SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમભાવની ઉપાસના ૨૪૦ જીવનમાં કષાયોથી, સંકલ્પ-વિકલ્પથી બચવા વિષમ પ્રસંગોમાં સમાધાનની દષ્ટિ જરૂરી છે. જેની પાસે સમાધાનની કળા નથી તે કષાયોથી બચી શકતો નથી. તેને કષાયો આવવા સહેલા છે. સમાધાન કરતાં આવડવું જોઈએ. આવા સમયે ભવિતવ્યતાનો સ્વીકાર કરીએ તો આપણે આરાધક બની શકીએ. માથું મુંડે છે ત્યારે પણ મનના પરિણામ બગડતા નથી લોચ થઈ રહ્યો છે ત્યારે સમાધાન કરે છે કે આમાં એમનો શું વાંક છે ? મેં કીધા પછી એમણે કર્યું છે ને ! આ ભાવમાં સામો આત્મા નિરપરાધી દેખાય છે. ત્યાં ઉપશમ ભાવ સહેલો બને છે. સામો આત્મા અપરાધી દેખાય ત્યાં કષાય ભાવ સહેલો છે. સાધુ બનાવી દીધો, તો પણ એક પણ વિકલ્પ નથી, પછી ગુરુને નમ્રભાવે કહે છે – સાધુપણું પળાવવું હોય તો આ સ્થાન છોડી દેવું એ વધારે હિતાવહ છે. કારણ કે અહિંયા રહેવામાં આપને ગૃહસ્થો, સગાસંબંધી ઉપદ્રવ કરશે. તે વખતે ચંડરૂદ્રાચાર્ય કહે છે કે આપણે જરૂર નીકળી જઈશું પણ અંધારામાં મને રસ્તો દેખાશે નહિ. તેથી તું રસ્તો જોઈ આવ. તે પ્રમાણે જોઈ આવે છે અને પછી ગુરુને મુશ્કેલી ન પડે માટે પોતાના ખભા ઉપર બેસાડીને નીકળે છે. અંધારામાં રસ્તો બરાબર દેખાય નહીં. પગ આડા-અવળા પડે છે. ઠેસ વાગે છે. ઠેબા આવે છે. સમતુલા જાળવી રાખે છે. પણ ગુરુને ક્રોધ આવે છે. માથા ઉપર દાંડો મારે છે. જરા સંભાળીને સરખો ચાલને ! પછી ધીરે ધીરે સાચવીને ચાલે છે. પોતાની જાતને પાપી જુએ છે. કે એક આરાધક આત્માને મેં મુશ્કેલીમાં મૂકી દીધા. જરા પગ અસ્તવ્યસ્ત પડે એટલે ઉપર દાંડો પડે છે. તે વખતે આ નૂતન દીક્ષિતને દાંડાના મારની પીડા નથી. પણ પોતે ઉત્તમ આત્મા હોવાથી દાંડાની પીડાથી વધારે પોતાની ભૂલની પીડા થાય છે. હું મારા ઉપકારી ગુરુને, સંયમ જીવન આપનાર મારા તારક ગુરુને કેટલી બધી પીડા આપી રહ્યો છું. શાંતિથી પોતાના સ્થાને બેઠેલા ગુરુને મેં તકલીફમાં મૂકયા. સ્વદોષદર્શન અને એમાંથી થતો પશ્ચાત્તાપ એ શ્રેષ્ઠ સાધન છે. હા !, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે” – (કલાપી) પાપોનો પશ્ચાત્તાપ કરીને તેને ધોઈ નાંખવાના છે. પશ્ચાત્તાપ દ્વારા પાવન થવાનું છે. ઉપયોગને ઘરમાં વાળવા માટે, ઉપયોગને આત્મ સ્વરૂપમાં લઈ જવા માટે, ઉપયોગને વિષયોમાંથી પાછો વાળવા માટે આ શ્રેષ્ઠ ઉપાય છે. કષાયોમાંથી વાળીને ઉપયોગને અંદરમાં જોડવાનો છે. મુનિનો પશ્ચાત્તાપ વધ્યો. મેં ગુરુને ત્રાસ આપ્યો, એક સાધક આત્માને પીડા આપી. શાંત-સ્વસ્થ આરાધક આત્માને હેરાન કરી રહ્યો છું. હું દુષ્ટ છું. અધમ છું. પાપી છું. પશ્ચાત્તાપથી ભરેલું હૃદય ક્ષણે ક્ષણે પોતાના દોષ જૂએ છે. અને ક્ષણે ક્ષણે દોષ જોવાથી પ્રતિક્ષણ અહંકાર તૂટે છે. અને એમાંથી જે શુદ્ધિ થાય છે તે ઊંચામાં-ઊંચી કોટિની થાય છે. આખરે તો અહંકારને જ તોડવાનો છે. મોક્ષમાર્ગની સાધના એ અહંકારના નાશની સાધના છે. અહંકારના પ્રભાવે આત્મામાંથી ખસીને ઉપયોગ દેહની સાથે જોડાય છે. અહંકારના Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy