SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૭ યોગદષ્ટિનાં અજવાળાં—ભાગ-૨ જ્ઞાનનો આનંદ ઊભો કરવાનો છે. જ્ઞાનનો આનંદ એવો ઊભો કરવાનો છે, કે જેમાં આખું જગત ભૂલી જઈએ. જેમ દર્શનાવરણીયની કર્મપ્રકૃતિ-નિદ્રાના ઉદયમાં આખું જગત ભૂલી જવાતું હોય છે. તેમ જ્ઞાનના ક્ષયોપશમમાં દેહ, ઇન્દ્રિયાદિને ભૂલી જવાના છે. આત્મા જ્ઞાનદશામાં રહીને દેહ-ઇન્દ્રિયાદિ સંસારને ભૂલી શકે છે. ભૂલ્યા વિના ક્ષપકશ્રેણી માંડી શકાતી નથી. સમ્યક્ત્વ પણ પ્રાપ્ત થતું નથી. તે કહે છે. આ બીજી દૃષ્ટિમાં બીજા પણ ક્યા ક્યા ગુણો પ્રાપ્ત થાય છે भवत्यस्यां तथाऽच्छिन्ना, प्रीतिर्योगकथास्वलम् । શુદ્ધચોળેલુ નિયમાત્, વદુમાનજી યોગિવુ ॥ ૪૨ ॥ અહીં યોગની કથામાં, યોગની વાતો સાંભળવામાં, અવિચ્છિન્ન પ્રીતિ હોય છે. અવિચ્છિન્ન એટલે અખંડ, જેની ધારા તૂટે નહીં તેવી, અતૂટ અવિચ્છિન્ન પ્રીતિ હોય છે. આત્માનું સ્વરૂપ, પરમાત્માનું સ્વરૂપ જાણવા મળે, ત્યારે તેમાં જીવને અતિશય પ્રીતિ આવે છે. આ પણ ગુણ છે. આ યોગની પ્રીતિ ભાવપ્રતિવધસારા હોય છે. એટલે અંતરંગ, હૃદયના મમત્વની પ્રધાનતા વડે, અત્યંત ભાવ મમત્વથી અવિચ્છિન્ન હોય છે. એટલે જ્યાં યોગની વાતો જાણવા મળે, જ્યાં યોગની કથા સાંભળવા મળે, ત્યારે ઉપયોગ સ્ખલના પામે નહીં. કદાચ ક્રિયામાં સ્ખલના આવે એ બની શકે, પણ આ યોગકથામાં ઉપયોગ સ્ખલના પામતો નથી. જ્ઞાન પોતાની ચીજ છે. તત્ત્વની વાત રોજ રોજ સાંભળો તો ય કંટાળો ન આવે. એ ચીજ આપણા ઘરની ચીજ છે. ઘરની ચીજ રોજ સાંભળવામાં, ઘરની ચીજ રોજ વધારવામાં કંટાળો આવે ? તેમ જ્ઞાન આપણા ઘરની ચીજ છે. જ્ઞાન આપણું સ્વરૂપ છે. આત્મા પોતે જ જ્ઞાનમય છે. જેનાથી જ્ઞાન વૃદ્ધિ પામે છે પૂર્ણ બને છે તેવા યોગની વાતો સાંભળવામાં કેવો આનંદ આવે ? એમાં કંટાળો આવે જ નહીં. પૂર્વસેવા-યોગની ભૂમિકા યોગ માર્ગ કોને મળે ? યોગબિન્દુ ગ્રન્થમાં પ.પૂ. હરિભદ્રસૂરી મ. યોગ પ્રાપ્ત કરતાં પહેલાં તેની પૂર્વસેવા બતાવે છે. પૂર્વ ભૂમિકામાં પણ સાધના કરવાની હોય છે. યોગની પહેલાં (૧) દેવપૂજા, ગુરુપૂજા (૨) સદાચાર, (૩) તપ અને (૪) મુક્તિનો અદ્વેષ જોઈએ. આ બધી પૂર્વ સેવા છે. જીવને અચરમાવર્તમાં યોગ ન મળ્યો, કેમ ? પૂર્વસેવા ન હતી માટે. દેવ-ગુરુ પૂજા વિગેરે ન હતું. ચરમાવર્તમાં પૂર્વ સેવા આવે છે, અને તેમાં પણ ચરમાવર્તમાં ભાવમલ ઘટે છે ત્યારે આવે છે. ધર્મ પામવા માટે ગુરુસેવા જોઈએ. માતા-પિતા-વડિલોની સેવા-ભક્તિ જોઈએ. દેવપૂજા જોઈએ. જે કુલમાં જન્મ્યા હોય તે કુળને અનુરૂપ દેવોની પૂજા જીવનમાં જરૂરી છે. જીવનમાં સર્વક્ષેત્રે ન્યાય–નીતિ-સદાચાર પણ હોવા જરૂરી છે. સદાચાર પણ ધર્મ લાવે એવો જરૂરી છે. વિષયોનું આકર્ષણ તૂટે એવા તપ પણ જીવનમાં જરૂરી છે. અને મુક્તિનો, તત્ત્વનો અદ્વેષ પણ યોગ-ધર્મ પામવા જરૂરી છે. આવી પૂર્વ સેવા જ્યારે જીવનમાં પ્રાપ્ત થાય Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy