SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ર૧૩ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ પરમાત્મા અને પરમાત્માની પૂજા વગેરેની વાત પણ ન ગમે. મિથ્યાત્વ ગાઢ હોવાના કારણે તત્ત્વની અરુચિ હતી. યોગદષ્ટિમાં તત્ત્વનો અદ્દેષ પેદા થાય છે. કોઈ પણ ચીજનો દ્વેષ ખરાબ છે. તો પછી તત્ત્વનો દ્વેષ તો ખરાબ જ હોય ને ! સ્થાપના નિક્ષેપો પૂજ્ય છે જેમ કે પરમાત્માની મૂર્તિનો ષ એ મૂર્તિનો જ ષ નથી, પણ પરમાત્મા સુધી એ ષ પહોંચે છે. “જિન પડિમા જિન સારિખી” એ મૂર્તિ પણ જિન સમાન છે. સ્થાપના નિક્ષેપને ભાવનિક્ષેપા સાથે સરખાવે છે. ભાવ નિક્ષેપે રહેલા પરમાત્મા, તેનું આબેહૂબ સ્વરૂપ મૂર્તિમાં ઉતારવામાં આવ્યું છે. સિદ્ધાવસ્થામાં આત્મપ્રદેશો પરમ સ્થિરત્વને પામેલા છે, જ્ઞાન પૂર્ણતાને પામ્યું છે, સ્વરૂપ પૂર્ણતાને પામ્યું છે, એજ સ્વરૂપ આપણે મૂર્તિમાં સ્થાપીએ છીએ. મૂર્તિને જોવાથી એજ ભાવો પ્રાપ્ત થાય છે. અસંખ્યપ્રદેશોનું સ્થિરત્વ દેખાય છે.પરમાત્માની મુખાકૃતિમાં નીતરતી વિતરાગતા જ દેખાય છે. જ્યારે જુઓ ત્યારે આંખોમાંથી ઉપશમ રસ જ ઝરતો દેખાય છે. જિનપ્રતિમાના દર્શન કરતાં કરતાં સાધક પોતાના આત્મપ્રદેશોમાં ઉપયોગ સ્થિર કરે છે. પરમાત્માનો જેવો ઉપયોગ છે, તેવો ઉપયોગ બનાવવા ઇચ્છે છે. ક્યાંય પણ દ્વેષ ન હોવો જોઈએ. અત્યંત દોષથી ભરેલા જગતના સામાન્ય માણસ પર પણ દ્વેષ કરવાનો નિષેધ છે. તો પછી પરમાત્માની મૂર્તિ ઉપર દ્વેષ કરાય જ નહીં ને !! મૂર્તિનો ઠેષ પરમાત્મા ઉપર પહોંચે છે. જેને મૂર્તિ ખોટી લાગે છે તેને કાંકરે કાંકરે અનંત સિદ્ધ થયા છે, તે તારક શત્રુંજય તીર્થ ઉપર પણ બહુમાન ન થાય. જેના પર દ્વેષ થાય છે, પછી એના પ્રત્યે એનો વિપરીત પરિણામ=સદ્ભાવ ચાલ્યો જાય છે. દ્વેષ આવવાથી આત્માની ધર્મ પામવાની યોગ્યતા નષ્ટ થઈ જાય છે. મૂર્તિ એ પરમાત્માનો સ્થાપના નિક્ષેપો છે, નિક્ષેપા ચાર છે અને તે ચારે નિક્ષેપા યુતિસિદ્ધ છે. વૈજ્ઞાનિક છે. બુદ્ધિથી સમજાવી શકાય છે. વ્યવહારથી સમજી શકાય છે. તેનો અપલાપ કોઈ કાળે થઈ ન શકે. સ્થાપના નિક્ષેપો ઠેઠ કેવળજ્ઞાન સુધી વ્યાપક છે. મન:પર્યવજ્ઞાની મહાત્મા સાતમા ગુણઠાણે છે, તે સંજ્ઞી પંચેંદ્રિય જીવોએ ગ્રહણ કરેલા મનોવર્ગણાના પુદ્ગલોને જાણી શકે છે.નિયત આકાર પામેલી મનોવર્ગણાને જાણી શકે છે. એ નિયતાકાર પામેલા મનોવર્ગણાના પુદ્ગલો શું છે? તો ભાવોની સ્થાપના છે. સંગીજીવોના ભાવોની જ સ્થાપના છે. કેવળજ્ઞાની ભગવાન કેવળજ્ઞાનમાં જગતના ભાવો જાણે છે.એમાં આખું જગત પ્રતિબિંબિત થાય છે તે શું છે ? સ્થાપના જ છે. આખો જીવન વ્યવહાર સ્થાપના નિક્ષેપા ઉપર ચાલે છે. સ્થાપના નિક્ષેપાનું ઘણું મહત્ત્વ છે. સૌભાગ્યવંતી સ્ત્રી કપાલમાં કંકુનો ચાંદલો કરે છે. તે શું છે ? એના પતિની સ્થાપના જ છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy