SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ યોગી પ્રત્યે આદર-બહુમાન-ભક્તિથી દેદાશાને સુવર્ણસિદ્ધિની પ્રાપ્તિ ૨૩૨ ભંગ એ ધર્મનો ભંગ છે. જેનશાસન વિશુદ્ધ આચાર પર ભાર મૂકે છે. આચારમર્યાદાનું પાલન એ ધર્મનું પાલન છે. જીવ ગુણસ્થાનક ન પામ્યો હોય પણ આચારપાલનનાં બળે ભવિષ્યમાં ગુણસ્થાનક પામી શકે છે. અનાદિકાળથી વિપરીત આચાર સેવીને જ રખડીએ છીએ. એ વિપરીત આચારને ફેરવીને, સમ્યગુ આચાર પાળીને, રાગ-દ્વેષની પરિણતિને તોડીને આત્માને કેળવવાનો છે. કેળવાયેલો આત્મા ઉપર ઉપર ગુણસ્થાનને પામે છે. તારક તત્ત્વના બહુમાનથી, તારક તત્ત્વના આલંબનથી અનેક આત્માઓ મોક્ષે ગયા છે. શીતલાચાર્યના ૪ ભાણીયાનું દષ્ટાંત આવે છે. શીતલાચાર્યે દીક્ષા લીધી છે. તેમની બેનનાં ચાર ભાણીયાઓએ બીજા આચાર્ય મહારાજ પાસે દીક્ષા લીધી. ભણ્યા, ગયા, તૈયાર થયાં. ગુરુ મહારાજને પૂછે છે કે અમારે અમારા મામા-મહારાજની પાસે જવું છે. આપ આજ્ઞા આપો. તેમની સેવા-ભક્તિ, દર્શનવંદનાદિ કરવા દ્વારા જીવન કૃતાર્થ કરવું છે. આપ અનુમતિ આપો. ગુરુએ રજા આપી. વિહાર કર્યો. ઠેઠ પહોંચ્યા. પણ રાત પડી જવાથી બે માઇલ દૂર રહ્યા. હવે સવારે જઈશું. રાત્રે ચારે સાધુ ભાવના ઉપર ચર્ચા છે. સવારે વહેલા ઉઠીશું. અને જઈને વંદન કરીશું. અત્યારે તેઓ સંથારો કરતાં હશે. સ્વાધ્યાય કરતાં હશે. ધ્યાનમાં બેઠા હશે. કેવી કેવી આરાધના કરતાં હશે. અમે આજે તેમની સેવાનો લાભ ન લઈ શકયા. આવી રીતે તેમનાં આચારોનું ચિંતવન કરતાં અસંગ અનુષ્ઠાન પામ્યા. ઉપયોગ શુદ્ધ બન્યો. ક્ષપકશ્રેણી પર ચઢયા. વિતરાગતા પામ્યા કેવળ જ્ઞાન પામ્યા. પર પદાર્થનો સંગ ન કરો. પર પદાર્થની રૂચિ ન કરો. પરપદાર્થની રમણતા ન કરો. તારક તત્ત્વો ને જ ઉપયોગમાં સદ પકડી રાખો, પરમાં રૂચિને તોડો, પરમાં રમવાનું નહીં. “પરથી ખસ, સ્વમાં વસ, એટલું બસ.” જેટલો પર ચીજનો ત્યાગ શક્ય છે તેટલો ત્યાગ કરવાનો છે. અને જે અશક્ય છે તેની સાથે અનિવાર્ય હોય તો રહેવાનું પણ રમવાનું નહીં. સ્વરૂપમાં રમવાનું છે. તારકતત્ત્વોને ઉપયોગમાં રમાડવાના છે. એમ કરતાં કેવળજ્ઞાન પામવાનું છે. શુદ્ધ યોગને ધારણ કરનારા યોગીઓનું આદર-બહુમાન કરવું જોઈએ. યોગીઓના બહુમાનથી દારિદ્ર ફીટી જાય છે. યોગી પ્રત્યે આદર-બહુમાન-ભક્તિથી દેદાશાને સુવર્ણસિદ્ધિની પ્રાપ્તિ દેદાશાનું નામ સાંભળ્યું છે? ઝાંઝણશાના પિતા પેથડશા તેના પિતા દેદાશા નાંદુરી નગરીમાં રહે છે ધર્મિષ્ઠ છે ખૂબ આબરૂદાર, પ્રતિષ્ઠિત, ખાનદાન વ્યક્તિ છે. છતાં પાપના ઉદયે સંપત્તિ ચાલી ગઈ. સુખનો સૂરજ અસ્ત થયો. હવે તો ખાવા-પીવાના પણ ફાંફાં પડ્યા. દેદો વિચારે છે - હવે આ નગરીમાં રહેવાય નહીં. હવે ધંધો-વેપાર કંઈ જ શક્ય નથી. મહેનત-મજૂરી કરીને જીવું તો લોકો ચૂંથી ખાય. અન્યત્ર જતાં રહેવું જોઈએ. ત્યાં મજૂરી કરી, તગારા ઉપાડીને પેટ ભરી શકાય છે. અજવાળા પછીનો અંધકાર વધુ ભયંકર હોય છે. જો સુખ-શાંતિથી જીવવું હોય તો મારે પરદેશ જતાં રહેવું જોઈએ. ત્યાં જઈને ભાગ્યને અજમાવું. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy