SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ આવ્યો. પણ જાણે કંઈ જ ખબર જ નથી. પરણીને પાછો, સીધો પોતાના સ્વાધ્યાય ખંડમાં પુસ્તકોના ઢગલાની વચ્ચે બેસી ગયો છે. પત્નીએ જોયું કે મારા કરતાં જ્ઞાનનો રસ વધારે છે. લખાણનો રસ વધારે છે. સંસારનો રસ નીચોવાઈ ગયો છે. શું એ સ્ત્રીને ભોગની ઇચ્છાઓ નહીં હોય? ના, છે. નવી પરણેલી છે, ભોગની ઇચ્છાઓ છે. પણ આર્યદેશની સ્ત્રીઓ છે. સન્નારી છે. તેની ઇચ્છાઓ વંઠેલી ને વકરેલી ન હોય. તે સમાધાનના માર્ગે જનારી હોય. આર્ય સન્નારી ઘરને પરણે છે. માત્ર વરને નથી પરણતી. અને પોતે બીજાને સુખી કરવા માટે પરણે છે. માત્ર પોતે સુખી થવા માટે નહીં, જ્યારે આજની સ્ત્રીઓની વૃત્તિમાં નરી સ્વાર્થોધતા-ભોગાંધતા હોવાથી ન ફાવે તો છૂટાછેડા, પુનર્લગ્ન, ગર્ભપાત, વ્યભિચાર વગેરે પાપોને સેવીને આર્યાવર્તની સંસ્કૃતિ ઉપર કાળો કુચડો ફેરવે છે. ભૂતકાળની કેટલીય સતીઓના બલિદાનથી ચાતરેલા ચીલાઓને ભૂંસી નાંખવાનું બંધ કરવાનું દુઃસાહસ આજની શિક્ષિત બેનો કરે છે. તે અત્યંત વિચારણીય છે. સદાચારની તક કર્મસત્તા આપે છે. છતાં તેનો શાંત સ્વીકાર કરી શકતા નથી. આર્યદેશમાં સદાચારથી ઇચ્છાઓને નિયંત્રિત કરવાની છે. પોતાનામાં પડેલી ઇચ્છાઓને સદાચારથી નિયંત્રિત ન કરે તો તે સજ્જન રહી શકતો નથી. યોગ્યપાત્ર મળે તો ઇચ્છાઓને તૃપ્ત કરે, પણ પુત્ર ન મળે તો ગમે તે રીતે, ગમે તે મા, તેને તૃપ્ત ન જ કરે, વિકૃતમાર્ગે ઇચ્છાઓને પોષવાના ધંધા તો ન જ કરે. આજે કૂતરા કેમ પાળે છે? માણસનો પ્રેમ નથી અને કૂતરાનો પ્રેમ છે ? પ્રેમ કરવા લાયક જગતમાં કૂતરા છે કે માણસ? વિચારણીય બાબત છે, કેટલાક તો કૂતરાની સાથે સૂઈ જાય છે. હાથથી પંપાળે છે. તેને રમાડે છે. નવરાવે છે. વગેરે. વગેરે. આ અંદરમાં વિકૃતિ છે, માટે આવું કરે છે. એક કૂતરા પાછળ કેટલો ખર્ચ છે ? એના બદલે પરોપકારના કામ કોને? અંદરની ઇચ્છાઓ કેટલી વિકૃત બનેલી છે. તેનો આ નમૂનો છે. આ સ્ત્રી વિચારે છે મારા પતિને મારા કરતા જ્ઞાન ઉપર વધુ પ્રેમ છે. સાહિત્ય સર્જન ઉપર વધુ રસ છે. જ્યાં હૃદયનો રાગ છે. સાચી પ્રીતિ છે, હૃદયનો સંબંધ જેની સાથે જોડાય છે, ત્યાં જીવ બધું જ કરવા તૈયાર થાય છે. આ સ્ત્રી પતિને પૂર્ણ સમર્પિત છે. પોતે તો રાત-દિવસ નીચું ઘાલીને લખ્યા કરે છે, આ સ્ત્રીએ તેની સેવાનો ભેખ લીધો. તેની રૂમ સાફ કરવી, કચરા-પોતા કરવા, પાણી ગળીને માટલી મૂકી આવવી. દીવો કરવો. રાત્રે તેલ ખૂટી જાય તો, અડધી રાત્રે પણ તેલ પૂરવું વગેરે બધું જ નિયમિત વ્યવસ્થિત કરે છે. તેમના કાર્યમાં અલના ન પડે તે રીતે કરે છે. આમ આ રીતે એક વર્ષ, બે વર્ષ નહીં, પણ ત્રીસ ત્રીસ વર્ષના વહાણા વહી ગયા. ત્રીશ વર્ષમાં ગ્રન્થ સર્જન સિવાય વાચસ્પતિ મિશ્રને બીજો કોઈ રસ નથી. પણ આ બાઈએ પણ તેમની પાસે ભોગની પ્રાર્થના કરી જ નથી. ત્રીશ વર્ષ પછી આજે તે દીવામાં તેલ પુરવા આવી છે. ત્યારે આ ભાઈ ઊંચું જુવે છે. તત્ત્વ ઉપર આપણને આવો રાગ આવી જાય તો બેડો પાર થઈ જાય. કર્મના ભુક્કા થઈ જાય. આ પૂછે છે -- “બાઈ ! તું કોણ છે ?” આપની દાસી છું.” “પિતાજી શું પગાર તને આપે છે ?” સ્વામિન્ ! આપની અર્ધાગના Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy