SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ર૩પ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ નિકળી જાય ત્યારે સાધુના દર્શન સાચા થશે. જ્યાં સુધી સંસારની અવસ્થા વાસ્તવિક લાગે છે ત્યાં સુધી સાધુનું સાચું દર્શન ન થાય. બહુમાન એ હૃદયની ચીજ છે, હૃદયના ભાવો છે. આ દૃષ્ટિમાં યોગીઓ પ્રત્યે ફક્ત બહુમાન જ ન હોય. પણ, यथाशक्त्युपचारच, योगवृद्धिफलप्रदः । योगिनां नियमादेव, तदनुग्रहधीयुतः ॥ ४३ ॥ શક્તિને લેશમાત્ર છૂપાવ્યા વિના આહાર - વસ્ત્ર પાત્ર- ઔષધાદિ જે પોતાની પાસે છે તે આપીને, વહોરાવીને ભક્તિ કરે છે. યોગી મહાત્માઓ પ્રત્યે અવિચ્છિન્ન પ્રીતિ હોય અને સાથે સાથે આદર-બહુમાન હોય છે, એટલા માત્રથી પૂર્ણતા નથી. યથાશક્તિ – શક્તિને ગોપવ્યા વિના મહાત્માની ભક્તિ પણ કરવી જોઈએ. કદાચ એમ થાય કે અંતરંગ પ્રીતિ અને બહુમાન હોય તો પછી બાહ્ય ભક્તિની શી જરૂર છે ? અંદરમાં સાચી પ્રીતિ અને બહુમાન જ જીવને બાહ્ય સેવા-ભક્તિમાં પ્રેર્યા વિના રહે જ નહીં. જેમાં પુત્રને માતા-પિતા ઉપર પ્રીતિબહુમાન છે તો તેમની સેવા-ભક્તિ ગમે તે સંજોગોમાં પણ કરશે જ. એક નોકરને જો શેઠ ઉપર બહુમાન છે તો શેઠની સેવા-સરભરા કરે છે, શેઠના દરેક કાર્યને સંભાળી લે છે તો પછી આ તો યોગીઓની પ્રીતિ બહુમાન છે તો તેની સેવા-ભક્તિ કરે જ. અંતરંગ પ્રીતિ અને આદર-બહુમાન જેની પાસે છે તે જીવ ભક્તિ કરવામાં ઝાલ્યો જ ન રહે. શ્રાવક પોતાની શક્તિ અનુસાર મહાત્માની ભક્તિ કરે છે આપણે ત્યાં શ્રાવકનો આચાર છે. ઘરમાં જમવા બેસતાં પહેલાં ઘરવાળાને પૂછે કે સાધુ ભગવંત આવી ગયા? કોઈ અતિથિ આવી ગયા? ન આવ્યા હોય તો શ્રાવક ઘરની બહાર શેરીમાં નીકળે, ચારે બાજુ લાંબી નજર નાંખીને જૂએ. કોઈ સાધુ-મુનિ દેખાય તો તેમને આપીને હું ભોજન કરું, આવી ભાવના તમારી આજે છે ? | નયસાર જંગલમાં લાકડા માટે ગયેલા. ભોજન સમયે અતિથિને ગોતવા નીકળ્યા છે. નયસારને આ ભાવમાં જ અતિથિ - મહાત્મા મળ્યા છે. અતિથિ, હવે તો તિથિ જ ક્યાં રહી છે? હવે તો તારીખ આવી ગઈ છે. અતિથિ એટલે શું? ધર્મી આત્મા તિથિને દિવસે જે ઉપવાસ આદિ તપ કરે છે. તે તિથિના દિવસે ઉપવાસના જે ભાવ છે. તેવા ભાવ અ-તિથિએ પણ જેને હોય છે તે અતિથિ કહેવાય. એટલે ખાવા છતાં નહીં ખાવાના ભાવપૂર્વક ખાય છે માટે અતિથિ કહેવાય છે. સાધુને અતિથિ કહ્યા કારણ કે મહાત્મા ખાવાના વખતે પણ કાયાથી ખાય છે, પણ તેમનું મન તેમાં ભળતું નથી. તેમનું મન તો સ્વરૂપમાં જ રમે છે. માટે ખાવા છતાં ઉપવાસનું ફળ મળે છે. “સાધુ (ખાવા છતાં) સદા ઉપવાસી” આ વાત સાંભળી છે? યોગ અને ઉપયોગની ભિન્નતા એક મહાત્મા વિહાર કરતાં કરતાં પોતાના ગામની નજીકમાં આવ્યા છે. રાજા-રાણી મહેલમાં છે. રાણી રાજાને કહે છે. બાજુના જ ગામમાં દીયર મહારાજ પધાર્યા છે તો હું વંદન કરવા જાઉં, સારી ભક્તિ તેમની કરું. રાણી જાય છે પણ રસ્તામાં નદી આવે છે. નદી બે કાંઠે ભરપૂર છે. કઈ રીતે પાર કરૂં? રાણી પાછી આવી છે. રાજા કહે છે - નદીને જઈને કહે કે હે નદિ ! મારો પતિ બ્રહ્મચારી હોય તો મને રસ્તો આપ. કહેતાંની સાથે જ નદી બે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy