SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૭ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ મહારાજ જાય એટલે જ્યાં મહારાજ હોય ત્યાં સાંભળવા જાવ ખરા? કે રફુચક્કર થઈ જાવ? ધર્મની જિજ્ઞાસા, ઉત્કંઠા હોય તો ધર્મ મળે ત્યાં જાય એને જિજ્ઞાસા કહેવાય. રાજકુમારને ધર્મની ઉત્કંઠા જાગી છે. એટલે આ કંડીશન પણ કબૂલ કરે છે. (૩) ગમે તેવા સંજોગોમાં હોય પણ અર્ધા શિક્ષણ ભાગી શકાશે નહીં. (૪) કદાચ કુમારનું ખૂન પણ કરી નાંખુ તમે લેખિત સહી કરી આપો કે તે વખતે તમે મને કંઈ પણ કરી ન શકો. છે કબૂલ? આટલી શરતો કબૂલ હોય તો ભણાવું. એની મહેનતમાં મારે એક પણ પૈસો ન જોઈએ. કારણ કે જ્ઞાનદાનમાં કય-વિક્રય કંઈ હોય જ નહીં. કુમારને શિક્ષણ આપવા બદલ બીજું કંઈ પણ નથી જોઈતું. ફકત આટલી શરત જ છે. રાજા બધી શરત સ્વીકારી સંમત થાય છે. કુમાર તો અધિક સંમત છે જ, કેમકે એને જોઈએ છે તેવું ધર્મ શિક્ષણ આપે તેવા ગુરુ મળી ગયા. આજે સંસારમાં પૈસા મેળવવા માટે, પદાર્થો મેળવવા માટે, સુખો ભોગવવા માટે જેટલી ઇચ્છા છે, એના માટે જે ભોગ આપો છો. જે પુરુષાર્થ કરો છો, તેનાથી કંઈ ગુણો પુરુષાર્થ ધર્મ માટે કરશો, આત્મા માટે કરશો તો સંસાર સાગર તરી શકાશે. છે આવી જિજ્ઞાસા? ધર્મ માટે જોરદાર પુરુષાર્થ છે? ધર્મમાં કેટલો પ્રમાદ છે ! જ્યાં પ્રમાદ ત્યાં ધર્મ નહીં. ખરેખર ધર્મ પામવો હોય તો પ્રમાદને દેશવટો આપવો પડશે. પ્રમાદ ધર્મને ભગાડી મૂકે છે. અંદરમાં ધર્મ પરિણામ પામે છે ત્યારે આત્મા કેવો નિ:સ્પૃહ બને છે તે સંન્યાસીમાં જોવા મળે છે. અને ધર્મ પામવાની જ્યારે ભૂખ લાગે છે, ભૂખ જાગે છે, ત્યારે ધર્મ પામવાની જિજ્ઞાસા, તાલાવેલી કેવી હોય છે, તે રાજકુમારમાં જોવા મળે છે. જિજ્ઞાસા અદ્વિતીય ગુણ છે. જિજ્ઞાસા વિના ધર્મ પરિણામ પામતો નથી. પ્રશન - પણ સાહેબ ! જે ખૂનની શરત મૂકી તે વાત બેસતી નથી. અહીં સામી વ્યક્તિની ચકાસણી કરવા માટે ખૂનનું કહે છે. અને ધર્મ પામવાની કેટલી ભૂખ છે તેની ચકાસણી કરવા ખૂનની વાત કરે છે. અને રાજકુમાર ભૂલે તો જાન પણ જોખમાય તેમ છે. તે આગળ વાત સાંભળશો ત્યારે સમજાઈ જશે. રાજા દીકરાને સંન્યાસીની પાસે મૂકીને જાય છે. સંન્યાસી તેને લોઢાની ઢાલ હાથમાં આપે છે. જુઓ, કુમાર ! આના દ્વારા તમારે તમારું રક્ષણ કરવાનું છે. અને જુઓ ! મારા હાથમાં આ લાકડાની તલવાર છે. દિવસમાં જ્યારે ને ત્યારે, ગમે તેટલી વાર આ તલવાર વીંઝીશ, તમારે ઢાલથી તમારું રક્ષણ કરવાનું છે. હું તો હરતો જઈશ, ફરતો જઈશ, અને તલવારનો વાર કરતો જઈશ. તમારે સજાગ બનીને ઢાલથી તમારું રક્ષણ કરવાનું છે. ત્રણ મહિના આ શિક્ષણ લેવાનું છે. આખો દિવસ સંન્યાસી તલવાર ચલાવે છે. ત્રણ દિવસમાં તો માર ખાઈને કુમાર તો અધમઓ થઈ ગયો. કુમાર અડધા શિક્ષણે ભાગી શકશે નહીં એ પણ એક શરત છે. જોકે કુમારનું મન જરાપણ ભાંગી પડયું નથી. દશ-પંદર દિવસમાં કન્ડીશન Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy