SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદ્વાદ શું છે ? ૨૨૦ વિશેષ લાભદાયી નથી. કારણ કે શત્રુ બળવાન છે. તેનું બળ પરાકાષ્ઠાનું છે. જીવ શત્રુના પક્ષમાં ઘુસેલો છે. શત્રુને મિત્ર માનીને જીવે છે. જે જીવ શત્રુને મિત્ર માને તે નિર્મળ - સ્વચ્છ હોય તો પણ કેવો કહેવાય? કેમ કે શત્રુના ઘરમાં છે. શત્રુના ટોળામાં ગયેલો સારો માણસ પણ સારો ન કહેવાય. તમારા જ મિત્ર છે, પણ શત્રુના ટોળામાં છે, ભલે ડાહ્યું ડાહ્યું બોલે, પણ શત્રુના ટોળામાં ગયેલો છે, માટે સારો હોવા છતાં સારો ન કહેવાય. નિમિત્ત તે છે કે, જે કાર્યને પરિણામ પામવામાં સહાયક બને. ઉપાદાન તે છે કે જે કાર્ય રૂપે પરિણામ પામે. બન્ને સ્વક્ષેત્રે મહાન છે. ઉપાદાન ગમે તેટલું ઊંચુ હોય તો ય નિમિત્ત વિના પરિણામ પામતું નથી. જીવનમાં નિમિત્તને પકડવાનું છે. ને દૃષ્ટિ ઉપાદાન તરફ વાળવાની છે. જો દષ્ટિ ઉપાદાન તરફ ન વાળે તો અનન્ય ત્યા દૃષ્ટિ સંસાર તરફ ફેંકાય છે. સ્યાદ્વાદ શું છે ? પરમાત્મા પોતે સ્યા નથી પણ અસ્યાદ્ અર્થાતુ પૂર્ણ છે. છતાં પરમાત્માએ સ્યાદ્વાદ બતાવ્યો છે, તે આપણા હિતને માટે છે. સ્યા એટલે કિંચિત્ – કંઈક, કોઈક અપેક્ષાએ સંસારી જીવો પાસે જે કાંઈ પણ છે, તે કંઈક જ છે. કારણ કે પુલને પામીને કોઈ પણ પૂર્ણ બની શકતો નથી, પુદ્ગલ પોતે સ્વયં જ અપૂર્ણ તત્ત્વ છે. તો તેને પામીને તેનાથી પૂર્ણ કેવી રીતે બનાય ? અને જ્યાં સુધી વીતરાગતા અને પૂર્ણતા પ્રાપ્ત ન કરીએ ત્યાં સુધી આધ્યાત્મિક ક્ષેત્રે પણ આપણી પાસે કંઈક જ છે. આમ ભૌતિક અને આધ્યાત્મિક ક્ષેત્રે જીવની પાસે કંઈક જ હોવા છતાં, પોતાની પાસે ઘણું બધું છે, એમ માની જીવ અહંકારી બની, બીજાનો પરાભવ ન કરે, અને સાધનાનો માર્ગ ચૂકી ન જાય તે હેતુથી પ્રભુએ સ્યાદ્વાદ બતાવ્યો છે. મારી પાસે કંઈક જ છે, અર્થાત્ ઘણું બધું મેળવવાનું બાકી છે, આવો ખ્યાલ સતત જીવતો – જાગતો રહે તો જ જીવ અહંકારથી બચી સાધના તરફ વળે. એકાંતે સમ સ્વરૂપ એવા આત્માને પામવા માટે સ્યાદ્વાદ છે. અનેકાન્ત દષ્ટિ દ્વારા પદાર્થ માત્ર અનન્તધર્માત્મક છે, તેનો સ્વીકાર કરી દષ્ટિમાં રહેલ એકાન્ત આગ્રહ-કદાગ્રહનો ત્યાગ કરવાનો છે. અને એના દ્વારા આત્માનું સમસ્વરૂપ પામવાનું છે. દષ્ટિમાંથી જ્યારે એકાન્ત-આગ્રહ-કદાગ્રહ નીકળી જાય છે, ત્યારે મનમાંથી સંકલ્પવિકલ્પો ઘટવા માંડે છે. દરેક વસ્તુનું તટસ્થભાવે મુલ્યાંકન કરવાની ક્ષમતા આવે છે. મતિજ્ઞાનના ઉપયોગમાંથી કર્કશતા નીકળી જાય છે. મતિજ્ઞાન મુલાયમ- soft બને છે. તેના કારણે વાણી સ્યા પદથી યુક્ત બને છે. ચા પદ અપેક્ષાને સૂચવે છે, પરસ્પર વિરુદ્ધ એવા અનન્તધર્મોથી યુક્ત પદાર્થ છે, તેમાં કોઈ પણ જાતની અપેક્ષા વિના અર્થાત્ સ્યાદ્ લગાડ્યા વિના માત્ર એક ધર્મનું વિધાન કરી ઇતરનો નિષેધ કરવો તે અનુચિત છે. માટે જ્યાં સુધી કેવળજ્ઞાનથી સર્જાશે પદાર્થનું Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy