SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ ભાવશૌચ બીજી દષ્ટિમાં કેવા નિયમો હોય છે. અને આ દષ્ટિમાં રહેલો જીવ કેવી ઇચ્છા ધરાવે છે તે બતાવે છે. ભાવશૌચ એટલે અંતકરણની શુદ્ધિ, તે બ્રહ્મચર્યના પાલન વગેરેથી થાય છે. અબ્રહ્મ અંતઃકરણને મલિન કરે છે. જીવનમાં મૈત્રાદિ ભાવો ન આવે તો પણ અંતઃકરણની શુદ્ધિ ન થાય. અને અંત:કરણની શુદ્ધિ માટે પુલ પ્રત્યે વૈરાગ્ય આવવો જરૂરી છે. અનિત્યાદિ ભાવનાઓનું નિરંતર સેવન કરવામાં આવે તો વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. અને આ વેરાગ્ય સાચો ત્યારે બને છે જ્યારે જીવો પ્રત્યે મૈત્યાદિ ભાવો ખીલતા રહે. જેમ જેમ જીવો પ્રત્યે પ્રેમ આવે તેમ તેમ કષાયનો નાશ થાય છે. કષાયનો નાશ થતાં ગ્રન્થિભેદ શક્ય બને છે. પ્રેમતત્ત્વની ખીલવણી વગરનો વૈરાગ્ય એ ખાલી વૈરાગ્ય છે. શુષ્ક વૈરાગ્ય છે; વૈરાગ્યાભાસ છે. આપણાથી વિપરીત વિચારણા ધરાવનાર પ્રત્યે આપણને દ્વેષ આવે છે. વેરી પ્રત્યે પણ ઊંડાણમાં ખેદ હોય તો ભાવશોચ ન આવે. અંત:કરણની નિર્મળતા એ ભાવશૌચ છે. રાગ ન હોવો જોઈએ. તેમ ‘ષ પણ ન હોવો જોઈએ. રાગ-દ્વેષ બંને ઘટે ત્યારે વાસ્તવિક ભાવશૌચ આવે છે. જીવ રાગને, દ્વેષને તોડીને પ્રેમતત્વ ખીલવે છે. રાગ ચારિત્રમાં નડતર રૂપ છે.પણ પ્રેમ ચારિત્રમાં પુષ્ટિ રૂપ છે, ચારિત્રને અટકાવનાર રાગ-દ્વેષ છે. આ બેના અભાવમાં પ્રેમતત્ત્વ ખીલે છે. પ્રેમતત્વની ખીલવણી વગર જીવ ગુણસ્થાનકમાં આગળ વધે નહીં. સ્વાધ્યાય સ્વાધ્યાય જેને નિરંતર ગમે તેને સંસારની બીજી એક પણ પ્રવૃત્તિ ન ગમે. સ્વાધ્યાયરસ વિના આ ન બને. આપણી અંદરમાં પડેલા દોષોનું જે સંશોધન કરે તે સ્વાધ્યાય કહેવાય. આજે આપણને આપણા દોષો દેખાતા નથી હોતા. કારણકે હકીકતમાં અંદરમાં સ્વાધ્યાય નથી. પોતાના દોષો દુરબીનથી પણ ન દેખાય. અને બીજાના દોષો માઈક્રોસ્કોપ વિના પણ દેખાય છે. ભાવનાયોગ પણ સ્વાધ્યાય છે. પુસ્તક વાંચે, ગાથા ગોખે તે જ સ્વાધ્યાય કહેવાય એવું નથી. સ્વાધ્યાય પાંચ પ્રકારે છે. વાચના પૃચ્છના આદિ પાંચ પ્રકારના સ્વાધ્યાય જેને ગમી જાય તેના ભવના ફેરા ટળી જાય. જેને સ્વાધ્યાયમાં રસ હોય તેને ડીટેક્ટીવ નવલકથાઓ, છાપાઓ વગેરે કંઈ ન ગમે. આ બધી ચીજો સંસારમાં રખડાવનાર છે. પરિભ્રમણ વધારનાર છે. છાપા વાંચવા અને સ્વાધ્યાયમાં શું ફરક ? છાપા વાંચવા સ્વાધ્યાય ગણાય? છાપા વાંચ્યા પછી જો વૈરાગ્ય વધતો હોય તો ચાલો, સ્વાધ્યાય કહેવાની છૂટ, પણ છાપા વાંચ્યા પછી વૈરાગ્ય વધે છે કે વિકથા વધે છે ? જ્ઞાનીઓએ વિકથા કરવાની ના કહી છે. મનુષ્યસ્વભાવ છે કે જે વસ્તુ બહુ સાંભળવા મળે, જે વસ્તુ બહુ જાણવા મળે, જે વસ્તુ બહુ જોવા મળે, તે ચીજ તેને મેળવવાનું મન થાય છે. કેવળજ્ઞાન, વીતરાગતા મહાન છે, એ મેળવવાનું મન થતું નથી. કારણકે આજે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy