SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ ભારે સાડી પહેરેલી છે. બગડેલું પાતરું તે સાડીથી લુછે છે, મહાત્મા કહે છે, બેન ! નહીં, નહીં, આ શું કરો છો? ત્યાગ સહેલો હશે ! પણ ત્યાગનો આદર કઠિન છે. ત્યાગનો ત્યાગ કઠિન છે. અનુપમા કહે છે ભગવન્! આપ શું કામ ચિંતા કરો છો ? રાજા આ બધું જોઈ રહ્યા છે અનુપમાને એની કંઈ ખબર જ નથી. અનુપમા કહે છે કે અમારા પ્રબળ પુણ્યોદયે અમારા સ્વામીની ઉપર રાજાની મહેરબાની છે. કોઈ કમીના અમારે નથી. કોઈ ચિંતા કરવા જેવું નથી. પડદા પાછળ રહેલા રાજા આ સાંભળે છે. ને રાજાનો સંશય ત્યાં જ ટળી જાય છે. જેને મારા ઉપર આટલો આદરભાવ છે. જેને મારી ગેરહાજરીમાં પણ મારા ઉપર આટલો સદ્ભાવ છે. તે મને એ-જુઠું ખાવાનું મોકલે? એ બને જ નહીં. અનુપમાનો વિવેક કેવો છે ? સર્વત્ર એણે વિવેકથી કામ કર્યું છે. અનુપમાની જ્વલંત વિવેકદષ્ટિ દેલવાડાના-આબુના દહેરાસરો થઈ રહ્યા છે. ત્યારે તેજપાળ, અનુપમા સાથે જોવા જાય છે. તે જોતાં જ અનુપમા કહે છે. પ્રાસાદનું કાર્ય આટલું ધીમું ધીમું ચાલે છે? આટલું ઠંડુ કામ ચાલે, અને આ રીતે થાય, તો કામ પુરું ક્યારે થશે ? સ્વામિનું મૃત્યુનો કોઈ ભરોસો નથી. પ્રાસાદનું કાર્ય જલ્દી પુરું ન થાય તે કેમ ચાલે? કારીગરને પૂછો કે આટલું ઘીરું કામ કેમ ચાલે છે ? ત્યારે કારીગરો કહે છે, ઠંડી પુષ્કળ પડે છે. ઠંડીમાં ટાંકણા ઉપડતા નથી. તે વખતે અનુપમાદેવી કેવી સલાહ આપે છે કે જે આજનો પુરુષ પણ વિચારી ન શકે. જેનામાં પરાકાષ્ઠાની ઉદારતા હોય, પરાકાષ્ઠાનો વિવેક હોય તેને શું વિચાર આવે છે - તે જુઓ. સ્વામિનું ! રાત્રિના અને દિવસના કારીગરો જૂદા કરો. કારીગરો વધારો અને તેમને ઠંડી ન લાગે તે માટે તાપણાની સગવડ કરો. જેથી કામ સરળતાથી કરી શકે અને જેટલી કપચીકરચ પડે તેટલું સોનું આપો. આવી સલાહ આપનાર તો હોય, પણ સલાહ લેનાર પણ કેવા હશે ? તમે તમારા જીવનમાં સલાહ આપનાર કોઈ રાખ્યા છે? કોઈની સલાહ તમે લ્યો છો ? આજે તમારા બધાનો અહંકાર સાતમા આસમાને છે. જાતે એક પણ નિર્ણય ન કરાય. જે જીવનમાં કોઈની સલાહ ન લે તે પતનની પાયલોટકાર છે. બીજાની સલાહ લેવાનું મન કેમ થતું નથી ? એ માણસ પતન ન પામે તો શું થાય? સલાહ લીધા વગર એક પણ કામ ન થાય. અહીં અનુપમાની સલાહ લીધી. ઠંડી નીકળી જાય પછી ગરમી કેવી આવે? જેટલી કરી પડે, જેટલો ભુકો પડે, તેટલું સોનું મળે. એટલે અંદરની ગરમી કેવી આવે? અને તાપણાની ફુલ સગવડ કરી એટલે બહારની ગરમી આવી. અનુપમાદેવી આજે કેવળજ્ઞાની થઈને વિચરે છે. વસ્તુપાળના ચાર ભવ છે. વસ્તુપાળના ભવથી ગણતાં ચાર ભવ છે. આ બધી ખબર ક્યાંથી પડી? ખબર કોણ લાવ્યું, કોણે કહ્યું? વસ્તુપાળના ગુરુ વર્ધમાનસૂરિ મહારાજ જબરજસ્ત તપસ્વી છે. શંખેશ્વર તીર્થ તરફ આવી રહ્યા છે. શત્રુંજયનો છ'રીપાલિત સંઘ લઈને જતા રસ્તામાં વઢવાણ પાસે અંકેવાડિયા ગામ આવતા-ત્યાં વસ્તુપાળનો જીવનદીપ બુઝાયો. તે સ્વર્ગવાસ પામ્યાના સમાચાર તેમને મળ્યાં. તે સાંભળીને આચાર્ય મહારાજને ખૂબ આઘાત લાગ્યો. કે શાસનનો પ્રભાવક એક આવા ગયો. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy