SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલા ગુણઠાણા અને ચોથા ગુણઠાણાના કષાયવેદનમાં તફાવત ૨૦૨ - સાધુજીવનમાં પણ શરુઆતમાં આચારગ્રન્થોનું અધ્યયન જોઈએ. આચારનું જ્ઞાન મેળવ્યા પછી, આચારોનું પાલન કર્યા પછી, યોગગ્રન્થોનો અભ્યાસ કરવો જોઈએ. જેથી મોક્ષમાર્ગ સમજાય છે. જીવનમાં સુંદર પરિણતિ ઉભી થાય છે. “યોગગ્રન્થના ભાવ ન જાણે, જાણે તો ન પ્રકાશે, ફોગટ મોટાઈ મન રાખે, તસ ગુણ દૂર નાશે” (૩૫૦ ગાથાનું સ્તવન) અને હું સાવું એવી મોટાઈ કરે છે, તે આત્મામાંથી ગુણો ભાગવા માંડે છે. મેલે વેષે મહિયેલ મહાલે, બક પર નીચો જોઈને ચાલે, જ્ઞાન વિના જગ ધંધે ઘાલે, તે કેમ મારગ હાલે.” (૩૫૦ ગાથાનું સ્તવન). - ઈર્ષા સમિતિ આદિ પાંચ સમિતિનું સુંદર પાલન કરેમલ-મલિન ગાત્ર હોય, મેલાંઘેલાં વસ્ત્ર ધારણ કરતો હોય, નિર્દોષ સાધુ ચર્યાનું પાલન હોય, છતાં જો મોક્ષમાર્ગનો બોધ નથી; તે અનાયાસે સંસારમાર્ગને પુષ્ટ કરે છે. યોગના બોધ વિના જે ઉપદેશ આપશે તો મોક્ષમાર્ગને બદલે સંસાર માર્ગની પુષ્ટિ કરી નાંખશે. અન્ય આત્માઓને ઊંધે રવાડે ચડાવી દેશે. માટે ઉપદેશકની જવાબદારી વધી જાય છે. કે ક્યાંય સંસારમાર્ગની પુષ્ટિ ન થઈ જાય. યોગમાર્ગની જ પુષ્ટિ થવી જોઈએ. પહેલા ગુણઠાણા અને ચોથા ગુણઠાણાના કષાયવેદનમાં તફાવત પર પરિણતિ અને સ્વ પરિણતિનો ભેદ જીવનમાં સમજાવો જોઈએ. આપણા ઉપયોગમાં જેટલો કષાયાંશ છે, જીવ કષાયમાં રમે છે, તે પર પરિણામ છે, અને ઉપશમ ભાવ છે, તે સ્વ-પરિણામ છે. ચોથા ગુણઠાણે જ્ઞાનધારા પણ છે અને કર્મધારા પણ છે. ગ્રન્થિભેદ થયાં પહેલાં બંનેને એકમેક વેદી રહ્યો હોય છે. જ્યારે ચોથા ગુણઠાણે જ્ઞાનધારા જુદી વેદાય છે. ને કર્મધારા જુદી વેદાય છે. સમ્યક્ત પામ્યા પછી બંને છે ખરી !! પણ જુદી વેદાય છે, કારણ કે સમ્યત્વી પોતાના આત્મઘરને ઓળખી લે છે. પોતાનું અને પર શું છે ? તે ઓળખી લે છે. સમ્યક્ત આવ્યા પછી સ્વરૂપનો ખ્યાલ આવે છે. રૂચિ સ્વરૂપ તરફ વળેલી હોય છે. જ્યારે રુચિ સ્વરૂપમય બને છે ત્યારે તે જીવ જે જે પ્રવૃત્તિ કરે તેમાં મન કેવું ભળે ? રાગ-દ્વેષ કષાય કેવા ભળે ? ચોથા ગુણઠાણે અનંતાનુબંધી સિવાય ત્રણ કષાયની ચોકડીનો ઉદય છે. ક્રોધાદિ એક કષાયનો ઉદય હોય પણ એ ત્રણે ક્રોધનું એક ઉદય પરિણમન હોય છે. અને પહેલા ગુણઠાણે ચારે કષાયનો ભેગો ઉદય હોય છે. અને તેમાં અનંતાનુબંધીનો ઉદય મુખ્ય છે. ચોથે અનંતાનુબંધી ગયો એટલે ઉપયોગમાંથી રાગ-દ્વેષનું તાદાભ્ય ગયું. ઉપયોગમાંથી કષાયોની એકમેકતા તૂટી એટલે સ્વરૂપ અનુભવાય છે. રાગ-દ્વેષનું તાદાભ્ય અહીં તૂટ્યું, એટલે કે રાગ-દ્વેષ વેદાય છે ખરાં પણ તેનો Force તૂટી ગયો, ઘટી ગયો એટલે પછી રાગ-દ્વેષ વેદાય તે કેવા વેદાય છે ? જાણે ઉપર ઉપરથી કષાય તરતાં હોય તેવું લાગે છે. જાણે ઉપર ઉપરથી કષાય વેદાઈને નીકળી જતાં હોય તેમ લાગે છે. તે પહેલાં કષાય અંદર એકમેક થઈને વેદાતાં લાગે છે, પહેલા ગુણઠાણા કરતાં ચોથા ગુણઠાણાનું વેદન જુદું જ પડી જાય છે. આ છે સમ્યકત્વની પ્રાપ્તિથી પરિણતિનો ધરખમ ફેરફાર!!! માટે જ સમ્યકત્વથી ભવની Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy