SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યપ્રાણ ને ભાવપ્રાણ નથી. અજ્ઞાનતાના કારણે ઈશ્વરને કર્તા માને છે. ત્યાં અટકે છે. વિપરીત દિશામાં બોધ વહે છે, તે માટે ગ્રન્થિભેદ થતો નથી. અત્યંતર તપ મહાન છે. અત્યંતર તપ વિના બાહ્ય તપ ખાલી ખોખું બની જાય છે. સ્વાધ્યાય સાચો ત્યારે કહેવાય કે જેમાં જિનવાણીનો રસ પરાકાષ્ઠાનો બનતો જાય. જિનવાણીનું શ્રવણ એ અપૂર્વ સ્વાધ્યાય છે. વિકથા છોડવા માટે સતત ભક્તિ, સતત સત્સંગ કરવાનું કહ્યું છે. ક્રિયા એ પુદ્ગલનો ધર્મ છે. આત્માનો ધર્મ નથી. પુદ્ગલમાં સારી-ખરાબ બન્ને ક્રિયાઓ રહેલી છે. જો સારી ક્રિયા નહીં કરો તો ખરાબ ક્રિયા કર્યા વિના જીવ નહીં રહે. જીવને જ્યાં સુધી મતિજ્ઞાન છે, છદ્મસ્થાવસ્થા છે, ત્યાં સુધી કંઈ ને કંઈ વિચાર હોય જ છે. સત્સંગ દ્વારા સારી વિચારણા નહીં કરો તો આત્મા વિકથા કર્યા વગર રહેશે નહીં. ખોટી ક્રિયાથી બચવા માટે સારી ક્રિયા સતત કરવાની છે. ખોટા ભાવથી બચવા માટે સારા ભાવ કરો. સ્વાધ્યાય ન કરીએ તો અનન્ય-ગત્યા ખરાબ ભાવો આવી જાય છે. દ્રવ્યપ્રાણ ને ભાવપ્રાણ સ્વાધ્યાય વિના, સત્સંગ વિના, ભક્તિ વિના આત્માના ભાવ પ્રાણ ટકી શકતા નથી. દ્રવ્યપ્રાણ દસ છે. જેના બળે જીવ સંસારમાં જીવે છે. તે દ્રવ્યપ્રાણ નીકળે એટલે જીવનું મૃત્યુ થાય. ભાવપ્રાણ કેટલા ? આત્માના જ્ઞાનાદિ ગુણો - જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, ઉપયોગ એ ભાવપ્રાણ છે. સ્વાધ્યાય, સત્સંગ, ભક્તિ વિના ભાવપ્રાણ ટકી શકતા નથી. જેટલો ટાઈમ કાયભાવમાં જીવ રહે તેટલીવાર ભાવપ્રાણ મરવા પડે છે. ભવમરણ અનેકવાર થાય છે. દ્રવ્યમરણ જીવનમાં એકવાર થાય છે.અને ભાવમરણ જેને વધારે તેને દ્રવ્યમરણ વધારે છે. ભાવમરણ અટકાવ્યા વિના દ્રવ્યમરણ અટકે નહીં. દ્રવ્યમરણ ન જોઈતું હોય તો ભાવમરણને અટકાવો, ચારિત્ર લીધા પછીથી જેને સ્વાધ્યાય નથી ગમતો તેના જીવનમાં સાધુતાનો આસ્વાદ આવી શકતો નથી. સાધુતાનો આનંદ એ સ્વાદ છે. સ્વાધ્યાય વિના સાધુતા ટકે નહીં પણ સ્વાધ્યાયનો રસ એવો ગાંડો ન હોવો જોઈએ કે એ ગુરુની ભક્તિ આદિ ન કરવા દે. ગુરુભક્તિ ચઢે કે સ્વાધ્યાય ચઢે ? એકબાજુ જ્ઞાન છે, બીજી બાજુ ગુરુભક્તિ છે. સ્વાધ્યાય કરતાં ગુરુભક્તિ ચઢે છે. કેમ કે ગુરુ મહાજ્ઞાની છે. જ્ઞાની ગુરુનાં બહુમાન, આદર વિના જ્ઞાન ભણો તો તે જ્ઞાન પરિણામ ન પામે, પચે નહીં. શાની ઉપર પ્રેમ-આદર બહુમાન વિનાનું જ્ઞાન એ શુષ્કજ્ઞાન છે. જ્ઞાન ચઢે કે ભક્તિ ચઢે ? ગુરુ એ ચારિત્રધર છે, ગુરુ સંયમી છે, ગુરુ જ્ઞાની છે, ગુરુ મહાન તત્ત્વ છે. એની ભક્તિ, બહુમાન વિના જ્ઞાન ન મળે. ૧૯૬ આપણે કોના જેવું થવું છે ? તે પહેલાં નક્કી કરો, તેનું મોડલ નક્કી કરો. મતિજ્ઞાનનાં ઉપયોગમાં એનો જ ફોટો પડ્યા કરવો જોઈએ. ગુરુ જ્ઞાની-અનુભવી હોવા જોઈએ. જો એને જ માર્ગનો બોધ ન હોય અને જો ઊંધે રવાડે ચડી જઈએ તો કેટલું નુકસાન થાય ? જ્યાં સુધી ગ્રહણશિક્ષા અને આસેવન શિક્ષા વડે આત્મામાં ગુરુત્વ આવતું નથી ત્યાં સુધી ઉત્તમ ગુરુની સેવા-ભક્તિ છોડવી ન જોઈએ. જ્ઞાનસારમાં ઉપાધ્યાયજી કહે છે કે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy