SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ સંતોષ ૧૯૨ માટે જીવન છે? એ વિચારવા જેવું છે. ખાવા-પીવાની ઇચ્છા આત્મા તરફ વળ વા દેતી નથી. સંતોષ આવે તો જ પાછળના ત્રણ નિયમો આવે છે. મળેલી સામગ્રીથી વિરામ પામવાનું છે. જ્યારે આત્મા પર ઈચ્છા કબજો લે છે, એટલે ધર્મ જાય છે. માટે જ લોભ છેલ્લો મૂકયો. લોભ ઉપર જ બધા કષાયો ટકે છે. તૃષ્ણા નામની વેદિકા છે. વિપર્યાય એટલે વિપરીત બુદ્ધિ-વિપરીત માન્યતા નામનું સિંહાસન છે. તેના ઉપર મોહરાજા બેઠેલો છે. અવિદ્યા નામની તેની ગાત્રયષ્ટિ છે. તૃષ્ણાની વેદિકા ઉપર જ મોહ ટકી શકે છે. તૃણા અને અજ્ઞાન પેરેલલ ચાલે છે. તૃષ્ણાનો નાશ કરવો હોય તો અજ્ઞાનનો નાશ કરવો જ પડે. સંતોષી માણસ તપ કરે ત્યારે તેને જે ચીજ ખાવા મળે તેમાં વાસ્તવિક સંતોષ આવી જાય છે. તપના ૧૨ પ્રકાર છે. બીજા કોઈ શાસનમાં આ ૧૨ પ્રકાર બતાવ્યા નથી. “તના નિર્મા ૨ ” આત્મા જેટલો તપમાં ઠરે તેટલી નિર્જરા વાસ્તવિક થાય. એક એક બાહ્ય તપ કરતા એક એક અત્યંતર તપથી નિર્જરા અસંખ્યગુણી છે. એ જેમ સાચું છે તેમ એક અત્યંતર તપ બાહ્ય તપથી ટકે છે એ પણ એટલું જ સાચું છે. માટે જ બંને તપ જરૂરી છે. ચોવિસ કલાકનો તપ અને જીવનભરનો તપ કરવાનો છે. માટે અનશન કરતાં ઉણોદરી મહાન છે. (૪) સ્વાધ્યાય : શ્રેષ્ઠ સ્વાધ્યાય કોણ કરી શકે ? શાસ્ત્રોનો સ્વાધ્યાય આત્મામાં ઉતરવા માટે છે. અતિશય ખાવાથી જીવ પ્રમાદી બને છે. તે સ્વાધ્યાયમાં લીન બની શકે? સ્વાધ્યાય દ્વારા પોતાના આત્માના દોષો દેખાવા જોઇએ. જેને દોષોનું દર્શન ન થાય તો તેનો સ્વાધ્યાય દેખાવનો છે. સ્વાધ્યાયરસિક આત્મા પદે પદે બાહ્ય ભાવને પકડે ને આત્માને ઉભો રાખે કે તું કયાં છે? આત્માના દોષોનું સંશોધન કરાવે તે સ્વાધ્યાય છે. આવો સ્વાધ્યાય જીવને આગળ લઈ જાય છે. છાપાથી ભવના ફેરા વધે છે. શાસ્ત્ર સ્વાધ્યાયથી ભવના ફેરા ટળે છે. (૫) ઈશ્વર પ્રણિધાન : પરમાત્માનું ચિંતન. સ્વાધ્યાયમાં તત્ત્વોનું ચિંતન હોય છે. અહીં પરમાત્માના સ્વરૂપનું ચિંતન કરવાનું છે. પરમાત્માનું ધ્યાન ચિત્તથી કરવાનું છે. પરમાત્માનું ધ્યાન કરવું હોય તો ચિત્તને સાફ કરવું જોઈએ. ભાવશૌચ જરૂરી છે. મન જયાં સુધી કામ, ક્રોધ, મદ, અહંકાર, ઈર્ષા, દ્વેષ આદિ ભાવોથી ભરપૂર છે. ત્યાં સુધી ભાવશૌચ કયાંથી પ્રાપ્ત થાય ? Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy