SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨00 ક્રિયા ભાવોત્પાદક છે - માટે જ્ઞાની પરમાત્મતત્ત્વની વાતો કરવાનું (બોલવાનું) કહે છે. Speech is silver but silence is Golden પરમાત્મા કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી બોલ્યા નથી, મૌન રાખ્યું છે. એજ બતાવે છે, કે બોલવામાં મઝા નથી. મૌનમાં આનંદ છે. જો બોલવામાં આનંદ હોત તો પ્રભુ મૌન શું કામ રાખત ? ઉપયોગને શુદ્ધ કરવાનું કામ કરવાનું છે. ઘાતી કર્મનો નાશ એ આપણું લક્ષ્ય હોવું જોઈએ, પણ આપણે અઘાતીને સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ. અઘાતીનો ફેરફાર કરવા મથીએ છીએ. આપણા જેવા મૂરખ કોણ હોય ? ઘાતીનો નાશ કરવા પરમાત્મા મૌન રહ્યા છે. ભલે, લોક પામે કે ન પામે. છતાં મૌન રહ્યા. લોક પામે એ મુખ્ય છે કે આત્મશુદ્ધિ એ મુખ્ય છે ? પરમાત્મા ક્યારે બોલ્યા ? કૃતકૃત્ય થયા પછી બોલ્યા છે. શુદ્ધદશાને પામ્યા પછી બોલ્યા છે. કૃતકૃત્ય થયા પછી ગમે તે કરે, અઘાતીના ઉદયે જે હોય તે કરે તેમાં આત્માને કંઈ નુકશાન છે ખરું? કંઈ જ નુકસાન નથી, જ્યાં સુધી કરવા કરતાં ન કરવામાં લાભ છે, ત્યાં સુધી ન કરવું શ્રેયસ્કર છે. આપણે એકાંતે મોન નથી રહેવાનું. પણ ઉપદેશને અનુસાર બોલવાનું છે. પણ જ્ઞાની કહે છે, તારી એ પ્રવૃત્તિમાં પરપીડન ન જોઈએ, પરોપકાર હોવો જોઈએ, વિકથા ન જોઈએ. સત્સંગ હોવો જોઈએ. અને છતાં સાથે સ્વરૂપ દષ્ટિ જો ન હોય તો તારો મોક્ષ નહીં થાય. તે યાદ રાખવાનું છે. પરમાત્મા જેવું મૌન આપણે ન લેવાય. પરમાત્માનું આલંબન લેવાનું છે. તેઓ તો જગત નિરપેક્ષ હતા. જગત નિરપેક્ષ જીવન પ્રભુ જીવ્યાં હતાં. આપણું તો સાપેક્ષ જીવન છે. જો જીવનમાં બીજાની અપેક્ષા છે તો કેવી રીતે જીવાય? અભવ્ય પાસે પરોપકાર છે, પરપીડન નથી. સત્સંગ છે, વિકથા નથી છતાં તેનો મોક્ષ કેમ નહીં? શું ખુટે છે? તેની પાસે સ્વરૂપદૃષ્ટિ નથી. માટે બધું જ જોઈએ. ઈશ્વર પ્રણિધાન એટલે શું કરવાનું? ઈશ્વર થવા માટે જે જરૂરી હોય તે આપણા જીવનમાં આવે તો તે ઈશ્વરપ્રણિધાન છે. આમાં ત્રણ positive છે, બે Negative છે. સાપેક્ષ જીવન જીવનારો જગતમાં નિરપેક્ષ જીવન જીવવાવાળાનું અનુકરણ ન કરી શકે. પણ નિરપેક્ષ જીવન જીવવાવાળાનો આદર્શ હોવો જોઈએ. (૧) પરોપકાર (૨) સત્સંગ (૩) રવરૂપદૃષ્ટિ એ Positive છે. (૧) પરપીડનનો અભાવ (૨) વિકથાનો અભાવ એ Negative છે. બધું હોય પણ સ્વરૂપદષ્ટિ ન હોય તો ન ચાલે. આ પાંચે હોય તો ઈશ્વર પ્રણિધાન કહેવાય !! ક્રિયા ભાવોત્પાદક છે - ઉપાધ્યાયજી કહે છે કે શરમાવર્તી જીવ હોય ને જ્ઞાનીએ બતાવેલી ક્રિયાઓ હોય તો શુભભાવ લાવે જ છે. વરૂપદષ્ટિના લક્ષ્ય કરેલા અનુષ્ઠાનોની એ તાકાત છે. જો તમે ભવ્ય છો, ચરમાવર્તી છો. ભાવમલનો હ્રાસ થયો છે, ચરમયથાપ્રવૃત્તકરણ છે અને જ્ઞાનીઓના કહેલા અનુષ્ઠાનો છે. આ ક્રિયાઓ શુભભાવ લાવે છે. ક્રિયાથી ભાવ આવી શકે છે. ક્રિયામાં એ તાકાત પડી છે. ક્રિયા ભાવ લાવવા સમર્થ છે. તમારું પ્રણિધાન દઢ ન હોય અને ન આવે તો વાત જુદી Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy