SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૯ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ દર્શનથી અને દાનથી હું વંચિત રહી જાત. હરણિયાએ મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. નહિતર આ જંગલમાં મને આવો લાભ ક્યાંથી મળત? “ખાયા સો ખો ગયા, દે દીયા સો લે લીયા” આપણે ખાઈએ તે ખોયું કહેવાય. ખાઈએ તેની વિષ્ટા થશે. નીકળી જશે. અને મહાત્માના પાત્રમાં આપેલું અક્ષત બનશે. અમૃત બની જશે. કઠિયારો વૈરાગ્ય નથી પામ્યો પણ માગનુસારીના ગુણો દયા-દાન-દાક્ષિણ્ય-ઉદારતા-ઔચિત્યાદિ છે. હર્ષવિભોર બની વહોરાવે છે. દાન આપતાં પહેલાં અંદરમાં અભિલાષા જોરદાર છે. આપતી વખતે આનંદ, વિર્ષોલ્લાસની વૃદ્ધિ છે અને આપ્યા પછી રોમાંચ છે. હદય પુલકિત બન્યું છે. અનુમોદન છે. મહાત્માનો કેવો તપ છે ? કેવો ત્યાગ છે ? અને કેવું સંયમ છે ? એ પણ ભાવોલ્લાસમાં આગળ વધી રહ્યો છે. આ ભાવોલ્લાસ એ યોગ છે. યોગદ્વારા જ મોક્ષપ્રાપ્તિ છે. પછી ભલે તે પહેલે ગુણઠાણે હોય. મહાત્મા છ-સાતમે ગુણઠાણે છે. છતાં પેલાં બેની અનુમોદના કરે છે. પેલાઓની નિંદા નથી કરતા. આપણે ઊંચે હોઈએ તો તે નીચે રહેલાની નિંદા કરવા માટે નથી. તમારી શ્રીમંતાઈ કાંઈ બીજાની - ગરીબોની નિંદા કરવા માટે છે? મહાત્મા વિચારે છે, કે તિર્યચપણું પામેલું એક હરણિયું પણ શું પરાક્રમ કરી શકે છે? વાણીથી કંઈ બોલતું નથી. છતાં કેવું કામ વાણી વિના તે કરી રહ્યું છે? આ રીતે સાધુની સેવાભક્તિ કરીને કેવું શુભકાર્ય કરી રહ્યું છે? આ રીતે પ્રશંસા કરે છે. અને આ કઠિયારો કે જેને જૈનકુલ મળ્યું નથી. સદ્ગરનો યોગ મળ્યો નથી. ધર્મ પામ્યો નથી. જંગલમાં મજૂરી કરવા માટે આવ્યો છે. છતાં કેવી તેના ભાવોલ્લાસની વૃદ્ધિ થઈ રહી છે ? સાધુને વહોરાવવાનો કેટલો બધો તેનો આનંદ છે ? કેટલા અહોભાવથી વહોરાવી રહ્યો છે. બધા એક-બીજાની અનુમોદના કરે છે. ત્રણે આત્માઓ પોતાના સિવાય બીજા બેની અનુમોદના કરે છે. શુભભાવની પરાકાષ્ઠા ઉપર ત્રણે ચડેલા છે. ત્યાં જ ઝાડ તૂટી પડ્યું. બધાનો ઉપયોગ શુભભાવથી છવાયેલો છે. શુભભાવમાં પણ ત્યાગનું બહુમાન, આદર, રુચિ, તપની પ્રીતિ બધુ અંદર પડેલું છે. ત્રણેનું આયુષ્ય ત્યાં પુરુ થાય છે. ત્રણે મરીને પાંચમા દેવલોકે જાય છે. તમને એટલી જ ખબર છે કે વધારે?“કરણ-કરાવણ-અનુમોદન, સરીખા ફળ નીપજાવે એ પંક્તિ અહીં લગાડવાની છે. સાધુ બીમાર પડે અને હાની જરૂર હોય તો પ્રેરણા કરીને, ગૃહસ્થને કહીને ચહા કરાવે. પણ ગેસ સળગાવી ચહા કરે નહીં. સરખું ફળ હોય તો પણ કરે નહીં. તો કેમ ન કરે? જગતમાં વ્યવહાર, વ્યવહારના સ્થાને છે. વ્યવહાર-મર્યાદાનો ભંગ ન જ કરાય. જગત વ્યવહારથી જ ચારિત્રને જુએ છે. અંદરના પરિણામ તો કોઈ જોતું નથી. અંદરના પરિણામ ચઢ-ઉતર હોઈ શકે છે. માટે વ્યવહારમાર્ગ ઉપર ભાર મૂક્યો છે. માનો કે કાલે ગેસ સળગાવીને ચા બનાવું ને પછી તમારે ઘેર વહોરવા માટે આવું તો શું થાય? જૈનશાસન આચાર ઉપર ભાર મૂકે છે. નાના નાના આચારનો પણ ભંગ કરાય નહીં. એના પણ શાસ્ત્રોમાં પ્રાયશ્ચિત મૂકેલા છે. નાના આચારભંગનું પ્રાયશ્ચિત લેવાનું હોય છે. આ સર્વજ્ઞનું શાસન છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy