SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ અનુમોદનાથી પણ સંસાર સાગર તરી શકાય ૨૧૦ ત્રણે મરીને પાંચમાં દેવલોકે ગયા. અને ત્રણે એકાવતારી બન્યા છે. આવું કરણકરાવણ-અનુમોદનનું સરખું ફળ હોય તો મઝા જ પડી જાય ને ? મહાત્માએ મહિનાના ઉપવાસ કર્યા, નિર્મળ ચારિત્ર પાળ્યું, તપ –ત્યાગની સાધના કરી, તો મહાત્માને શું લાભ થયો? ચારિત્રનું ફલ શું નકામું ગયું? ના, ત્યાં પણ સ્વામી-સેવક ભાવને તેઓ પામ્યા છે. મહાત્મા સ્વામી બને છે. ચારિત્રનું પાલન નકામું નથી. ચારિત્રમાં જેને કષ્ટ દેખાય છે, ચારિત્રમાં જેને મજૂરી દેખાય છે, તેના જેવો પાપનો ઉદય કોઈ નથી. ચારિત્રમાં આનંદ દેખાય છે કે કષ્ટ જ જૂઓ છો ? ત્રણે આત્માઓ શુભભાવમાં રમ્યા છે. શુભભાવ માત્ર શુભભાવ જ નથી. તેનાથી ઘણા સંસ્કારો પડે છે. ત્યાગ કદાચ સહેલો હશે, પણ એના પ્રત્યેનો આદર કઠિન છે. તપની રુચિ, ત્યાગની રુચિ, ચારિત્રની રૂચિ, એનાથી પડેલા સંસ્કારો એ ભવાંતરે આત્માનું રક્ષણ કરે છે. એ સંસ્કારો ભવાંતરમાં આત્માને પડવા દેતા નથી. પતન થતું અટકાવે છે. આત્માનું રક્ષણ થાય છે. અને ઉપરને ઉપર લઈ જાય છે. જો કે નિશ્ચય દષ્ટિ, દ્રવ્ય દષ્ટિ, આત્મદષ્ટિ એ ઊંચી છે. એનાથી સંસાર સાગર તરી શકાય છે. એમાં બે મત નથી. પણ જેની પાસે આ દષ્ટિ નથી. તેવા આત્મા પણ શુભભાવથી તરી શકે છે. એવા અનંતા દૃષ્ટાંત છે. આ શુભભાવ આગળ શુદ્ધભાવ જરૂર આપશે. ' - તારક તત્ત્વો પ્રત્યે આદર-બહુમાન, ગુણાનુરાગ, ત્યાગાદિની અનુમોદના કરવાથી અનંતા આત્મા તર્યા છે. ગૃહસ્થ માટે પરમાત્મભક્તિ અને સાધુની સેવા કરવા માટે પ્રકૃષ્ટ આલંબન છે. એક સુપાત્ર દાન ગમી જાય અને મન મૂકીને ભક્તિ કરતાં આવડી જાય, તો જરૂર કામ થઈ જાય. અનુપમાદેવી છે, એને જાણો છો ને ? એ સામાન્ય સ્ત્રી ન હતી. એનામાં કંઈ બહુ જ્ઞાન હતું નહીં. પણ જે આજે મહાવિદેહમાં શ્રેષ્ઠીપુત્રી તરીકે જન્મી છે. અને દીક્ષા લઈ કેવળી બનીને આજે વિચરી રહ્યા છે એની પાસે દીર્ઘદૃષ્ટિ હતી. જ્વલંત વિવેકદૃષ્ટિ હતી. તેની સલાહ વસ્તુપાળ તેજપાળ લેતાં હતાં. તો વસ્તુપાળ, તેજપાળ પણ બુદ્ધ ન હતા. બુદ્ધ હોય તો રાજા વિરધવળનું મંત્રીપણું કરી શકે? લોહીનું ટીપું પાડ્યા વિના વિરધવળનું રાજ્ય વિસ્તૃત બનાવ્યું છે, સમૃદ્ધ બનાવ્યું છે. એ ઓછી બુદ્ધિમત્તા છે ? વસ્તુપાળ પ્રખર વિદ્વાન, બુદ્ધિમાન હતાં અને તેજપાળ યુદ્ધની વ્યુહરચના કરવામાં કુશળ હતાં. આવા પણ આ બે આત્મા ધર્મકાર્યમાં અનુપમાની સલાહ લેતાં હતાં. એટલે અનુપમામાં બુદ્ધિ વધારે હતી એમ કહેવાય ને? સામાન્ય રીતે સ્ત્રીઓમાં વિશેષ બુદ્ધિ ન હોય. એમાં સ્ત્રીત્વ બાધક છે. અનુપમામાં સંકુચિતતા, ક્યાંય ઔચિત્ય ભંગ, ક્યાંય ક્ષુદ્રતા-તુચ્છતા, ક્યાંય વિવેકનો અભાવ વગેરે જોવા ય ન મળે. તેનામાં સાધુ-સાધ્વીની ભક્તિ કેવી હતી તે ખબર છે ? રાજા વરધવળને કોક પ્રસંગે વસ્તુપાળને ત્યાંથી જમવાનું ભાણું આવતું હતું. પણ કોકે ભરાવ્યું કે વસ્તુપાળ-તેજપાળ તમને વધેલું ઘટેલું મોકલે છે. જોકે આવું બને નહીં. છતાં રાજા તપાસ કરે છે. રાજા કાપેટિકના વેષે આવે છે. પડદા પાછળ રાજા છૂપાય છે. અનુપમા તે વખતે સાધુ મહારાજને વહોરાવી રહી છે. પાતરું બગડે છે, અનુપમા મંત્રી પત્ની છે. બહુ કિંમતિ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy