SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૩ યોગદૃષ્ટિનાં અજવાળાં-ભાગ-૨ - એક દિવસ મન મક્કમ કરી જન્મભૂમિને, ઘરને અને પત્નીને છોડીને પરદેશ જવા નીકળ્યો. આગળ જતાં એક મોટું ઉદ્યાન આવ્યું - તેમાં એક સુંદર પર્ણકુટિરમાં એક મહાયોગીને ધ્યાનસ્થ મુદ્રામાં જોયાં. તેમનાં કાનમાં સ્ફટિકરત્નનાં કુંડળો હતાં, આગળ સોનાનો ચીપીયો હતો. પડખે સુવર્ણનો દંડ પડેલો હતો. આંખો નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિર હતી. અતિશય રૂપસંપન્ન યોગી છે. દેદાને આ યોગીના દર્શન થયાં. અણચિંત્યા આ મહાત્માના દર્શન મને પ્રાપ્ત થયાં. હવે તો આ મહાત્માની સેવા કરું. તેને વિશ્વાસ છે કે આ મહાત્માની સેવા બધું જ આપશે. દુઃખ, દૌર્ભાગ્ય અને દારિદ્રને કાપશે. ખડે પગે મહાત્માની સેવા કરવા લાગી ગયો. રાત અને દિન સેવા કરે છે. એક દિવસ ગયો. યોગીએ આંખ પણ ઊંચી ન કરી. આ તો સેવામાં ભૂખ – તરસ બધું ભૂલી ગયો. બીજો દિવસ ઊગ્યો. એજ રીતે સેવામાં આગળ વધ્યો. નિરાશાની કોઈ જ છાયા નથી. ત્રીજો દિવસ પણ ઉગીને આથમ્યો. લગાતાર એકધારી સેવા કરી રહ્યો છે. નિઃસ્પૃહભાવે ભાવોલ્લાસપૂર્વક મન મૂકીને સેવા ચાલુ છે. ચોથા દિવસનું પ્રભાત થયું, આજે મહાત્માએ આંખ ખોલી. પ્રેમ દૃષ્ટિથી તેની સામે જોયું. અને પૂછ્યું, વત્સ ! તું કોણ છે ? ત્રણ દિવસથી સેવા કરે છે તને ભૂખ-તરસ નથી લાગતી ? મહાત્મા ભૂખ તો ઘણી લાગી છે. પણ આપની સેવા-ભક્તિમાં ભૂખ-તરસ યાદ પણ નથી આવ્યા. તરત જ આકાશ માર્ગે મેવા-મીઠાઈથી ભરપૂર એક ભોજનનો થાળ આવ્યો. યોગીએ કહ્યું દેદા જમી લે. ના, યોગીરાજ ! પહેલાં આ ભોજન ક્યાંથી આવ્યું તે આપ કહો. પછી જમું. . એની ખબર ન પડે ત્યાં સુધી કઈ રીતે જમાય ? “વુમુક્ષિતો િ ન રોતિ પાપ” ભૂખ્યો માણસ જગતમાં કયું પાપ નથી કરતો ? આ વાત અહીં ખોટી પડે છે. નીતિશાસ્ત્રને પણ ધર્મશાસ્ત્ર ઓવરટેક કરી શકે છે. પણ ધર્મશાસ્ત્ર ઉપર નીતિશાસ્ત્ર ઓવરટેક ન કરી શકે. ધર્મશાસ્ત્ર સૌથી ઉપર છે. તેની આચારચુસ્તતા જોઈને યોગીને તેના પ્રત્યે અતિશય બહુમાન થયું. ન સિંહ ગમે તેટલો ભૂખ્યો થાય પણ ઘાસ ન ખાય એ લોકોક્તિને તેણે ચરિતાર્થ કરી. યોગીએ ક્ષણવાર આંખ મીંચી અને કહ્યું સાંભળ ! આજ નગરીમાં નાગદેવ નામનો બ્રાહ્મણ છે. તેણે દેવીનાં પૂજનમાં આ નૈવેદ્યનો થાળ મૂકયો હતો. તે થાળ તારા માટે અહીં લાવ્યો છું. તું ખાઈ લે. દેદાએ ગુરુને પ્રણામ કરીને ભોજન કર્યું. યોગીએ દેદાશાની આપવીતી સાંભળી. યોગીએ દેદાશાની આકૃતિ ઉપરથી જ તેના ગુણો જાણી લીધાં હતાં. જો દેદા ! મારી પાસે સુવર્ણ સિદ્ધિ છે. મારે કોઈ યોગ્યપાત્રને આપવી છે. સિંહણના દૂધ માટે સુવર્ણપાત્ર જ જોઈએ. મારી સુવર્ણ સિદ્ધિ માટે તું સુવર્ણ પાત્ર સમાન છે. સુવર્ણસિદ્ધિનો મંત્ર અને આમ્નાય દેદાશાને આપે છે. પ્રયોગ કરાવડાવે છે. ઘણું લોઢું સુવર્ણ બન્યું. ગુરુ દેવ ! હવે મારા જીવનમાં આનો દુરૂપયોગ કદી નહીં કરું એવી પ્રતિજ્ઞા કરે છે. યોગીની સેવા - કૃપા શું કામ કરે છે? પ.પૂ. હરિભદ્રસૂરિ મ.સા. બીજી દૃષ્ટિને સમજાવી રહ્યા છે. દૃષ્ટિ એટલે આત્માનો શ્રધ્ધાસંપન્નબોધ. જે બોધ પામ્યા પછી, વસ્તુનું સ્વરૂપ સમજ્યા પછીથી અંતઃકરણ ભીંજાય છે. વસ્તુતત્ત્વનો બોધ થયા પછી અંતઃકરણમાં કંઈક આકાર પડે છે. તે દૃષ્ટિ છે. ‘સત્શ્રદ્ધાસંગતો બોધઃ' આવી દૃષ્ટિની કિંમત જેન દર્શનમાં ઘણી છે. બીજી દષ્ટિમાં બોધ ભલે મામુલી છે. પણ તે બોધ આત્માના ઘરનો છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy