SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાગીનું દર્શન કરતાં આવડે તો જીવને ત્યાગી બનાવે ૨૩૦ મીન એ મહાતપ છે. તમને આજના કાળે મોન બહુ કઠીન લાગે છે. વાણીથી ન બોલવું તે તો દ્રવ્ય મૌન છે. અને તે મોન એકેન્દ્રિયમાં પણ છે. પરંતુ આત્માને ખોટા વિકલ્પના રવાડે ન ચઢાવવો, મનને સતત તત્ત્વ-ચિંતનમાં રમતું રાખવું એ ભાવમૌન છે. ચિત્તને શાંત પ્રાંત-ઉપશાંત બનાવવું. ચિત્તને મૈત્યાદિ ભાવનાઓમાં રમતું રાખવું, અને પુદ્ગલમાં રાગાદિ ભાવો ન કરવા તે ભાવમૌન છે, વાસ્તવિક મૌન છે. મુનિ કોને કહેવાય ? એની વ્યાખ્યા જ એ છે કે જે મૌન ધારણ કરે તે મુનિ કહેવાય. એ મૌન કેવું? એ ભાવમૌન છે. એ નિરપેક્ષ મૌન છે. જેમાં પદાર્થ મેળવવા માટેના ચગાદિ ભાવો સતાવતા નથી. જેમાં પદાર્થની કોઈ અપેક્ષા નથી તે મૌન નિરપેક્ષમૌન છે. તત્ત્વની જિજ્ઞાસા જાગે તો કામ થઈ જાય છે. યોગની કથામાં અતિશય પ્રીતિ હોય છે. માવતિસાર - જિનવાણી સાંભળતાં આત્માને રસ આવે, એમાં જેટલો આત્માનો હર્ષ-ઉલ્લાસ - આનંદ વહેવરાવે, હૃદય એકમેક બને. અંદરમાં સંવેગ-નિર્વેદના ફુવારા છૂટે, તો ભવાંતરમાં જિનવાણીનો યોગ મળે. વિશુદ્ધ યોગોની પ્રાપ્તિ થાય. માસક્ષમણ કરે, પણ જિનવાણી ન સાંભળો તો તે તપયોગ પ્રશંસનીય ન બને. ભાવપ્રતિબન્ધસાર' એટલે શું? આત્માની ઉલટ તપાસ કરો છો ? એના ઉપર ચેકીંગ કરે છો ? યોગની વાતોમાં હદયનો પ્રેમ, હૃદયનું મમત્વ છે ને ? એનો તાર તૂટતો નથી ને ? પ્રધાનતયા યોગની વાતોમાં જ એકતાનતા રહે, સંસારની પાપ કથાઓ કરવી ગમે નહિ, નકામી વાતો-ચીતો ન ગમે, નિંદા-કુથલી વિગેરે પણ કરવી ન ગમે. કારણ કે યોગ એજ મારું કર્તવ્ય છે. એ મારી ચીજ છે. એના ઉપર અત્યંત પ્રીતિ હોય. દિલનું મમત્વ થાય. મોક્ષમાર્ગમાં જીવ કોઈ પણ ક્રિયા-અનુષ્ઠાનને પકડે, તો તેમાં અવિચ્છિન્ન - અખંડ પ્રીતિ હોય, એ સાતત્ય જાળવવા અંતરંગ મમત્વ હોવું ખાસ જરૂરી છે. તથા આ બીજી દૃષ્ટિમાં શુદ્ધ યોગવાળા એટલે અકલ્કપ્રધાન=નિર્દોષ, વિશુદ્ધ આચારને પાળનારા એવા યોગિઓને વિષે બહુમાન હોય છે. વિશુદ્ધ આચારને પાલન કરનારા એવા યોગી-મહાત્માઓને જૂએ તો તેઓ પ્રત્યે એટલું બધું બહુમાન-આદર આવે છે, કે તેની સીમા નહીં. જે ચીજ આપણને ગમી જાય, તે ચીજ બીજામાં દેખાય તો શું થાય ? હદયમાં કેવા ભાવો ઉલ્લસિત થાય ? યોગી ઉપરનું આવું બહુમાન યોગ પ્રાપ્ત કરાવવા સમર્થ છે. યોગીનું બહુમાન યોગી બનાવે છે. ત્યાગીનું બહુમાન ત્યાગી બનાવે છે. “જ્ઞાનીના બહુમાનથી રે, જ્ઞાનતણા બહુમાન સલુણા, જેમ જેમ અરિહા સેવીએ રે તેમ તેમ પ્રગટે જ્ઞાન સલુણા” યોગીના બહુમાનથી યોગનું જ બહુમાન છે. સામાન્ય બહુમાન નહીં, વિશિષ્ટ બહુમાન જોઈએ. ત્યાગીનું દર્શન કરતાં આવડે તો જીવને ત્યાગી બનાવે આર્યા-ચંદનબાળા પ્રભુ મહાવીરના પ્રથમ શિષ્યા-સાધ્વી છે. એકવાર ચાતુર્માસ પછી વિહાર કરી રહ્યા છે. શ્રાવિકાઓ વળાવવા માટે આવેલી છે. સુંદર મુખાકૃતિ છે. રાજકુળમાં જન્મેલા છે. દેવાંગનાને ભૂલાવે તેવું રૂપ છે. રોમે રોમમાં ચારિત્ર છે. લલાટ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy