SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૭ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ આકરી એટલે ઉત્કૃષ્ટ જ્ઞાનદશા, તે જ્ઞાનદશા કઈ ? તે ક્યારે આવે? નિર્વિકલ્પક ઉપયોગ તે આકરી જ્ઞાનદશા છે. સાતમા ગુણઠાણાથી આ દશા આવી શકે છે. આવી જ્ઞાનદશા તે ચારિત્ર છે. જેટલા અંશમાં રાગાદિ ઘટે તેમ તેમ નિર્વિકલ્પતા પ્રાપ્ત થતી આવે છે. પણ તે વ્યવહાર નિર્વિકલ્પતા છે. તે આવે અને જાય છે.પારમાર્થિક નિર્વિકલ્પતા કેવળજ્ઞાનમાં છે ત્યાં પેદા થયેલી પારમાર્થિક નિર્વિકલ્પતા આવ્યા પછી જતી નથી, વચમાં પ્રાપ્ત થયેલી નિર્વિકલ્પતા આવે છે ને જાય છે. જ્ઞાનદશા ઉત્કટ બને, એટલે જ્ઞાન સ્વરૂપમાં સ્થિર થાય. અને એ સ્વરૂપમાં સ્થિરતા એ જ ચારિત્ર છે. અને રુચિ વિના સ્વરૂપમાં સ્થિરતા આવે ક્યાંથી ? રુચિ એ જ દર્શન છે. સ્વરૂપમાં સ્થિરતા એ જ ચારિત્ર છે. માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર એક બને છે – અભેદ બને છે. પાંચ આચારમાં વીર્યાચાર જુદો કેમ મૂકયો ? જુદો વર્યાચાર મૂકવા દ્વારા એ વાત જણાવી રહ્યા છે કે પારલૌકિક હિતકારી ક્રિયામાં જો તમારું વીર્ય ન ભળે તો તમારો આચાર વાસ્તવિક ન બને. તેમાં ઉપયોગ અર્થાત્ concentration વધવું જોઈએ. ઉપયોગ ન ભળે તો એ ક્રિયા બને છે. પણ યોગ નથી બનતો. યોગ એ મોક્ષમાર્ગ છે. જ્ઞાનીઓ ક્રિયાને મોક્ષમાર્ગ નથી કહેતાં. જેમાં આદર-બહુમાન-પ્રીતિ નથી, સ્વરૂપ પામવાની રુચિ નથી, તે ક્રિયા યોગ નથી બનતી. અચરમાવર્તમાં યોગ નથી. ભોગ છે. અચરમાવર્ત બાલ્યકાળ છે. અચરમાવર્તમાં જીવ બાળક જેવો છે. કોઈ ધર્મ પામી ન શકે, તેવી સ્થિતિ છે. ચરમાવર્તિમાં જ યોગની પ્રાપ્તિ થાય છે. આપણી બધી ક્રિયા યોગ બને છે ? કે ખાલી ક્રિયા રહે છે ? યોગથી મોક્ષની પ્રાપ્તિ છે.માટે યોગ એ મોક્ષમાર્ગ બન્યો. ક્રિયાને યોગમાં transfere કરવાની છે. તે ક્યારે બને ? તે તે ક્રિયામાં પ્રીતિ-ઉલ્લાસ-આનંદ-એકાગ્રતા-બહુમાન ભળે તો, અને તેમાં વિર્ય ઠલવાય તો ક્રિયા યોગ બને છે, પણ વીર્ય ક્યારે ઠલવાય ? સંસારમાંથી વિર્ય પાછું વળે, સંસારમાંથી વિર્ય પાછું ખેંચાય, ત્યારે ધર્મક્રિયામાં વિર્ય ઠલવાય છે. વીર્ય પાછું કેવી રીતે વળે ? સંસારમાં નુકસાન છે તે સમજાય ત્યારે, સંસારમાંથી રુચિ ઊઠી જાય ત્યારે ત્યાંથી વિર્ય પાછું વળી શકે છે. જ્યાંથી વીર્ય પાછું ફેરવવું છે, તેના નુકસાન દેખાવા જોઈએ. કષાયો આત્માને વિડંબના કરનાર છે એવું લાગે છે ? કષાયો ખરાબ લાગતા નથી. વિષયોમાં સતત પ્રવૃત્તિ કરીએ છીએ માટે આપણી ધર્મક્રિયા યોગરૂપ બનતી નથી. આપણી ધર્મક્રિયા યોગરૂપ બને, તે પુણ્યાનુબંધી પુણ્યનું કારણ બને છે. ને જે ક્રિયા યોગરૂપ નથી બનતી, તેનાથી મામુલી પુણ્ય બંધાય છે. અનુમોદનાથી પણ સંસાર સાગર તરી શકાય બળભદ્ર મુનિ જંગલમાં રહે છે. રૂપરૂપના અંબાર છે. રૂપમાં સ્ત્રીઓને મોહ ન થાય માટે જંગલમાં રહેવાનું તેમણે પસંદ કર્યું છે. જંગલના પ્રાણીઓ હરણાં, સસલાં, શિયાળીયા વગેરે પણ તેમની સંયમ સાધનાનાં Charged Field થી પ્રભાવિત થયાં Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy