SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ એકલવ્યનો સમર્પણભાવ ૨૩૮ વિગેરેની હિંસા ન કરી શકાય તેનાથી પાપકર્મ બંધાય છે. ગોશાળો કહે સાધુઓ કેવા લબાડ છે ? કેટલા જૂઠા છે? કેટલા માયાવી છે ? પોતે પૃથ્વીકાય ઉપર બેસે છે, સ્વયં પાણી પીએ છે, પોતે બધે હરે ફરે છે અને પાછા કહે છે આમાં પાપ છે, આમાં પાપ છે. કેટલા બધા આ માયાવી છે. જે વસ્તુ પ્રેક્ટીકલ ન હોય તેનો આ લોકો ઉપદેશ આપે છે. મારે નથી સાંભળવું. તે ત્યાંથી ઊભો થઈ ગયો. બીજે ગયો ત્યાં પણ દેશનામાં આ જ વાત આવી. એને ગુસ્સો આવ્યો. પ્રત્યેકબુદ્ધ પાસે ગયો. અહીં પણ એ જ વાત કરતાં હતાં. તેને થયું કે એના કરતાં તો લોકભોગ્ય ધર્મનો ઉપદેશ આપવો જોઈએ. અંદરમાં ઉઠેલા તરંગો, તુક્કાઓ જીવને પાયમાલ કરે છે. આ કાતિલ ઝેર છે. આ સંસ્કારો કેવા ભયંકર છે. લોકભોગ્ય ઉપદેશ આપવાનો હજી વિચાર જ કર્યો છે. ત્યાં વિજળી પડી ને તે મરી ગયો. આશાતનાના આવા સંસ્કારો લઈને ગોશાળા તરીકે જન્મ્યો. ત્યાં ભગવાન મહાવીર મળ્યા તો ખુદ તારક પરમાત્માની પણ આશાતનાથી અટકતો નથી. પરમાત્માની આશાતનાનો પણ ભય નથી. આજીવિક મત ઊભો કર્યો. જગતમાં “જે બનનાર હોય છે તે જ બને છે” “જે કાળે જે બનવાનું હોય તે જ બને છે.” પુરુષાર્થની ભયંકર હાનિ કરનારો આ મત તેણે ઊભો કર્યો. આખરે ગોશાળાના ભવમાં છેલ્લે પરમાત્મા ઉપર તેજોલેશ્યા ફેંકી તે તેના શરીરમાં પેઠી, તેનાથી સાત રાત્રિ વેદના સહન કરી અને અંતે મૃત્યુ સમયે ઘોર પશ્ચાત્તાપ કર્યો. પોતાની ભૂલ પોતાના શિષ્યો આગળ કબુલ કરી. સમકિત પામ્યો, બારમા દેવલોકે ગયો. ત્યાંથી મરીને મનુષ્ય થશે. વિમલવાહન રાજા થશે, ફરવા નીકળશે. મહાત્માને કાઉસ્સગ્ન મુદ્રામાં જોશે અને હાંસી ઉડાવશે, અંદરમાં દ્વેષ ઉત્પન્ન થશે. કોઈ પણ નવી વ્યક્તિને જોઈને રાગ કે દ્વેષ થાય તો તે પૂર્વના સંસ્કારથી થાય છે, મહાત્માને પાડી નાંખશે. ફરી ઊભા થાય તો ફરી પાડી નાંખશે. મહાત્મા ઉપયોગ મૂકશે, ઓ ! આ તો તીર્થકરની આશાતના કરીને આવેલો છે મહાત્મા તેને તેજો લેગ્યા મૂકીને મારી નાંખશે. નરકની મુસાફરી ચાલુ થશે. મોક્ષમાર્ગની સાધના અતિશય કઠીન છે. એકલવ્યનો સમર્પણભાવ એકલવ્ય દ્રોણાચાર્ય પાસે વિદ્યા ભણાવવાની માંગણી કરે છે, દ્રોણ ના પાડે છે. તું ભીલ છે, તું ક્ષત્રિય નથી. હું ભીલને વિદ્યા આપી ન શકું. એકલવ્યનો પાપોદય કે ગુરુને તે પામી શક્યો નથી. પણ એકલવ્યે ગુરુને હૃદયમાં સ્થાન આપી દીધું છે. ગુરુના હૃદયમાં સ્થાન પામવું શ્રેષ્ઠ છે. પણ પાપોદયે એ ન બને તો પણ ડાહ્યો ને શાણો તે છે કે જે પોતાના હૃદયમાંથી ગુરુને દૂર કરી શકતો નથી. તે જંગલમાં ગયો. ગુરુની માટીની પ્રતિમા બનાવે છે. કઈ રીતે બાણ લેવું, કઈ રીતે ચઢાવવું. કઈ રીતે ફેંકવું, કઈ રીતે લક્ષ્ય વીંધવું એ કંઈ જ ખબર નથી. પણ ગુરુની પ્રતિમામાં સાક્ષાત ગુરુ માનીને, કાર્ય કરે છે. એટલું જ નહિ પણ અતિશય નમ્ર બનીને વિદ્યમાન ગુરુની જેમ સાક્ષાત ગુરુ માનીને વારંવાર બધું પૂછી પૂછીને કરે છે. એ રીતે ધનુર્વિદ્યા શીખ્યો. પારંગત બન્યો. સવાઈ અર્જુન બની ગયો. એકવાર જંગલમાં કુતરું ખૂબ ભસે છે. તેના મોઢામાં એક પછી એક બાણ નાંખીને કૂતરાનું મોટું ભરી દીધું, કૂતરાને ભસતું બંધ કરી દીધું. કુતરું મરે નહીં અને ભસે પણ નહીં. આ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy