SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્પણની સાધના એ આંતરિક સાધના છે. ૨૦૬ - છું. આપણે ત્રીસ વર્ષ પહેલાં લગ્નગ્રન્થિથી જોડાયાં હતાં. ત્યારે એને થાય છે કે આ-હાહા(જાણે સ્વપ્નામાંથી જાગ્યો હોય તેમ) મેં ત્રીશ વર્ષ સુધી એની સાથે વાત પણ કરી નથી! એની સાથે એક દિવસ પણ બોલ્યો નથી ! મેં એની સામું પણ જોયું નથી. અને એને મારા માટે ૩૦ વર્ષ આટલો બધો ભોગ આપ્યો !!! તો હું મહાન કે એ મહાન !! એ એના ઉપર આફ્રીન થઈ ગયો. તે વિચારે છે કે હવે આને માટે શું કરાય? ૩૦-૩૦ વર્ષ સુધી અથાગ મહેનત કરી જે બ્રહ્મસૂત્ર ઉપર ટીકા લખી હતી તેની ઉપર પોતાની પત્નીનું નામ, “ભામતી” ટીકા તરીકે તે ગ્રંથને પ્રસિદ્ધ કર્યો. “યાવચ્ચન્દ્રદિવાકરો” એનું નામ અમર કરી દીધું. જ્યાં પ્રીતિ હોય, ઉલ્લાસ હોય, ત્યાં કેવું કાર્ય થાય છે ? એમ જ્યાં ખેદ-કંટાળો-થાક ઉત્સાહનો ભંગ હોય ત્યાં અનુષ્ઠાનો-ધર્મક્રિયાઓ સામાન્ય બની જાય છે. એનાથી વિશેષ લાભ થતો નથી. ખેદ-કંટાળો-ઉદ્વેગ એ મલિન ભાવ છે. મલિન ભાવથી કરેલી ક્રિયામાં શુભભાવ ક્યાંથી આવે ? ક્રિયામાં આચાર મુખ્ય છે. પંચાચારમય ધર્મ છે. એ પાંચ આચારમાં વિર્યાચારને એક સ્વતંત્ર આચાર મૂક્યો છે. અન્ય જ્ઞાનાદિ ચારમાં વીર્ય ભળે તો જ તે જ્ઞાનાચારદર્શનાચારાદિ બને છે એટલે એમાં વીર્યાચાર સમાઈ જાય છે. છતાં વીર્યાચાર બિન કેમ મૂક્યો છે ? એટલા માટે વર્યાચાર બિન મૂક્યો છે, કે સામાન્યથી તો વીર્ય દરેકમાં હોય જ છે. સામાન્ય પુરુષાર્થ હોય છે. પણ મારે જે આચાર સાધવો છે, જે યોગ સાધવો છે, તેમાં મારા વીર્યને પુરેપુરા ઉત્સાહથી, ભાવોલ્લાસથી, જોમથી ફોરવીશ. તો જ તેમાં વિર્યાચારનું પાલન થયું ગણાય. તો જ તે જ્ઞાનાચાર બનશે. તો જ તે દર્શનાચાર બનશે. તો જ તે ચારિત્રાચાર બનશે. તો જ તે તપાચાર બનશે. મામુલી વીર્યથી કાર્ય સિદ્ધ નહીં થાય. જ્યારે જે યોગ લો છો તેમાં વીર્યને સંપૂર્ણ રીતે ઠાલવો. આજુબાજુમાંથી ખેંચીને વીર્યને તેમાં ઠાલવો, અન્યત્ર વીર્ય ખેંચાયેલું છે. તેને પાછું ખેંચી લો. આજુબાજુમાંથી રૂચિ નીકળી જાય તો વીર્ય ખેંચાય છે. જ્યાં રુચિ ત્યાં વિર્ય. “રુચિ અનુયાયી વીર્ય, રુચિ ધર્મમાં તો વીર્ય પ્રવર્તન ધર્મમાં. રુચિ સંસારમાં તો વીર્ય પ્રવર્તન સંસારમાં. અધ્યાત્મમાં રુચિ મુખ્ય બની જાય છે. રુચિ પણ એક પ્રકારનું જ્ઞાન છે. જ્ઞાનદર્શન-ચારિત્ર એ ત્રણે જ્ઞાનનાં જ વિભાગ છે. (૧) બોધ અંશ તે જ્ઞાન છે (૨) રુચિ અંશ તે દર્શન છે (૩) પરિણતિ તે ચારિત્ર છે એટલે કે વસ્તુ તત્ત્વનો યથાર્થ બોધ તે જ્ઞાન છે, તેમાં હેયોપાદેયનો વિભાગ કરી ઉપાદેયમાં રચિ તે દર્શન છે. ઉપાદેયને અનુરૂપ વીર્યપ્રવર્તન તે ચારિત્ર છે. “જ્ઞાનદશા જે આકરી, તેહ ચરણ વિચારો, નિર્વિકલ્પ ઉપયોગમાં, નહીં કર્મનો ચારો.” (ઉપાધ્યાયજી) Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy