SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૫ યોગદષ્ટિનાં અજવાળાં_ભાગ-૨ સ્વાધ્યાય સમાન બીજો કોઈ તપ નથી જેને સ્વાધ્યાયમાં રસ નથી, તે વિકથા જ કરે છે. ડીટેક્ટીવ સાહિત્ય, નોવેલોનું વાંચન પણ વિકથા છે. વિકથાના સંસ્કાર ભવોભવના પડેલા છે. આજે પુદ્ગલ મળે ને તન્મય થઈ જઈએ છીએ. પુલની પાછળ ગાંડા થઈ જઈએ છીએ. પુલ મળે ને ઉપયોગ ખેંચાઈ જાય છે, એ અનંતભવની વિકથાના સંસ્કારોનું ફળ છે. સ્વાધ્યાય મનુષ્યગતિમાં છે. આર્યજાતિ અને આર્યકુળમાં તો સ્વાધ્યાય એ જ મોટો તપ છે એમ જ્ઞાનીઓ કહે છે. સાધનામાં વિવેક જરૂરી સાધુને એકાસણું મોટો તપ છે કે ઉપવાસ મોટો તપ છે ? “ઈમાં ૨ જોય” એનો અર્થ શું કરવાનો? એકવાર ખાવું એ અર્થ છે. એનો અર્થ શું કરવાનો? એકાસણું કે આયંબિલ ? જો વિગઈ વિના તમારા સ્વાધ્યાયાદિ ટકી શકતા હોય તો વિગઈ ન વાપરો. અને વિગઈ વિના તમારા સ્વાધ્યાયાદિ ન ટકી શકતા હોય તો વિગઈ વાપશે. વિગઈનો ટેકો આપવો પડે તો આપો. અમારે એનો આગ્રહ નથી. પણ એક વાર વાપરવાનું, એકવાર ભોજન કરવું, એ વાત જરૂરી છે. તેનાથી નિરંતર સ્વાધ્યાયમાં રહેવાય છે. પુદ્ગલભાવમાંથી નીકળીને આત્મભાવમાં રહેતા શીખવાનું છે. જ્ઞાનદશામાં રહેવું એ જ તપ છે. આત્મસ્વરૂપમાં રહેવું એ મોટો તપ છે. અને એ આત્મભાવમાં રહેવા માટે જે વખતે જે ઠીક લાગે તેનો વિવેક કરીને આગળ ચાલો. આત્મભાવમાં રહેવાનું છે. ભોજન સમયે ખાવું-પીધું, ચાર દ્રવ્ય વાપર્યો કે ચોવીશ દ્રવ્ય વાપર્યા, તેની ઝાઝી ચર્ચા ન કરો. ભોજન ક્રિયા પતાવી દેવાની છે. ભોજન વખતે પણ આત્મભાવમાં રહેવાનું છે, અને ભોજન કર્યા પછી પણ આત્મભાવમાં રહેવાનું છે. સાધનનો સાધનભાવે ઉપયોગ કરી લ્યો. દિગંબરની જેમ વસ્ત્રાદિનું ખંડન ન કરાય, વાદ-વિવાદ ન હોય, આગ્રહ ન જોઈએ. જે ચીજ આત્માને આત્મભાવમાં રાખે તેનું ખંડન ન કરાય. સાધક આત્મભાવમાં રહેવા માટે જે સાધન જરૂરી લાગે, તે અપનાવી શકે છે. ઓછા-વધતા રાખી શકે છે. આપણે જે ચીજ વાપરતા ન હોઈએ તે બીજા અપનાવતાં હોય તેમાં એકાંતે આગ્રહ ન રખાય. નહીંતર ગ્રન્થિભેદ ન થાય. અન્યદર્શનમાં ગ્રંથિભેદ અશક્ય નહીં પણ દુરશક્ય જરૂર છે પતંજલિ સજ્જનતામાં, મહાનતામાં, મેત્રાદિભાવોમાં રમે છે. ક્યાંય કષાય નથી, માટે પૂ. હરિભદ્રસૂરિ મહારાજ તેને મહર્ષિ કહે છે. પતંજલિને મહર્ષિ કહ્યા, તો પણ તે ચોથી દષ્ટિમાં છે. હજી ગ્રસ્થિભેદ નથી થયો. પણ એ લોકો ગ્રન્થિભેદ જરૂર કરશે. બીજી ઘણી બધી સારી વાતો તેમની પાસે છે, પણ કોઈ એકાદ વાતના આગ્રહના કારણે તેઓ અટકે છે. જેમ કે ઈશ્વર જગત્કર્તા છે. કારણ કે ઈશ્વર વિના આ બધી ચીજ કઈ રીતે ઘટી શકે? ઈશ્વરકર્તુત્વ તેમની બુદ્ધિમાંથી ખસતું નથી. આપણે ત્યાં જસ્થાનની શ્રદ્ધા થાય તો સમ્યકત્વની પ્રાપ્તિ શક્ય બને છે, (૧) આત્મા છે (૨) તે પરિણામી હોતે છતે નિત્ય છે. (૩) કર્મનો કર્તા છે (૪) કર્મના ફળનો ભોક્તા છે (૫) મોક્ષ છે અને (૬) મોક્ષનો ઉપાય છે. જેનેતરોને આ છ સ્થાનોમાં પૂર્ણ શ્રદ્ધા Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy