SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાપના નિક્ષેપો પૂજ્ય છે ૨૧૪ તમારી કરંસી નોટો છે, ૧૦૦ રૂપિયાની છે, ૫૦૦ રૂપિયાની છે, એક કાગળના ટૂકડામાં જ રીઝર્વ બેન્કનો સિક્કો છે, એ સોની અને પાંચસોની સ્થાપના છે. તેનું નામ નોટ છે, એને કાગળિયું કેમ નથી કહેતાં ? અને સામાન્ય કાગળને સો અને પાંચસો કેમ નથી કહેતાં ? સિક્કો એ સ્થાપના છે. ઇન્દિરાના વખતમાં હજાર (૧૦૦૦)ની નોટ ચલણમાંથી કેન્સલ થઈ ગઈ, એટલે સ્થાપના નીકળી ગઈ તો કાગળ બની ગયા. ચેક ઉપર તમારી સહી-સિગ્નેચર એ શું છે? તમારી જ સ્થાપના છે. બીજું કંઈ નથી જગતમાં કોઈ દર્શનકારે સ્થાપનાનો અપલાપ કર્યો હોય તેવું દેખ્યું નથી. દેશના કોઈ નેતા ગાંધીજી જેવા, અગર કોઈ મોટા માણસ મૃત્યુ પામે પછી તે માંધાતાઓની મૂર્તિ બનાવે છે, પૂતળું બનાવે છે. તેની સ્થાપના કરાય છે અને તેના માદિ દિવસે ફલહાર વગેરે ચઢાવે છે. તે તેઓના બહુમાન વિના બને ? દયાનંદ સરસ્વતી મૂર્તિને માનતા ન હતાં. મૂર્તિ તેમને યુક્ત નહોતી લાગતી. આત્મારામજી મહારાજ સાથે આ બાબતમાં તેમને ચર્ચા થવાની હતી, ચર્ચા કરવાની હતી કે મૂર્તિ જગતમાં કેટલી શ્રેષ્ઠ છે. પણ તે પહેલાં જ દયાનંદના રસોઈયાએ ઝેર આપી તેમને મારી નાખ્યા. લોકોએ દયાનંદનો મોટો ફોટો બનાવ્યો. તેને કૂતરાની પૂછડી સાથે બાંધ્યો. ઘસડીને ઠેઠ લઈ જાય છે. પાછળ મોટું માણસોનું, છોકરાઓનું સરઘસ છે. એના પર બધાં ઘૂંકે છે. આ જોઈ એના ભક્તો ખૂબ અકળાઈ ગયા. અરે ! આ શું કરો છો ? અમારા ગુરુની આવી આશાતના? અમારા ગુરુનું આ રીતે અપમાન કરો છો ? ભલા, તમે તો સ્થાપના(મૂર્તિ)ને માનતા જ નથી. તેઓ ઉપર દાવો માંડ્યો, કેસ ચાલ્યો, ત્યારે તેઓ કહે છે - અમારે આવું કંઈ કરવું નથી. પણ સ્થાપના તેઓ માનતા નથી, તે સમજાવવા આવું કર્યું છે. તમારા પૂજ્ય પિતાજીનો ફોટો હોય, તમારા પૂજ્ય ગુરુજીનો ફોટો હોય તેના ઉપર કોઈ થુંકે, અપમાન કરે તો તે પિતાજીનું કે ગુરુનું અપમાન લાગે છે ? આજે કેટલાક ભગવાનની મૂર્તિને નથી માનતા. તેઓએ આ વાત વિચારવા જેવી છે. સમજવા જેવી છે. ભગવાનની મૂર્તિ ઉપરની અરુચિ દ્વેષ આશાતના કે અપમાન તે પરમ તારક સાક્ષાત્ પરમાત્માની અરુચિ દ્વેષ, આશાતના અને અપમાન બરાબર છે. એનાથી ભંયકર પાપકર્મ બંધાય છે. ભવાંતરમાં ભગવાનની પ્રાપ્તિ અશક્ય બની જશે. બોધિદુર્લભપણું થઈ જાય. વળી એમના ઘણા બધા વ્યવહારો સ્થાપના ઉપર જ ચાલતા હોય છે. પ્રભુ તેઓને સબુદ્ધિ આપે. અને તેઓ વિચારે. તત્વનો અદ્વેષ આવ્યા વિના તત્ત્વજિજ્ઞાસા આવતી નથી. ક્યાંય પણ, કોઈ પણ ક્ષેત્રે, કોઈ પણ ચીજ-વસ્તુ પ્રત્યે દ્વેષ કરવા જેવો નથી. ષથી હદય કઠોર બને છે. કઠોર હૃદય ધર્મ માટે અયોગ્ય બને છે. પરંતુ જ્યારે મિથ્યાત્વ મંદ પડે છે, ત્યારે જીવનો આત્મા-પરમાત્મા, હિતાહિત વિગેરે તારક તત્ત્વ પ્રત્યેનો દ્વેષ મંદ પડે છે. અને ત્યારે જીવને પહેલી મિત્રાદષ્ટિ (યોગદૃષ્ટિ) પ્રાપ્ત થાય છે. અદ્વેષ ગુણ પ્રાપ્ત થાય છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy