SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ આર્ય દેશ મહાન કેમ ? ૧૯૪ વીતરાગતાની, કેવળજ્ઞાનની વાતો ચારે બાજુથી સાંભળવા મળતી નથી. સંસારની વાતો ઠામ-ઠામ ચોરે, ચીટે જોવા મળે છે. જીવનું માનસ છે કે જે સાંભળે, જે જુએ, જેનું આલંબન લે છે, તો તેના જેવો તે થાય છે, તે માટે, શું થયું છે? મારે કોના જેવું થયું છે ? એ પહેલાં નક્કી કરો. એટલે ધ્યેય આવી જાય છે. તમારે વીતરાગ થવું છે ? કેવળજ્ઞાન પામવું છે? આ લક્ષ્ય નક્કી છે ? એના કારણભૂત વિરતિ, સમ્યકત્વ જોઈએ છે ? એ નક્કી કરો. આર્ય દેશ મહાન કેમ ? આપણા આર્ય દેશને મોક્ષલક્ષી સ્થાન મળ્યું છે. આર્ય-ધર્મોમાં મોક્ષલક્ષી જ વાત હોય. આસ્તિક તે કહેવાય જેને આત્મા-પુણ્ય-પાપ-સદ્ગતિ, પરલોક, પરમલોકની વાત ગમે. અભવ્ય બધું જ માને છે. આઠ તત્ત્વ માને છે, પણ એ આસ્તિક નથી. પરમલોક જે મોક્ષ છે, તે માનતો નથી. બધું જ માને પણ સાથે પરલોક પણ માને તો આસ્તિક કહેવાય. આર્યદેશની મહાનતા આ છે. આ માન્યતાથી જ આર્યદેશના જીવો જીવતા હોય છે. આર્યત્વ આના ઉપર જ ખીલી રહ્યું છે. જ્યારે આર્યદેશમાં અનાર્યત્વની લેશ માત્ર છાયા ન હોય ત્યારે આત્માનો વિકાસ કેવો થાય ? તે કાળે આ દેશમાંથી કેટલા સંતો-મહંતો-મહાપુરુષો પાક્યા છે? આ વિશ્વમાં સૌથી વધારે મહાપુરુષોની દેન કોણે આપી છે ? જ્યારે આર્યદેશનું આર્યત્વ પુરબહારમાં હોય, પુણ્ય-પાપ, સદ્ગતિ-દુર્ગતિ, પરલોકપરલોકની વિચારણા જ્યાં ખૂબખૂબ ચાલે, તે ભૂમિ ઉપર મહાપુરુષો પાકે છે. જ્યાં ઘરઘરમાં માતાઓ, દાદીમાઓ નાના નાના બાળકોને સંધ્યાકાળે-રાત્રે ભેગાં કરી મહાપુરુષોની કથાઓવાર્તાઓ કહેતી હતી, જ્યાં આત્મા-પરમાત્માની વાતો થતી હતી, તેવા દેશમાં મહાપુરુષો પાક્યા છે. સૌથી વધુ મહાપુરુષો ગુજરાતની ધરતી ઉપર પાક્યા છે. ભારતમાં પણ ગુજરાતમાં જન્મ પામવો એ અતિ પુણ્યનો ઉદય છે, અહિં માણસના લોહીનાં કણેકણમાં અહિંસાના સંસ્કાર પડેલા છે. કારણ કે આ ભૂમિમાં માનવની રગેરગમાં અહિંસા કુમારપાળ મહારાજા વગેરેએ ફેલાવી છે. તેનો ધબકાર પ્રત્યેક જીવોમાં હતો. કેટલાક વર્ષો પહેલાની વાત છે. રાજકોટમાં ઢેબરભાઈ હતાં. તે સૌરાષ્ટ્રના ચીફ મિનિસ્ટર હતાં. તે સૌરાષ્ટ્રમાં કતલખાનું ખોલવા નીકળ્યા. હળવદ પાસે કતલખાનું નાંખવા આવ્યા. દીપચંદ વખતચંદ કહે - અહીં કતલખાનું નહીં ખોલાય, પેલા કહે ૧૦ કિ.મી. દૂર નાંખીશ તો તેમણે કહ્યું ૪૦-૫૦ કિલોમીટર દૂર પણ નહીં નંખાય. તો પેલા કહે મને ઓળખે છે? હું સૌરાષ્ટ્રનો ચીફ મિનિસ્ટર છું. ત્યારે તેમણે કહ્યું-તમે મને ઓળખો છો ? હું આખા હિન્દુસ્તાનના મહાજનના પ્રમુખ છું. હૃદયમાં આવી ભાવના હતી. કે આ પાપ તો ન જ જોઈએ. ખપી જવું પડે તો ખપી જઈશ. પણ આપણે જીવતા હોઈએ ને આ પાપ તો. ન જ થવા દેવાય. આખરે કતલખાનું ન નાંખવા દીધું. - જ્ઞાનીઓએ સ્વાધ્યાયને મહત્ત્વ આપ્યું છે. વીતરાગતા અને કેવળજ્ઞાનને બહુ ઘુંટ ઘુંટ કરશું તો તેના સંસ્કાર પડશે, તો આપણે આગળ વધી શકીશું, ને સંસાર તરી જઈશું. આપણે વીતરાગતાને રાગાદિ જેવા સમજીએ છીએ માટે વીતરાગતાની ઝાંખી નથી. આપણે કેવળજ્ઞાનને મતિજ્ઞાન જેવું સમજીએ છીએ માટે કેવળજ્ઞાનની ઝાંખી થતી નથી. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy