SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ યોગદષ્ટિનાં અજવાળાં-ભાગ-૨ છે. બાકી ક્રિયા ભાવ લાવી શકે છે. આમાંથી એક પણ હશે તો બીજું બધું ખેંચાઈને આવશે. પહેલાના વખતમાં ગામડામાં કોઈ મરી જાય ત્યારે છાતી કુટવાનો રીવાજ હતો. મરશીયા ગાતા જાય ને કુટતા જાય. એમાં નવી પરણેલી વહુ હોય, સાસરે ગયેલી હોય, જેણે જીવનમાં આવું જોયું ન હોય તોય તે કુટવા જાય? હા, પેલી બાઈઓની જેમ ફૂટે? હા, તેને આંખમાં આંસું આવે? હા, આવે. એ ક્રિયા અને એ દશ્ય જ એવું છે કે અનેકને રડતા જૂએ, અનેકને કૂટતા જૂએ તો તેની અસર એ વહુને થાય છે. અને એ પણ રડી પડે છે. એમ બહુ સારા વાતાવરણમાં આપણે બેઠા હોઈએ, અનેક આત્માઓ ભાવનાના હિલોળે ચડ્યા હોય, ત્યારે એ ભાવ, એ વાતાવરણ – તમને અસર કરે જ છે. કાળ પાક્યો ન હોય ને કાળમીંઢ પત્થર જેવું હદય હોય તો અસર ન થાય એ વાત છોડી દ્યો. તેમ ચરમાવર્ત ન હોય, કાળ પરિપાક ન હોય, તો અસર ન થાય બાકી ક્રિયાની-વાતાવરણની અસર છે જ. આજે મોક્ષમાર્ગ સમજવા આપણને મળ્યો છે. એ આપણો પુયોદય છે. બીજા પાસે ભૌતિક પુણ્ય છે. તમારી પાસે ભૌતિક અને આધ્યાત્મિક બંને પુણ્ય છે. તમારું પુણ્ય સર્વોપરી છે. સમજી શકો તો આ પુણ્યની અનુમોદના કરો. સફળ કરતાં શીખી જાવ કે આજે મને મોક્ષમાર્ગ મળ્યો, જિનવાણી મળી, તારક તત્ત્વોની ઓળખ મળી. શાસન મળ્યું. આત્મા સમજવા મળ્યો. મારા જેવો આ જગતમાં કોઈ પુણ્યશાળી નથી. ભૌતિક સુખો આ જગતમાં ઘણાને મળે છે. જ્યારે મને (આપણને) આત્મા ઓળખવા મળ્યો છે. આ રીતે તમારું હૃદય ભીંજાઈ જાય તો ઘણું પામી જવાય. ઉપદેશકની ઉપદેશકતા – સાચો ઉપદેશક તે છે કે જેને વ્યવહાર-નિશ્ચયનો યથાર્થ બોધ છે. બેમાંથી એકપણ ન છૂટી શકે. વ્યવહારનું બોલતાં નિશ્ચય છૂટવો ન જોઈએ. અને નિશ્ચય બોલતાં વ્યવહાર ન છૂટે. આ ઉપદેશકની કળા છે. આવો ઉપદેશ અપાય - ત્યાં જો લાયક શ્રોતા હોય તો શ્રોતાને લાભ થાય જ. છતાં તમે ભૂલો તો દોષ તમારો છે. પણ મારો નહીં. કોઈ પણ મારું નિમિત્ત પામીને ક્રિયા છોડે નહીં, મારું નિમિત્ત પામીને કોઈ ભૂલે નહીં, એનો હું સતત ખ્યાલ રાખું છું. આપણી પાસે આવનારાને આત્મા ગમવો જોઈએ. સ્વરૂપને પકડવાનું છે. અને વ્યવહાર માર્ગને આચરવાનો છે. જેમ જેમ કષાયને છોડતાં જઈએ તેમ સ્વરૂપ રુચિ વધતી જાય છે. સ્વરૂપને પ્રાપ્ત કરવા નિસ્પૃહ બનવું જોઈએ. ઉપદેશક હંમેશા નિસ્પૃહ હોવો જોઈએ. એને શ્રોતાની પાસે શું અપેક્ષા હોઈ શકે? કારણ કે તમારી પાસે છે જ શું? સ્પૃહા નીકળ્યા પછી જ ઉપદેશ સાચો આવે. પરમાત્માના શાસનની સમ્યગુ દેશના અતિશય અતિશય પુણ્યોપાર્જન કરાવે છે. - યોગગ્રંથની ઉપયોગિતા આત્માના વિકાસક્રમમાં યોગદષ્ટિ કેવી રીતે ભાગ ભજવે છે તે બતાવે છે. પરિણતિ ઊભી કરવા માટે યોગદૃષ્ટિ છે. યોગગ્રન્થોના રહસ્યો જાણ્યા વિના મોક્ષમાર્ગનું તલસ્પર્શી જ્ઞાન થતું નથી. યોગગ્રન્થોનાં તલસ્પર્શી અભ્યાસ વિના આત્મા પરિણતિને સૂક્ષ્મ બનાવી શકતો નથી. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy