SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૫ • યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ તત્વની જિજ્ઞાસા માટે તત્ત્વનો અદ્વેષ જરૂરી તત્વનો અદ્વેષ આવ્યા પછી જ સાચી તત્ત્વ જિજ્ઞાસા આવી શકે છે. જીવ તત્ત્વ ન સમજે, તત્ત્વની તાલાવેલી ન લાગે, તો સંસારસાગર તરી ન શકાય. અત્યાર સુધી તત્ત્વ ન સમજ્યો, આત્મસ્વરૂપ ન સમજ્યો, તો હું સંસારમાં રખડયો છું. સંસાર આખો માયાજાળ છે. અતત્ત્વ સ્વરૂપ છે. અને સમ્યગુ તત્ત્વોને આ માનવ જીવનમાં જ જાણી શકાય છે. સમજી શકાય છે. પ્રાપ્ત કરી શકાય છે. હવે મારે તત્ત્વ સમજવું છે. એવી તત્ત્વની જિજ્ઞાસા થાય, ત્યારથી કર્મની નિર્જરા શરૂ થઈ જાય છે. તેના જાણકાર પાસે જાય એટલે અસંખ્યગુણ નિર્જરા થાય છે. તેમની પાસે તત્ત્વનું શ્રવણ કરે એટલે તેનાથી અસંખ્યગુણ નિર્જરા થાય છે. જ્યારે ઉત્કટ જિજ્ઞાસા જાગે છે ત્યારે તત્ત્વ જાણકારી વિના મારો બધો કાળ અજ્ઞાનમાં ફોગટ ગયો. એવું દુઃખ થાય છે. અજ્ઞાનનો અંધકાર ભયંકર છે, તમને દરિદ્રપણું ખટકે છે. પણ અજ્ઞાન ખટકે છે ? એ ખટકતું નથી. દરિદ્રપણું એ પાપનો ઉદય છે અને અજ્ઞાન એ પણ પાપનો ઉદય છે. તેવા પ્રકારના લાભાંતરાય કર્મના ઉદયે તે તે ચીજો ન મળી તે દરિદ્રતા છે. અજ્ઞાન એ પણ ઘાતી કર્મનો ઉદય છે. જે જ્ઞાન ગુણને રોકે છે. ભિન્ન ભિન્ન પ્રકારના અંતરાય કર્મ છે. લાભાંતરાય કર્મ, ઈષ્ટ ચીજને પ્રાપ્ત ન થવા દે, દાનાંતરાયકર્મ ઈષ્ટ ચીજ ને આપવા ન દે. ભોગાંતરાય કર્મ ઈષ્ટ ચીજને ભોગવવા ન દે. આ અંતરાય કર્મનો ઉદય તે ભૌતિક ક્ષેત્રે અંતરાયનો ઉદય છે. આત્મા પાસે અનંતા ગુણો છે, આત્મા પાસે અનંત આનંદ છે, આત્મા પાસે અનંત વીર્ય છે. તે ભોગવી ન શકીએ તે આધ્યાત્મિકક્ષેત્રે અંતરાયનો ઉદય છે. અજ્ઞાન આપણને ખટકે છે ? યોગની જિજ્ઞાસા યોગની રુચિ એ બહુ મોટી ચીજ છે. આ જિજ્ઞાસાને જ્ઞાનીઓએ વખાણી છે. આત્માનું સ્વરૂપ જાણવાની જિજ્ઞાસા, એ ઘણો ચઢીયાતો ગુણ છે. જિજ્ઞાસા એટલે જાણવાની તાલાવેલી. જિજ્ઞાસા કોના જેવી હોવી જોઈએ ? કાશીમાં એક બ્રહદ્રથ નામે રાજા થઈ ગયા. તેને સંતાન નથી. બહુ માનતા-પૂજતાં કરતાં પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. બહોંતેર કળામાં તે પુત્ર નિષ્ણાત બન્યો. પણ રાજા વિચારે છે કે મારો પુત્ર સાચો રાજા ક્યારે બની શકે? કે જો એ બોંતેર કળા ઉપરાંત ધર્મ કળામાં પણ નિષ્ણાત બને તો. ધર્મના રહસ્યો શીખવવા માટે રાજા કોઈ ધર્મગુરુની શોધમાં છે. અને રાજકુમાર પણ ધર્મના રહસ્યો ગમે તે ભોગે જાણવા તૈયાર થયો છે. રાજાએ ઢંઢેરો પીટાવ્યો. - કે રાજકુમારને ધર્મના રહસ્યો જે શીખવાડશે તેને રાજયનો ત્રીજો ભાગ આપીશ. આ સાંભળી અનેક વિદ્વાનો, પંડિતો, આચાર્યો, અને ઉપાધ્યાયો રાજા પાસે આવ્યા - અને કહ્યું અમે રાજકુમારને ધર્મના રહસ્યો શીખવાડીશું. ત્યારે રાજા તે દરેકને એક પ્રશ્ન પૂછે છે કે તમને રાજ્યનો ત્રીજો ભાગ મળશે તેનો શું ઉપયોગ કરશો ? ત્યારે કોઈ કહે વિદ્યાધામ ખોલીશું, તો કોઈ કહે આરોગ્યધામ ખોલીશું, તો કોઈ કહે અન્નક્ષેત્ર ખોલીશું, તો કોઈ કહે દયાના કામ કરીશું. ત્યારે રાજા વિચારે છે કે આ બધા તો પૈસાની વ્યવસ્થા કરનારા છે. એ ધર્મના સાચા રહસ્યો નહીં સમજાવી શકે. આવા તો કેટલાય વિદ્વાનો ને પંડિતો આવ્યા અને Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy