SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૧ યોગદષ્ટિનાં અજવાળાં—ભાગ-૨ કારણે પરપર્યાયમાં હું બુદ્ધિ થાય છે. આખરે જેટલા પ૨પર્યાયો છે તેમાંથી હું પણાની બુદ્ધિને કાઢવાની છે. હું સાધુ, હું શ્રાવક, હું શ્રીમંત, હું મોટો, હું જૈન, હું પારસી, હું ખ્રીસ્તી આ બધા અહંકાર છે. પછી તે તામસી પર્યાય હોય કે રાજસી પર્યાય હોય. પણ જે પરપર્યાય છે તેમાં હું બુદ્ધિ ન જોઈએ. આ નૂતન મુનિએ પશ્ચાત્તાપના બળે અહંકારને આખો ખંખેરી નાંખ્યો. પશ્ચાત્તાપ વધતાં એવી પરાકાષ્ઠાએ પહોંચ્યો કે ક્ષપકશ્રેણી માંડી વીતરાગતા પામી કેવળજ્ઞાન આવીને ઊભું રહ્યું. ચોથા ગુણઠાણે માન્યતામાંથી અહંકાર જાય છે, પણ આચરણામાંથી નથી જતો માટે સ્વરૂપસ્થિતિ આવતી નથી. ચોથા ગુણઠાણા પહેલાં તો માન્યતામાં અને આચરણામાં બધામાં અહંકાર હોય છે. આ શિષ્યે વાસ્તવિક ગુરૂકૃપા મેળવી છે. આપણે તો ફોતરા જ ખાંડીએ છીએ. અને ગુરુકૃપા બોલીએ છીએ. સમ્યક્ત્વાદિ ધર્મની પ્રાપ્તિ એ જ સાચી ગુરુકૃપા છે. ગુરુ સ્વયં તત્ત્વસ્વરૂપ છે. અને તત્ત્વ પામવા માટેનું પરમ સાધન છે. ગુરુ જે તત્ત્વ પામ્યા છે તેને આત્મસ્થ કરવું અને આત્માના આનંદને અનુભવવો, તે ગુરુકૃપા છે. જો એ ન પામો તો ગુરુકૃપા ક્યાંથી કહેવાય ? શેલડીને સંચામાં બે-ત્રણ વાર રસ કાઢી નાંખ્યા પછી કોઈને તે ચૂસવા આપો તો તે ભક્તિ કરી કહેવાય કે વિડંબના કરી કહેવાય ? તેમ આપણે જીવનનું બધું સત્ત્વ સંસારમાં નીચોવી નાંખીએ છીએ. અને પાછલી ઉંમરે પરમાત્માની કૃપા ઇચ્છીએ, અને એ ન ઉતરે તો પછી પરમાત્મામાં કાંઈ નથી, એમ દોષારોપણ પણ કરીએ છીએ. આ બતાવે છે કે તારક તત્ત્વની કૃપા શું છે એ આપણે સમજતા નથી. यथा शक्त्युपचार, योगवृद्धिफलप्रदः । યોનિનાં નિયમાટેવ, તનુશ્રીયુત: ॥ ૪રૂ ॥ પ.પૂ. હરિભદ્રસૂરિ મહારાજા આ દૃષ્ટિમાં વિકાસ કરતો આત્મા કેવા ગુણોને પ્રાપ્ત કરે છે તે બતાવી રહ્યા છે પહેલી દૃષ્ટિ કરતાં બીજી દષ્ટિમાં જીવ વિશેષતા પ્રાપ્ત કરે છે. પહેલી દૃષ્ટિમાં અહિંસાદિ યમની ઇચ્છા હોય છે અહીં ઇચ્છાથી આગળ વધે છે. કંઈક પાલન કરે છે. શોચ-સંતોષ આદિ નિયમ હોય છે. પારલૌકિક હિતના કાર્યમાં પ્રવૃત્તિ હોય છે. જે ક્રિયા શરૂ કરી તે પૂરી ન થાય ત્યાં સુધી ચિત્તને તેમાં પકડી રાખવાનો પ્રયત્ન કરે છે તત્ત્વની જિજ્ઞાસા એનો મુખ્ય ગુણ છે. યોગની કથા, યોગની વાતો, યોગનું સ્વરૂપ જાણવા મળે ત્યારે તેમાં તેની ધારા અવિરત ચાલુ રહે છે. યોગીઓ ઉપર અત્યંત આદર-બહુમાન હોય છે. અને શક્તિને અનુસારે મહાત્માની આદર-બહુમાન પૂર્વક ભક્તિ કરે છે. તેમાં પણ વિવેક હોય છે. માટે આ દૃષ્ટિમાં મહાત્માની આહારાદિથી જે ભક્તિ કરે છે. તે “ચોળવૃદ્ધિનપ્રદ્દ:” હોય છે. આહાર, વસ્ત્ર, પાત્ર, ઔષધ, વસતિ-સ્થાન વિગેરે જે પ્રદાન કરે તેનાથી મહાત્માનાં લાભ-નુકશાનનો વિચાર કરીને આપે છે. જેનાથી પંચાચારનું પાલન સુંદર રીતે થાય, જ્ઞાન-ધ્યાન-સ્વાધ્યાયમાં વૃદ્ધિ થાય, આશ્રિતોને જ્ઞાન પ્રદાન કરે, અપ્રમત્ત રીતે પોતાની આરાધનામાં વૃદ્ધિ કરી શકે તેવા આહારાદિથી તેમની ભક્તિ કરે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy