SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૧ યોગદષ્ટિનાં અજવાળાં-ભાગ-૨ ઉપર બ્રહ્મચર્યનું તેજ ઝળકી રહ્યું છે. નત દૃષ્ટિ છે, ઇંર્યાસમિતિનું પાલન ચાલમાં શોભી રહ્યું છે. અનેક સાધ્વીગણોથી પરિવરેલા છે. આંખોમાંથી પ્રેમ-કરૂણાની અમૃતધારા વરસી રહી છે. અનેક શ્રાવક ગણ પણ બાજુમાં ઊભા છે તે વખતે શેડુક નામનો એક કુલપુત્ર ત્યાં આવે છે. સામાન્ય માણસ છે, ખેડૂત જેવો છે. તે આર્યા ચંદના મહાસતીને જૂવે છે. જોતાં જ તેના હૈયામાં બહુમાન ઉત્પન્ન થાય છે. અહો ! આ જગતમાં આવું તેજ, આવું રૂપ, આવો સુંદર દેદાર છે. છતાં નતદૃષ્ટિ છે, નિર્વિકારી દૃષ્ટિ, બ્રહ્મચર્યનું તેજ, સોમ્ય મુખાકૃતિ સાથે આવો મહાન ત્યાગ !!! અને આ શ્રેષ્ઠીઓ, શ્રીમંતો આટ-આટલું બહુમાન કરે છે. આના હૃદયમાં તેમના પ્રત્યે બહુમાન વધવા લાગ્યું. તેમાં ચંદનબાળાનો પૂર્વનો ઇતિહાસ તેને સાંભળવા મળે છે. કે રાજકુમારી હતી, નગરી લૂંટાણી, સુભટોના હાથમાં સપડાણી, ચૌટે વેચાણી, ધનાવહ શેઠે ખરીદી, ઘરે મૂળા શેઠાણી, સ્ત્રી સ્વભાવે ઇર્ષ્યા, માથે મુંડન, હાથમાં-પગમાં બેડી, ભોંયરામાં પુરી, અક્રમનો તપ, પ્રભુ મહાવીર વહોરવા પધાર્યા. પારણું થયું. બેડી તૂટી, સાડાબાર ક્રોડ સુવર્ણની વૃષ્ટિ, પુષ્પવૃષ્ટિ, દિવ્ય ધ્વનિનો નાદ, પંચ દિવ્ય પ્રગટ્યા વિગેરે અને પ્રભુ પાસે ચારિત્ર લીધું. આ બધું સાંભળતાં સાંભળતાં શેડુકના હૈયામાં અતિશય બહુમાન વૃદ્ધિ પામતું ગયું. રોમાંચ પુલકિત થયાં કે આ જગતમાં ત્યાગ જ શ્રેષ્ઠ-મહાન છે. ત્યાગમાં દુ:ખ છે જ નહીં. જે ત્યાગનો આનંદ અનુભવે તેને જગતમાં દુઃખ દેખાય જ નહીં. જો ત્યાગ એ વિરાગપૂર્વકનો હોય તો સાચો ત્યાગ છે. વિરાગ વગરનો ત્યાગ એ ત્રાસ છે. આ બહુમાન વધતાં અંદરમાં ક્ષયોપશમ વધતો જાય છે. આ શેડુક કુલપુત્ર આર્યા ચંદના સાધ્વીનું દર્શન કરતાં કેવા ભાવો કરી રહ્યો છે ? આ એને દર્શન કરતાં આવડ્યું કહેવાય. આ ભાવો તેને ઊંચે લઈ જાય છે. બહુમાન વધતાં ઘણા કર્મો ખપી ગયા. ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમ થાય છે. ‘ત્યાગીનું બહુમાન ત્યાગી બનાવે છે' નજીકમાં જ રહેલા કોઈ આચાર્ય મહારાજ પાસે શેડુકે ચારિત્ર લીધું. તારક તત્ત્વોને જોઈને જો બહુમાન ન જાગે તો આપણે કંઈ જ કમાયા નથી. જે લાભ મેળવવો જોઈએ તે મેળવી શકતા નથી. શેડુકે ચારિત્રનો સ્વીકાર કર્યો. જેના ઉપકારથી ચારિત્ર પામ્યો છું જેના પ્રભાવથી ચારિત્ર પામ્યો છું તેને કેમ ભૂલી શકું ? આર્યા ચંદના આમાં ઉપકારી બન્યા છે. પહેલા મેં ગૃહસ્થપણે તેમના દર્શન કર્યા છે. ગુરુદેવ ! હવે ઉપકારીનાં દર્શન મારે કરવા છે. જેમની કૃપાદૃષ્ટિથી, જેમના પ્રભાવે અહીં ચારિત્ર સુધી હું પહોંચ્યો છું. આપ ઉપકારીના દર્શનાર્થે જવાની આજ્ઞા આપો. બે સાધુ સાથે આપે છે. દર્શનાર્થે જાય છે. ચંદનબાળા સાધ્વીને જોતાં જ સહજ ભાવે હાથ જોડાઈ જાય છે. તમે મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. તમારા પ્રભાવે જ હું સંયમ પામ્યો છું. ચંદનાને તો કંઈ જ ખબર નથી. જ્યાં વંદન કરવા જાય છે ત્યારે ચંદના કહે હવે મારે તમને હાથ જોડવાના હોય. ભગવાનનો ધર્મ પુરુષપ્રધાન છે. તમે ચારિત્ર પામ્યા છો. અને જેમની નિશ્રામાં છો તેમની પાસે જ્ઞાનાભ્યાસ કરીને તપ-ત્યાગમાં આગળ વધો. તેમની આજ્ઞાનું પાલન કરજો. અને આત્માનું કલ્યાણ કરો. શેડુક મુનિ તે સ્વીકારે છે. યોગીનું બહુમાન કેવો ઉપકાર કરે છે તે અહીં દેખાય છે. એ યોગીઓ અકલ્કપ્રધાન હોય છે. વિશુદ્ધ આચારમર્યાદાનું ઉત્કૃષ્ટ પાલન જોઈએ. આચાર મર્યાદાનો Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy