SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ અનુમોદનાથી પણ સંસાર સાગર તરી શકાય ૨૦૮ હતાં, તેમના પ્રત્યે અહોભાવથી જોતાં હતાં, નમતાં હતાં. તેમાં એક હરણીયું છે, તેમની ક્રિયા જુએ છે. તેમની સાધુચર્યા સતત જુવે છે. તેને જાતિ-સ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવ દેખે છે, પૂર્વભવમાં હું શ્રાવક હતો. અંતિમ સમયે ધર્મ વિરાધ્યો. અશુભભાવમાં આવ્યો. માટે શ્રાવકપણું પાળવા છતાં વિરાધનાના કારણે હું અહીં આવ્યો, અને પશુજાતિમાં જન્મ્યો અને આ જંગલમાં હરણ બન્યો. આ બધું સ્મરણ થવાથી, પૂર્વભવ જોવાથી તેને મહાત્મા પર પ્રીતિ જાગે છે. કેવી પ્રીતિ થઈ ? અતિશય પ્રીતિ થઈ છે. મહાત્માને માસક્ષમણનો તપ છે. મહાત્મા ગોચરી રોજ જતાં નથી, ઉપવાસ કરી રહ્યા છે, તે સમજી શક્યો છે. મહાત્માના પારણાની ચિંતા એ કરી રહ્યો છે, ૩૦ દિવસ થઈ ગયા છે. આજે ચોક્કસ પારણું છે. જંગલમાં ફરે છે. કોઈ વટેમાર્ગ આવે, કોઈ કઠિયારો આવે તો પકડી લાવું. આવા ભાવમાં જંગલમાં હરણ ભટકી રહ્યું છે. આ તેનો ભાવ યોગ છે. ધર્મ હૃદયથી સ્પર્શે છે ત્યારે આ બધો યોગ બને છે. હરણીયાની આ બધી ક્રિયા યોગરૂપ છે. તેને જંગલમાં એક કઠિયારો મળી ગયો. મનના ભાવોનું પણ એક જગત છે. હૃદયની પણ એક ભાષા છે. બધી વાતો મોઢેથી કરવાની નથી હોતી. હરણીયું કઠીયારાની પાસે જઈ, તેના પગમાં આળોટે છે. પોતાના ભાવો વ્યક્ત કરે છે. પેલો કઠીયારો હરણીયાના હદયના ભાવો, તેના હૈયાના હાવભાવ સમજી જાય છે. કઠીયારાનું ધોતીયું મોઢામાં નાંખીને, ખેંચીને લઈ જાય છે. જ્યાં મહાત્મા હતાં, તેની પાસે લઈ ગયો. તેની પાસે વચનયોગ છે. પણ અસ્પષ્ટ છે. આપણે સમજી ન શકીએ. પણ તિર્યંચો તે ભાષાને સમજી જાય છે. અને પશુની ભાષાનો મનુષ્ય અભ્યાસ કરે તો મનુષ્ય પણ જાણી શકે છે. કઠીયારો સમજી ગયો. મહાત્માને વહોરવા લઈ જાય છે. પોતાની સાથે લાવેલું ભાથુ મહાત્માને વહોરાવે છે. કઠિયારો પહેલા ગુણઠાણે છે. પચાત્તાપથી હરણીયું ચોથા-પાંચમા ગુણઠાણે છે. પૂર્વભવમાં શ્રાવક હતો. અને મહાત્મા છદ્દે-સાતમે ગુણઠાણે છે. ગુણસ્થાનકનું અંતર ત્રણે વચ્ચે ઘણું છે. આ તરફ વહોરાવવાની ક્રિયા ચાલી રહી છે. ત્રણે આત્માઓ શુભભાવમાં વર્તી રહ્યા છે. હરણિયું મનમાં ઉમદા ભાવના ભાવી રહ્યું છે. પ્રભો! મેં કેવી વિરાધના કરી જેથી મને તિર્યંચનો ભવ મળ્યો ! હું ધર્મને હારી ગયો છું. પોતાની ભૂલનો પારાવાર પશ્ચાત્તાપ કરે છે. મહાત્માની અનુમોદના કરે છે. આ મહાત્મા પોતાના મનુષ્યભવને સફળ બનાવી રહ્યા છે. તપ-ત્યાગ-વૈરાગ્ય-સંયમનું શુદ્ધ પાલન કરી રહ્યા છે. માસક્ષમણના પારણે માસક્ષમણ કરી રહ્યા છે. કઠીયારો પણ કેવો પુણ્યશાળી છે ! કેવો ભાગ્યશાળી છે ! સુપાત્રમાં દાન આપી રહ્યો છે. મારી પાસે આમાનું કંઈ જ નથી. તેની આંખમાંથી અશ્રુ વહે છે. જો હું માણસ હોત તો હું પણ મુનિને વહોરાવત. પહેલા ગુણઠાણે આવા શુભભાવ, એ મામુલી નથી. જો આ ભાવ મામુલી હોય તો તે જે રીતે આગળ વધે છે, તે વાત શી રીતે બની શકે ! મેં તો પૂર્વભવમાં મળેલું શ્રાવણકપણું વિરાધ્યું છે. આ કઠિયારો મળેલી શક્તિનો અને સામગ્રીનો કેવો સદુપયોગ કરી રહ્યો છે ? આવા આવા ભાવો હરણિયું કરી રહ્યું છે. આ બાજુ કઠિયારો વિચારે છે કે ધન્ય છે આ હરણિયાને !! જંગલમાં પણ એને તપસ્વી-મહાત્માના દર્શન પ્રાપ્ત થયાં. “સાધુનાં દર્શન પુણ્ય” નિત્ય મહાત્માના દર્શન કરી જીવન પાવન કરી રહ્યું છે. એને મને પણ કેવી સદ્દબુદ્ધિ સૂઝાડી. નહીંતર મહાત્માના Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy