SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ યોગી પ્રત્યે આદર-બહુમાન-ભક્તિથી દેદાશાને સુવર્ણસિદ્ધિની પ્રાપ્તિ ૨૩૪ આત્મા સંબંધી બોધ છે. જગતમાં જેને આત્મા ગમ્યો તેના જેવું બીજું શ્રેષ્ઠ એકે પુણ્ય નથી. અહીં અવિચ્છિન્ન યોગપ્રીતિ હોય છે. જ્યાં યોગનું વર્ણન સાંભળવા મળે ત્યાં સારી રીતે સાંભળે છે. પ્રીતિ-બહુમાનને અનુરૂપ જો તેમાં શક્તિને અનુરૂપ ભક્તિ ન ભળે તો તે પ્રીતિ-બહુમાન સાચા ન બને. સાચા વિનય બહુમાન લુખા રહી શકતા નથી. તે કંઈક ને કંઈક બાહ્ય ભક્તિ કરાવે જ છે. અહીં ભક્તિ એટલે બાહ્ય સેવા છે. પ્રીતિ એટલે હૃદયનો આદર-બહુમાન. કોઈ કહે કે મને બહુ આદર-બહુમાન છે તો જેના પ્રત્યે આદર-બહુમાન છે તેની પાછળ કાયાથી કંઈ કરવા, તેની પાછળ કંઈ છોડવા, તેની પાછળ કંઈ ઘસાવા જો તે તૈયાર નથી તો તે આદર બહુમાન વાસ્તવિક નથી એમ સમજવું. આપણને શુદ્ધ આચારનું પાલન કરનારા, શુદ્ધ યોગને ધારણ કરનારા યોગીને વિષે બહુમાન છે ? શુદ્ધ આચારસંપન્ન યોગીને જોઈને પોતાનું અનાચારમય જીવન ખટકે છે ? આ દૃષ્ટિના જીવને આચારસંપન્ન મહાત્મા પ્રત્યે ભારોભાર બહુમાન હોય છે. સાધુના દર્શનથી આનંદ ન આવે તે આગળ વધી શકતો નથી. પરમાત્માના દર્શન કર્યા પછી શું ભાવ પેદા થાય છે ? એમની સિદ્ધાવસ્થા યાદ આવે છે ? પરમાત્માના દર્શન કરી ફટ ફટ નીકળી જઈએ તે દર્શન બરાબર નથી. પરમાત્માના દર્શન તે છે કે જે આત્માના દર્શન કરાવે. જે અંદરનો દીવો પ્રગટાવે નહીં તો તે દર્શન શું કામનું ? અંતરમાં પ્રકાશ વિના દર્શન ન થાય. મંદિરમાં પણ મંદિર ખોલ્યા પછી પરમાત્માના દર્શન માટે દીવો પ્રગટાવવો પડે છે. દીવો ન પ્રગટાવો તો દર્શન થાય? આપણે પરમાત્માનું દર્શન લખું કરીએ છીએ. ભક્તિ ઘણી કરીએ છીએ. પણ એ ભક્તિમાં પ્રાણ પૂરો. ભક્તિના પ્રાણ આદર અને બહુમાન છે. પ્રાણરૂપ આદર-બહુમાન સાચા હોય તો સાચી ભક્તિ આવ્યા વિના ન રહે. બન્નેમાંથી એકપણ ચીજ ગૌણ કરવા જેવી નથી આ બે દ્વારા સંસાર તર્યાના દૃષ્ટાંત ઢગલાબંધ છે. પરમાત્માના દર્શને શું યાદ આવે છે ? પરમાત્માની મોલ અવસ્થા, સિદ્ધાવસ્થા યાદ આવવી જોઈએ. પોતાની સંસારી અવસ્થા ખટકવી જોઈએ. પ્રસિદ્ધિમાં, જ્યાં જઈને બિરાજ્યા છે ત્યાં અનંત આનંદ-સુખને ભોગવી રહ્યા છે. જ્યારે એનાથી પ્રતિપક્ષી મારી સંસારી અવસ્થા છે. પ્રભુ સ્થિર છે. હું કેવો અસ્થિર છું, કંપનશીલ છું. પ્રભુ શુદ્ધ છે. મારો ઉપયોગ કેવો મલિન છે. પ્રભુ સાદિ-અનંતકાળ સુધી અનંતસુખ-આનંદના ભોકતા છે. મારે આ જન્મ મરણ, એક ભવમાંથી બીજા ભવમાં, એક ગતિમાંથી બીજી ગતિમાં રખડપટ્ટી કરવાની રહી છે. પરમાત્માના દર્શને પોતાની અવસ્થા ઉપર ત્રાસ છૂટે ત્યારે દર્શનમાં એકાગ્રતા આવે છે. આદરબહુમાનવાળું દર્શન થાય છે. આવું દર્શન ક્ષયોપશમ કરાવનારું બને છે. સાધુના દર્શન કરતાં, નિર્મળ પંચાચારનું પાલન, પાંચ સમિતિને ત્રણ ગુપ્તિનું પાલન, ષકાય જીવોનું રક્ષણ, નિર્દોષ ભિક્ષાવૃત્તિ, સ્વાશ્રયીજીવન, નિર્દોષ ચર્યા વગેરે જોયા પછી આદર-બહુમાન થાય છે ? સાધુને જોયા પછી ગૃહસ્થાવાસ એ અઢાર પાપસ્થાનકનો અખાડો લાગવો જોઈએ. ત્રાસ રૂપ લાગવો જોઈએ. જ્યાં સુધી સંસારના સુખ સારા લાગે છે ત્યાં સુધી સાધુનું વાસ્તવિક દર્શન નથી. તમને તમારા સંસારની અવસ્થા વાસ્તવિક લાગે છે, બરાબર લાગે છે ત્યાં સુધી સાધુનું સાચું દર્શન નહીં થાય. ચક્રવર્તીના સુખમાં પણ જ્યારે સુખબુદ્ધિ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy