SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૯ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ કરાય? જોઉં તો ખરો ! જૂએ છે. ગુરુ કહે રાજકુમાર ! ઊભા રહેજો, ઊભા રહેજો, ભલા, તમારી પાસે તો રક્ષણ માટે ઢાલ હતી. મારી પાસે કંઈ નથી અને તમે યુવાન છો. હું વૃદ્ધ છું માટે ઊભા રહેજો. ઓહોહો ! ગુરુદેવ ! આપ મારા મનની વાત પણ જાણી ગયા !! ગુરુ કહે છે – સંસારના પદાર્થોનું સ્વરૂપ જોતાં જોતાં, અનિત્યાદિ ભાવના ભાવતાં ભાવતાં મારા ચિત્તમાંથી વિકારો એટલા બધા નીકળી ગયા છે, કે મારું મન નિર્મળ-સ્વચ્છ બની ગયું છે. ચિત્તમાંથી વિકારો નીકળી જવાથી, દર્પણ કરતાં વધુ ઉજ્જવલ મન બન્યું છે તેથી તેમાં બધા પ્રતિબિંબો પડે છે. મતિજ્ઞાનમાંથી જ્યારે ઇચ્છાઓ, લાલસાઓ, વાસનાઓ, ઇર્ષ્યા, અસૂયા વિગેરે નીકળી જાય છે ત્યારે દર્પણ કરતાં પણ મન અધિક સ્વચ્છ બની જાય છે. ત્યારે જગતના જીવો જે વિચારે છે તેનો ખ્યાલ આવે છે. કેવળજ્ઞાનમાં તો બધા જ પ્રતિબિંબો પડે પણ આ જગતમાં મતિજ્ઞાનની નિર્મળતા પણ પ્રાપ્ત થાય છે ત્યારે તેમાં ઘણું બધું જણાવા માંડે છે. પરમાત્મા, મનના પડદાની પાછળ જ રહેલા છે. વચ્ચે પડદો છે. મનમાં મલિનતા છે, તે મલિનતા નીકળી જાય, મન સ્વચ્છ બને એટલે પરમાત્મા પ્રતિબિંબિત થઈ જાય છે મનને પેલે પાર રહેલા પરમાત્મા સહેલાઈથી મળી જાય છે. મનમાંથી મલિનતા જાય છે એટલે અંતઃકરણ સ્વચ્છ બને છે. કુમાર, તમારું શિક્ષણ આજથી પૂરું થાય છે. અંત:કરણની નિર્મળતા એ જ સાધનાનો પાયો અંત:કરણને નિર્મળ બનાવો, એ નિર્મળતામાંથી મનની સ્થિરતા મળે છે. સ્થિરતા પામેલું મન ધ્યાન ને પામે છે. એકાગ્રતા એ ધ્યાન છે. attention એ ધ્યાન છે, મન એકાગ્ર તો બન્યું પણ મન મલિન છે તો દુર્થાન છે, આર્તધ્યાનાદિ છે. મન એકાગ્ર બન્યું અને મન નિર્મળ છે તો ધર્મધ્યાન બને છે. નિર્મળતા અતિ આવશ્યક છે. સ્થિરતા પહેલા નિર્મળતા જોઈએ. નિર્મળતા વગરની સ્થિરતા એ આત્માને નુકશાનકારક છે. જગત એના સ્વરૂપે છે. એ જ્યાં છે, ત્યાં જ રહે તે વધારે સારું છે. આપણે એને મનમાં ઘાલીને મનનો સંસાર ઊભો કર્યો છે. વિનાશી જગત છે. જ્યાં છે ત્યાં તેને રહેવા દો. તમે જ્યાં છો ત્યાં રહો. તમે તમારા ઉપયોગને ત્યાં લઈ જાઓ છો અને વિનાશી જગતને ખેંચી-ખેંચીને અંદરમાં ઠાલવો છો એ જ અભ્યતર સંસાર છે. જેને અંદરમાં સંસાર ઠાલવ્યો, તેનું મન મલિન બની ગયું તે કદી પરમાત્માને પામી શકતો નથી. મનને જ સ્વચ્છ બનાવવાનું છે. ધર્મ કરવો એટલે શું ? અંત:કરણને સ્વચ્છ કરવું તે ધર્મ છે. મલિન મનને નિર્મળ બનાવવું તે ધર્મની શરૂઆત છે. ચરમાવર્તિમાં જ અંતઃકરણની નિર્મળતા આવે છે. અચરમાવર્તમાં નિર્મળતા આવતી નથી. ચરમાવમાં પણ ભાવમલનો હ્રાસ થાય પછી આવે છે. ભાવમલના હ્રાસ પછી પણ બળવાન નિમિત્ત સામગ્રી મળવાથી મનની નિર્મળતા આવે છે. બળવાન નિમિત્ત સામગ્રી મળ્યા પછી પણ જીવના પુરુષાર્થથી આવે છે. તે પહેલાં નિર્મળતા આવે તોય કિંમત નથી. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy