SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ રહે છે. છતાં થાક નહીં, ગ્લાનિ નહીં, કંટાળો નહીં. કારણ શું? પરમાત્માના પુણ્યોદયે સમવસરણમાં ભૌતિકતાનું દશ્ય પણ એવું અદ્ભુત, સુંદર હોય છે. ભૌતિકતાની ટોચ, ભૌતિકતાનું શિખર, ભૌતિકતાના પુણ્યોદયે, દેવમાં કે સમવસરણમાં ચઢિયાતો હોય ? દેવોને વૈક્રિય શરીર છે. પરમાત્માને ઓદારિક શરીર છે. છતાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ, ત્રણે લોકમાં અદ્દભૂત, અલૌકિક પરમાત્માનું રૂપ હોય છે. “કોડી દેવ મિલકે કર ન શકે એક અંગૂઠ રૂપ પ્રતિછંદ' મિથ્યાત્વી દેવો પણ ખેંચાય છે. જગતમાં કદી જોવા ન મળ્યું હોય તેવું દશ્ય સમવસરણમાં જોવા મળે છે. એ દશ્ય જ એવું હોય કે જોતાં આંખ ઠરી જ જાય. તીર્થકર નામકર્મના પુણ્યોદયે ભૌતિક વાતાવરણ એવું અદ્ભુત સર્જાય છે. ત્યાં પરમ શાતા અનુભવાય છે. પરમાત્માના પરાકાષ્ઠાના પુણ્યોદયે સવાસો યોજનમાં આવનારા જીવોની અશાતા શાતામાં ફરી જાય છે. અશાતાનું શાતામાં સંક્રમણ થાય છે. અશાતાનો ઉદય શાતામાં Transfer (ટ્રાન્સફર) થઈ જાય છે. જેના સાંનિધ્યમાં રહીએ છીએ તેનામાં પરમાત્મતત્વ (પૂર્ણ) ખીલેલું છે. (૧) ત્યાં તીર્થકર નામકર્મનો રસોદાય એ ભૌતિકતાને સૂચવે છે. (૨) પરમાત્મા પાસે કેવળજ્ઞાન છે, તે આધ્યાત્મિકતાની પરાકાષ્ઠા છે. આમ સમવસરણમાં ભૌતિક પરાકાષ્ઠા અને આધ્યાત્મિક પરાકાષ્ઠા બંને જોવા મળે છે. પછી ત્યાં ગયેલા જીવોને ખસવાનું મન ન જ થાય ને !!! દેવોને પણ પરમાત્મા પાસેથી ખસવું ન ગમે. ૫૦૦ યોજન સુધી મનુષ્યલોકની દુર્ગધ ઉછળે છે. છતાં કંઈ જ નહીં. પરમાત્માના પ્રભાવે બધું ગાયબ થઈ જાય છે. ને દેવો દોડીને આવે છે. દેવલોકમાં પણ આવું ભૌતિકતાનું શિખર નથી. પરમાત્મતત્ત્વ એક જીવ પાસે છે, ત્યાં પણ આવો અદ્ભુત આનંદ મળે છે. અને પરમાત્મતત્ત્વ વિનાના ટોળા ભેગા થાય, તોય એ આનંદ નથી મળી શકતો. યુરોપના એક સંત હતા, તે એકવાર ભારતમાં આવ્યા. તેમને દરિદ્રોદ્ધારક વિનોબાને મળવાનો પ્રસંગ બન્યો છે. આ ઊંચી કક્ષાને પામેલો આત્મા છે. સેવાભાવી છે, ત્યાગી છે, તે વિનોબાને મળવા ઇચ્છે છે. બંને મળ્યા. બંને સાથે અનુયાયી શિષ્યવર્ગ છે, બંનેએ એકબીજાને જોયા. આંખથી આંખ મળી, નિકટ આવ્યા. એક પણ શબ્દના વાર્તાલાપ વિના આનંદ એવો અનુભવ્યો કે ક્યારેય એવો આનંદ અનુભવ્યો નહોતો. જેને મૌન રહેવાથી આનંદ ન મળે તેને બોલવા દ્વારા આનંદ મેળવવો પડે છે. મૌનનો આનંદ ચઢે કે બોલવાનો આનંદ ચઢે? જો મૌનથી આનંદ મળતો હોય તો કોણ બોલે ? વેદન અને વર્ણન બંને સાથે ન થઈ શકે આપણા હાથમાં કેરી આવે ત્યારે બે ચીજ થઈ શકે છે. જીભ દ્વારા કેરીનું વર્ણન થઈ શકે છે અને જીભદ્વારા કેરીનો રસ ચાખી શકાય છે. સ્વાદ લઈ શકાય છે. પણ વર્ણન કરે તે સ્વાદ ચાખી ન શકે. અને સ્વાદ ચાખે તે વખતે વર્ણન ન કરી શકે. બંને ક્રિયા સાથે ન થઈ શકે. કેરીના વર્ણનનો આનંદ ચઢે કે કેરીના સ્વાદનો આનંદ ચઢે ? સમજી શકીએ છીએ કે વર્ણન કરવામાં (બોલવામાં) આનંદ નથી જ. મૌનમાં જ આનંદ છે. અંદરમાં જ ઠરવાનું છે. નિરંતર આત્મામાં આપણે રહી શકતા નથી. આપણે વિકથાના રવાડે ન ચઢી જઈએ, Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy