SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ બહુમાન, આકર્ષણથી જ શુભાનુબંધ પ્રાપ્ત થશે. અને સાથે સાથે અઢાર પાપસ્થાનક પ્રત્યે, વિષયો પ્રત્યે અરુચિ, અનાદર, અબહુમાન, અપ્રીતિ આવશે તો જરૂર શુભ-અનુબંધ થશે. તત્વનો અનુબંધ ગુરુકૃપાથી સાધ્ય છે કારણ કે ગુરુ સ્વયં તત્ત્વ સ્વરૂપ છે. અને તત્વની પ્રાપ્તિનું સાક્ષાત્ કારણ છે. ગુરુ એ જીવંત પરમાત્મા છે. પેલા પરમાત્મા - સ્થાપના નિક્ષેપે મળ્યા છે. જ્યારે ગુરુ સ્વયં જીવંત પરમાત્મા છે. જે ગુરુ પ્રત્યે આદર-ભક્તિ બહુમાન ગુમાવે છે તે આધ્યાત્મિક ક્ષેત્રે ભિખારી – દરિદ્ર બને છે. ગુરુના નાના, નાના દોષો ઉપર દ્વેષ-અરુચિ કરનાર ત્રણે કાળના ગુરુની આશાતના કરે છે. અને પાપો બાંધે છે. એક વ્યક્તિમાં ગુણ પણ હોય અને દોષ પણ હોય તો તે ગુણી કહેવાય કે દોષી કહેવાય ? ગુલાબના છોડ ઉપર કાંટા પણ છે ને ફલ પણ છે. છતાં કાંટાનું ઝાડ કહો છો કે ગુલાબનું? ગુલાબ કરતાં કાંટા ઘણાં હોવા છતાં ગુલાબનું જ ઝાડ કહેવાય છે. કોઈ કાંટાનું ઝાડ કહેતાં નથી. આજ ગુણદષ્ટિ છે. આજ મોક્ષમાર્ગ છે. આના વિના સંસાર સાગર તરાય નહીં. આ બહુ જ ઘુટાંય તો થોડા પ્રયત્ન પણ આગળ વધી શકાય છે. ગોશાળાનો પૂર્વભવ ગુરુના નાના દોષો જોનારો અનંત-અનંત સંસાર રખડે છે. તેમાં ગોશાળો અને કુલવાલકનાં દૃષ્ટાંત છે. ગોશાળાએ એજ ભવમાં આશાતના નથી કરી પણ પૂર્વ જન્મના, ગત જન્મના આશાતનાના સંસ્કાર લઈને આવેલો છે. પૂર્વના ભવમાં તેનું નામ ઈશ્વર હતું. તે વખતે ત્યાં કોઈ તીર્થંકર પરમાત્મા નિર્વાણ પામ્યા છે. દેવતાઓ નિર્વાણ મહોત્સવ કરવા પૃથ્વી પર આવ્યા છે. ત્યાં એક આત્માને જાતિ-સ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવ દેખાયો. તેના કારણે તે પ્રત્યેકબુદ્ધ થયાં અને દીક્ષા લીધી. ગોશાળાનો જીવ ઈશ્વર પૂછે છે. તમારા ગુરુ કોણ છે ? તેઓ કહે છે – પ્રત્યેકબુદ્ધને ગુરુ ન હોય. કુતુહલ- વૃત્તિ, મશ્કરાવૃત્તિ, ઉપહાસવૃત્તિ બહુ ખરાબ છે, ગોશાળાનો જીવ ઈશ્વર નગુરો કહીને એની મશ્કરી કરે છે. બીજાના સ્પોટ પર ઘા કરે તેવો નાનો પણ દોષ ખતરનાક છે. ગુણસેનને ભવોભવ સંસારમાં રખડવું પડ્યું છે. તેમાં અગ્નિશર્માની એક ભવમાં કરેલી મશ્કરી-ઉપહાસ જ કારણ છે. ધર્મરત્નપ્રકરણમાં ધર્મરૂપી રત્નને પામવા માટે અક્ષુદ્રતા ગુણ સૌથી પહેલો બતાવ્યો છે. સ્વાર્થ બુદ્ધિ, સંકુચિત બુદ્ધિ, છીછરા બુદ્ધિ, ઉપહાસ, મશ્કરી, જેવા તેવા શબ્દોથી કોઈને બોલાવવા એ ક્ષુદ્રતા છે. આ દોષ આજે વ્યાપક રૂપે દેખાય છે. આ દોષવાળા ગંભીર ન બની શકે. આ નાનો દોષ પણ મોટો છે. અને જે ગંભીર ન બને તે સંસારના સ્વરૂપનો દૃષ્ટા કેવી રીતે બની શકે ? ગોશાળો નગુરો કહી પ્રત્યેકબુદ્ધની મશ્કરી કરે છે. મહાત્માને એની કંઈ પણ અસર નથી. ગોશાળાનો જીવ ત્યાંથી ફરતો આગળ ગયો ત્યાં એક વાર ગણધર ભગવાન દેશના આપે છે તે સાંભળવા ગયો. એકેન્દ્રિયજીવોની જે હિંસા કરે છે તે પાપ બાંધે છે. પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy