SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્પણની સાધના એ આંતરિક સાધના છે. ૨૦૪ આ બીજી દૃષ્ટિમાં ઉગ નામનો દોષ જાય. પહેલી દષ્ટિમાં ખેદ ન હતો. પણ ક્રિયા લાંબી ચાલે તો ત્યાં ઉદ્વેગ-કંટાળો આવવાની શક્યતા હતી. કંટાળો પેદા કરે તે ઉગ નામનો દોષ આ બીજી દૃષ્ટિમાં નીકળી જાય છે. યોગમાં ઉલ્લાસ આવે તો આગળ વધી શકાય છે. અને યોગમાં ઉલ્લાસ આવે તો ઊંચું પુણ્ય બંધાય છે. જે સંસારથી થાકે છે, જેને સંસારની ક્રિયામાં થાક લાગે છે, અને જેને સંસારની ક્રિયામાં ત્રાસ લાગે છે, તેને યોગમાં ઉલ્લાસ આવે છે. જે યોગમાં થાકે તેને સંસારમાં ઉલ્લાસ આવે છે. મોહનું બળ, અને સાથે અજ્ઞાનનું બળ સંસારમાં જીવને આનંદ ઊભો કરે છે. અને યોગમાં થાકકંટાળો-ઉદ્વેગ ઊભો કરે છે, બીજી દૃષ્ટિમાં સંસારનો ઉલ્લાસ ઘટી જાય છે માટે ધર્મક્રિયામાં થાક લાગતો નથી. અને જે ક્રિયામાં ઉલ્લાસ નહીં તે ક્રિયા વેઠ રૂપ થાય છે. જેમ કે મજૂર તમારી સોનાની પાટ ઉપાડે. ચાર કિલોમીટર ઉપાડીને ચાલે તો પણ તે સોનાનો માલિક નહીં, તેણે તો વેઠ જ કરી છે. જીવ જે ક્રિયા કરે છે તેમાં ઉપયોગ ન ભળ્યો તો તે ક્રિયા વેઠ રૂપ થઈ કહેવાય. તેનું ફળ મામુલી જ મળે છે. જે ક્રિયામાં ઉલ્લાસ-આનંદ નહીં તેના સંસ્કાર નહીં પડે અને મામુલી પુણ્યબંધ થાય. ધર્મની ક્રિયાઓમાં પ્રીતિ અનુષ્ઠાનમાં ધર્મની શરૂઆત કહી છે. પ્રીતિ એટલે પ્રીતિહર્ષ-ઉલ્લાસ-આનંદ-મમતા. આ પ્રીતિ-મમતા-ઉલ્લાસ આવે તો જ અનુષ્ઠાનમાં વિશેષતા દેખાય. તો જ શુભભાવ જાગે. તે આત્મા પ્રીતિથી કરે છે. કારણકે જ્યાં પ્રીતિ-ઉલ્લાસ, હર્ષઆનંદ હોય ત્યાં તેના પ્રતિપક્ષી, તેના વિરોધી પરિણામ-ખેદ, અનુત્સાહ, કંટાળો, થાક વગેરે આવે જ નહીં. પરલોકહિતકારી અનુષ્ઠાનમાં પ્રીતિ-ભક્તિ ભળે તો તે ફળદાયી બને છે. પહેલી દષ્ટિમાં ખેદ ન હતો. કંટાળો ન હતો. પણ લાંબી ક્રિયા ચાલે અને નિમિત્ત મળે તો કદાચ કંટાળો આવી જાય છે. સંસારની ક્રિયા કરવા બેસે ને લાંબી ચાલે તો?ચાર કલાક વિકથા કરવા બેસે તો થાક નથી લાગતો, કારણ કે ત્યાં રાગ છે. પ્રીતિ છે. બીજી દૃષ્ટિનો બોધ છાણના કણના પ્રકાશ જેવો છે. અગ્નિ દબાયેલો છે. પવનનો ઝપાટો આવે તો ભભૂકે છે, એમ બહારના નિમિત્તો મળે તો પાછા પેલા ખેદ-ઉદ્વેગ આવી જાય. વ્યાખ્યાન લાંબુ ચાલે, પ્રતિક્રમણની ક્રિયા લાંબી ચાલે તો, સ્વાધ્યાયાદિ યોગમાં કંટાળો - ઉદ્વેગ આવે છે, એટલે એ ક્રિયાઓ પ્રીતિ આદર-ઉલ્લાસ ન હોવાના કારણે વેઠ રૂપ બને છે, પ્રીતિ અને ભક્તિ ભળે તો તે પરમાત્માના ઘરનું અનુષ્ઠાન છે. જો ધર્મને યોગ બનાવવો છે તો ધર્મમાં પ્રીતિ ઊભી કરો. અને તે સંસારની પ્રીતિ જેમ જેમ ઘટશે, ત્યારે ધર્મમાં પ્રીતિ થશે. - સમર્પણની સાધના એ આંતરિક સાધના છે. વાચસ્પતિ મંડન મિશ્ર નામના પંડિત થઈ ગયા. તેમને જ્ઞાનનો એટલો બધો રસ, એટલો બધો રસ કે લગ્ન કરવાની તેની ઇચ્છા નથી. તેમને બ્રહ્મસૂત્ર ઉપર ટીકા લખવી છે. સ્વાધ્યાય ખંડમાં બેસીને દિવસોનાં દિવસો પસાર થાય છે. પરણવું નથી. છતાં બાપના કહેવાથી તે પરણે છે. પરણવા ગયો, ચોરીમાં બેઠો, લગ્નવિધિ થઈ, પરણ્યો, વહુને લઈને ઘરે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy