SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ ગણત્રી ગણાય છે. સમ્યકત્વની પ્રાપ્તિથી સંસાર મુટ્ટીમાં આવે છે. સંસારને સાગરની ઉપમા આપી છે. સંસાર સાગર જેવો છે, તે અજ્ઞાનીઓ માટે છે., જ્ઞાની માટે તો સંસાર ચુલુક જેવો છે, ખાબોચીયું બની જાય છે. આજે ગ્રન્થિભેદ કરી શકતાં નથી, એનું જૈનકુળમાં જન્મેલાને ને જેનશાસન પામેલાને લેશમાત્ર દુઃખ નથી. છે દુઃખ? સ્વરૂપની ભૂખ લાગી છે? સ્વરૂપના અભાવમાં, સમ્યક્તના અભાવમાં “હું બહુ ભટક્યો, બહુ ભટકયો” એવી પ્રતીતિ થતી હોય. હું ક્યારે છૂટીશ? ક્યારે સમ્યકત્વ પામીશ?ક્યારે મોક્ષ મળશે? આવી ચિંતા થતી હોય તો તે નિકટ મોક્ષગામી છે. હવે મારે કેટલા ભવ કરવા પડશે? હવે મારો ક્યારે છૂટકારો થશે? આવી વિચારણા સતત આવે છે? જો આ વિચાર ન આવે તો આપણા કર્મ ભારે છે. આ વિચાર એકાદ વખત નથી કરવાનો, પણ આ વિચારણા સતત ચાલુ રહેવી જોઈએ. સતત આ વિચારણાને ઘુંટવાની છે. જેને આ સતત ઘૂંટાય તેનો સંસાર રસ તૂટી જાય છે. સંસારનો રસ તૂટ્યા પછી જે સંસારની પ્રવૃત્તિ થાય છે તે મુડદાલ છે. ઉપશમભાવ એ સ્વરૂપ છે, ઉપશમભાવ પોતાનું ઘર છે. કષાય એ આત્મા માટે પરદેશ છે. કષાય એ પરદેશી શાસકો છે. પરદેશીઓ આત્મામાં ઘુસી ગયા છે. ગાંધીજીને પરદેશીઓ (અંગ્રેજો) આંખમાં ખેંચી ગયા હતાં. આખી જિંદગી એ અંગ્રેજો સાથે વuit India ચળવળ ઉપાડી હતી. એમને અંગ્રેજો ખટકતા હતા. આપણને કષાયો ખટકે છે? આપણામાં કષાય ઘુસી ગયા છે એમ લાગે છે ? ક્વીટ કષાયની ચળવળ ઉપાડવી છે? કષાયો ઘણું નુકસાન કરે છે. કષાયો વધે તો વિલાસિતા વધે છે. અને કષાય ઉગ્ર બને તો જીવ દુર્જન બને છે. ચોથા ગુણઠાણે બંને વેદાય છે પણ કષાય એ પર પરિણતિ છે, એનો સતત ખ્યાલ હોય છે. અને કષાય આત્માના સ્વરૂપને ક્ષણે ક્ષણે દબાવે છે. “પર પરિણતિ પોતાની માને, વર્તે આરતધ્યાને, બંધ-મોક્ષ કારણ ન પીછાણે, તે પહેલે ગુણઠાણે” કષાય સારા લાગે છે તેને આર્તધ્યાન વર્તે છે. અથવા આર્તધ્યાનના કારણભૂત સંકલ્પ-વિકલ્પોમાં વર્તે છે. કષાય ગમે, કષાય પોતાના લાગે, કષાય સારા લાગે તેઓને કષાયના વિપાકોને ઓળખવા માટે ઉપમિતિભવપ્રપંચો કથા ગ્રંથ પર્યાપ્ત છે. પાંચ ઇન્દ્રિયોના વિષયો અને કષાયોનું સ્વરૂપ ઉપમિતિકારે પહોળું કરીને બતાવી દીધું છે. કષાયો-વિષયો ક્યાં રહે છે ? કયા નગરમાં રહે છે? તેના ભાઈ–બેન કોણ છે?તેના મા-બાપ કોણ છે? બધું સ્વરૂપ ખોલ્યું છે, એ વાંચતાં એમ થાય કે અચરમાવર્તકાળમાં હું પણ આ રીતે જ વર્યો છું. યોગમાર્ગને સમજવો હશે તો એને સ્વ-પરિણતિ, પર-પરિણતિને ઓળખવી પડશે. એ માટે પહેલાં સ્વજન-પરજનને ઓળખવા પડે છે. સ્વ કોણ? ગુણો એ સ્વ છે, પર કોણ? દેહાદિ બધું પર છે. આ વિવેક ચાલુ છે ? બંધમોક્ષકારણ ન પીછાણે, તે પહેલે ગુણઠાણે.” ઉપાધ્યાયજી મહારાજસાહેબે કહ્યું છે -- બંધ-મોક્ષ, સંવર-નિર્જરા, આ બધા પરિણામને ઓળખવાની તાકાત જ નથી, જેને ખબર જ નથી, તે બધા પહેલે ગુણઠાણે છે. યોગગ્રન્થો આત્મામાં પરિણતિ ઊભી કરવા માટે છે. યોગગ્રન્થનું શ્રવણ માત્ર પર્યાપ્ત નથી. એના દ્વારા પરિણતિ ઊભી કરવાની છે. તો શ્રવણની પણ વાસ્તવિકતા છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy