SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ જિજ્ઞાસા કોના જેવી હોવી જોઈએ? ૨૧૬ ગયા. રાજા થાક્યો. મંત્રીને પૂછે છે, કે રાજકુમારને સાચા ધર્મના રહસ્યો કોણ શીખવાડશે ? મંત્રી કહે રાજન! તમે જાતે ચકાસણી કરો. જેને કોઈ પદાર્થની સ્પૃહા ન હોય તેવો નગરની બહાર સુકેતુ નામનો ભિક્ષુક છે. ગામ બહાર ઝુંપડીમાં જ રહે છે. અને એ બધા ભાવોથી પરાભુખ છે. સંભવ છે કે તે રાજકુમારને ધર્મના રહસ્યો સમજાવી શકશે. ભિક્ષુકને બોલાવવા માટે અમાત્યને મોકલ્યો. “રાજાજીને કામ છે. પધારો, આપને રાજા બોલાવે છે,” તે બધા પ્રલોભનોથી દૂર હોવાના કારણે ભિક્ષુકે ના કહી દીધી - “હું નહીં આવું,” અતિ નિસ્પૃહ હોવાના કારણે કુમારને ભણવું હોય તો કુમાર અહીં આવે, મારે કામ નથી. હું નહીં આવું. રાજા પાસે જઈને વાત કરી, રાજા સમજી ગયા કે દીકરાને ભણાવવો છે, તો આપણે જવું પડે. જે ચીજની જરૂર હોય તે ચીજ મેળવવા આત્માએ કેટલા લઘુ બનવું પડે છે ! “ધર્મ જ્યાંથી મળે ત્યાંથી મેળવવો છે.” એ છે જિજ્ઞાસા. - રાજા અને મંત્રી, રાજકુમારને લઈ ઝૂંપડીએ પહોંચે છે. તે વખતે પેલો તો બગીચામાં ઘાસ કાપી રહ્યો છે. રાજાને જુએ છે, છતાં આવે છે તો આવવા દે છે. બોલાવતો નથી. ઘાસ કાપ્યું. પછી ગાયને ચારવા નાંખે છે. વિગેરે પોતાનું કાર્ય કરે છે. રાજાને થાય છે કે આવો અભિમાની શું ભણાવશે ? ગાયનું બધું કામ પતાવીને પછી ભિક્ષુક આવ્યો, સ્વાગત કર્યું, ઔચિત્ય કર્યું, તાજું દૂધ પાયું. બોલો, શું પ્રયોજન છે ? કેમ આવ્યા છો ? રાજા કહે મારા દીકરાને ધર્મના રહસ્યો સમજાવો. રાજા સંન્યાસીને પૂછે છે કે આ જગતમાં પરમાત્માની કૃપાથી જ બધું થાય છે. વૃક્ષનું એક પાંદડું પણ હલે છે, તે પણ પરમાત્માની કૃપાથી જ થાય છે, તો પછી જીવને પાપકર્મનો ભોગવટો કેમ કરવો પડે છે ? સંન્યાસીએ હાથમાં ઢેકું લઈને જોરથી રાજાની સામે ફેંકયું, એ રાજાના કપાળમાં જોરથી વાગ્યું. રાજા કહે છે આ સંન્યાસીને પકડો, પકડો જેલમાં પુરી દો. કેમ રાજનું !! આ ઢેલું પરમાત્માની ઇચ્છાથી વાગ્યું છે કે મેં માર્યું છે? જો પરમાત્માની ઇચ્છાથી વાગ્યું હોય તો મને કેમ પકડો છો ? મારનાર તરીકે તમે મને જુઓ છો, માટે તમને ક્રોધ આવ્યો છે. અહીં પણ પરમાત્માની ઇચ્છા માની હોત તો સમભાવમાં રહ્યા હોત ! તમે સમભાવમાં રહ્યા હોત તો મને પકડ્યો ન હોત ! રાજા ક્ષમા માંગે છે. ત્યારે ભિક્ષુક કહે છે, જુઓ રાજનું! મને સજા ન થઈ, કારણ કે મારા અંતરમાં મારવાનો કોઈ ભાવ ન હતો. . (૧) ભિક્ષુક રાજાને કહે છે કે ધર્મની જિજ્ઞાસા રાજકુમારને હશે, પણ તમે મારી પાસે એને ભણાવી નહીં શકો. કારણ કે ધર્મનું શિક્ષણ લેતા જોખમ પણ વેઠવું પડે. કદાચ જાન પર પણ જોખમ આવે. તે વખતે મારો વાંક નહીં કાઢવાનો, છે કબૂલ? તે વખતે મને સજા નહીં કરોને ? સહી કરી આપો. રાજકુમાર પણ સ્વીકારવા તૈયાર છે. રાજકુમારને ધર્મના રહસ્યો કોઈ પણ ભોગે જાણવાની ઉત્કટ જિજ્ઞાસા છે તેથી સ્વીકારે છે. (૨) કુમારને ભણવા માટે અહીં એકલાને જ રહેવું પડશે. અને કેટલું રહેવું પડશે તે નક્કી નહીં કહેવાય, કેટલા મહિના કે કેટલા વર્ષો નીકળી જાય તે કહેવાય નહીં, કદાચ યૌવન પણ નીકળી જાય, લગ્નની વેળા પણ નીકળી જાય, છે કબૂલ? હા, આ પણ કબૂલ છે. તમે બધા આજે અહીંયા મહારાજ સાહેબ છે, ને વ્યાખ્યાન સાંભળો છો. પણ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy