SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ રાગની ચીકાશ ભયંકર છે ૨૨૬ સંથારાના વિષયમાં જમાલને “કડેમાણે કડે” બેસતું ન હતું પણ “કૃતમેવ કતમુ એ જ બરાબર લાગતું હતું હું કહું છું તે જ વાત સારી છે, સાચી છે. પણ ભગવાને કહી તે વાત ખોટી છે. આ જિનવચનનાં મૂળમાં શંકા છે. આ મૂળમાં શંકા તે સર્વશંકા કહેવાય છે. આ શંકા ખરાબ છે. તે નીચે લઈ જાય છે. જૂઓ!ષ સ્થાન છે. આત્મા છે, (૧) નિત્ય છે, (૨) કર્મનો કર્તા છે, (૩) કર્મનો ભોક્તા છે, (૪) મોક્ષ છે, (૫) મોક્ષનો ઉપાય છે. (૬) આ છ સ્થાનોમાં જીવને શંકા નથી. પણ આત્માની બાબતમાં શંકા થાય કે જીવ તે નિત્યાનિત્ય, પરિણામી કઈ રીતે હોઈ શકે ? આ વાત સમજાતી નથી. વાત બેસતી નથી, આવી શંકા હોઈ શકે. આ દેશ શંકા છે. તેને સમજવા માટે પ્રયત્ન હોવો જોઈએ. જિજ્ઞાસા ગુણને વ્યાપક બનાવો. જિજ્ઞાસાથી આત્મા જ્ઞાની બને છે. જલ્દી મોક્ષે જવા માટે જિજ્ઞાસા બહુ જરૂરી છે. જિજ્ઞાસા આવે એટલે લઘુતા જીવનમાં આવે જ. એટલે એના જાણકારને વારંવાર પૂછવા જાય છે. એથી પોતે અજ્ઞાની છે, એ વાત (અર્થ) ફલિત થાય છે. લઘુતા હોય તો જ પૂછવા જવાય, તેનાથી માન તૂટી જાય, દરેક જીવે પોતાની જાત માટે આ વિચારવા જેવું છે, કે જ્યાં સુધી મને કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી હું અજ્ઞાની છું. કારણ કે મોહ હોતે છતે, ઠેઠ અગિયારમાં ગુણસ્થાનકથી પણ નીચે પડી અનંત સંસાર ભટકી શકાય છે. જીવો અજ્ઞાની ક્યાં સુધી ? ચોદપૂર્વી પણ અજ્ઞાની, શ્રુતકેવલીઓ પણ અજ્ઞાની, યાવત્ અગિયારમાં ગુણસ્થાનક સુધી જીવ અજ્ઞાની છે. માટે જિજ્ઞાસા ગુણ અતિ મહત્ત્વનો છે. જેમ તપ રુચિ, ત્યાગ રુચિ, વૈરાગ્ય રુચિ, સંયમ રુચિ કેળવાય છે. તેમ જિજ્ઞાસા પણ જીવનમાં જોઈએ. જૈન કુળમાં જન્મીને તત્ત્વ સમજવું એ જ વિશેષતા છે. જો આ નથી તો બધું દળી-દળીને કુતરીને ચાટવા જેવું થશે. અંદરમાં વિદ્વાન બનવાની, વક્તા બનવાની, સાક્ષર બનવાની જો ઇચ્છાઓ પડી હશે, તો તે જિજ્ઞાસા મલિન આશયવાળી થવાથી શુદ્ધ જિજ્ઞાસા નહીં બની શકે. આત્મહિત, પરલોકહિતની ઇચ્છાથી તત્ત્વજિજ્ઞાસા હોય તો તે વાસ્તવિક બને છે. જ્યાં અંદરમાં વિષયોનું ખેંચાણ હોય, વિષયોની રુચિ હોય ત્યાં ધર્મ સ્થૂલથી હોય - દેખાવનો હોય છે. ધર્મ કરતાં કરતાં સંજ્ઞાઓ તૂટે છે? રસગારવાદિ તૂટે છે ?વિષયોનું આકર્ષણ ઘટે છે? કષાયો ઘટે છે ? જો આ બધું ઘટે તો આત્મઉત્થાન સહજ બને છે. અનાદિનું વિષયાદિનું આકર્ષણ તૂટે છે, ત્યારે તત્ત્વ જિજ્ઞાસા થાય છે. તેનાથી આદર – બહુમાન પૂર્વક જે જ્ઞાનનો અભ્યાસ થાય, તેમાં જે આનંદ આવે, તેવો આનંદ બીજે નથી. એ જ્ઞાનમાં જે શાંતિ છે તેવી શાંતિ બીજે નથી. અનાદિના આકર્ષણોને તોડવા માટે તત્ત્વજ્ઞાન શ્રેષ્ઠ છે. રાગની ચીકાશ ભયંકર છે આત્મામાં ભયંકર રાગની ચીકાશ પડેલી છે. એ નવા નવા ભયંકર કર્મ બંધાવે છે. એ રાગને તોડીને ચૈતન્યનો વિતરાગી રસ બનાવવાનો છે. ચૈતન્યનો વિતરાગી રસ અંદર ભેળવશો નહીં, ત્યાં સુધી રાગની ચીકાશ તૂટશે નહીં. તેને માટે જ્ઞાનને ઘુંટી-ઘૂંટીને Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy