને વહોરાવે છે. જ્યારે વહોરાવે છે ત્યારે અતિશય શુભભાવથી, ભાવોલ્લાસથી વહોરાવે છે. પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે. પણ ભવિતવ્યતા જ્યારે બળવાન બને છે ત્યારે તે પોતાનો ભાવ અવશ્ય ભજવે છે. એને પૂર્વભવમાં પાડોશી અકલ્યાણમિત્ર મળ્યો, ખરાબ મળ્યો. પાડોશી પણ સંસ્કારી - ઉદાર હોવા જોઈએ. અવસરે સહાય કરનારા જોઈએ. અવસરે સાચી સલાહ આપનારા જોઈએ. સાચી સલાહ આપવામાં લાભ ઘણો છે. ખોટી સલાહ આપવામાં નુકશાન પણ ઘણું છે. સારા પાડોશના સહવાસમાં રહેવાથી આત્માને અવશ્ય લાભ થાય છે. મમ્મણના પાડોશીને ત્યાં પણ સિંહ કેસરીયો મોદક આવેલો. મમ્મણને કહે કેમ લાડવો ખાધો ? એનો સ્વાદ કેવો હતો? એણે કહ્યું મેં તો સાધુ મહારાજ આવ્યા હતાં તેમના પાત્રમાં વહોરાવી દીધો. અકલ્યાણમિત્રથી આત્માને નુકશાન કેટલું થાય છે ? તે જોવાનું છે. - જ્યારે નાગકેતુના જીવનમાં તેને કલ્યાણમિત્ર મળ્યો છે. તેની અપરમાતા તેને હેરાન - પરેશાન કરે છે, ખાવા નથી આપતી. તે પોતાના મિત્રને વાત કરે છે. તે કલ્યાણ મિત્ર છે. તે અપરમાતાનો વાંક નથી બતાવતો. પણ સાચી સલાહ આપે છે. કે તે પૂર્વ ભવમાં ધર્મ નથી કર્યો, તપ નથી કર્યું તેથી આવું થાય છે. માટે હવે તપ કરજે. એવી સલાહ આપે છે. સાચી સલાહ આપવામાં સામી વ્યક્તિના કષાયો ઉપશાંત થાય છે. ને ખોટી સલાહ આપવાથી કષાયો વૃદ્ધિ પામે છે. પેલો અકલ્યાણમિત્ર મમ્મણને કહે છે. અલા, લાડવો થોડો પણ ન ખાધો !! અડધો વહોરાવવો હતો. જરાય ચાખ્યો નહીં? ડબ્બામાં પડેલા લાડવાના કણિયા મમ્મણને ચખાડે છે. મમ્મણનો પાપોદય જાગ્યો. દુબુદ્ધિ જાગે છે. સાધુની પાછળ દોડયો. મહારાજ ! પેલો લાડવો પાછો આપો. કહો તો એને બદલે બીજા પ-૧૦-૧૫ લાડવા આપું. પણ એ લાડવો તો પાછો જ આપો. લાડવા પાછળ તે આસક્ત બન્યો, વૃદ્ધ બન્યો, એ લાડવો તો મારે જ જોઈએ. લાડવા ઉપર મૂર્ણિત બન્યો. તેના કારણે લાડવો પોતે ન ખાધો અને ન મહાત્માને વાપરવા દીધો. પણ એવું પણ ન વિચાર્યું. કે આ મહાત્મા આ આહારને વાપરીને એનાથી મોક્ષમાર્ગની સાધના કરશે. જ્ઞાનનું દાન કરશે. સન્માર્ગની પુષ્ટિ કરશે. એવું કંઈ જ ન વિચાર્યું. પણ આપ્યા પછીથી મેં ક્યાં આ લાડવો સાધુને આપી દીધો તેનો પશ્ચાત્તાપ થયો. પશ્ચાત્તાપ કરવાથી શું થાય ? મમ્મણે પૂર્વભવમાં મહાત્માને સિંહ કેશરિયો મોદક વહોરાવ્યો તે વખતે ઉત્કટકોટિના શુભભાવથી વહોરાવ્યો છે તેના કારણે નિકાચિત પુણ્ય બાંધ્યું. પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કર્યું. પાછળથી પશ્ચાત્તાપ થતાં, દૂબુદ્ધિ જાગતા પુણ્યનો અનુબંધ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy