SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ . (૩) તપ- ખાવા પીવાની ક્રિયા બધી વિડંબના રૂપ લાગે છે ? ખાવું એ મારું સ્વરૂપ નથી. તીવ્ર આહાર સંજ્ઞાના પ્રતાપે તંદુલીયો મત્સ્ય સાતમી નરકે ગયો. ત્યાં કાયા નાનકડી જ છે. તંદુલ એટલે ચોખાના દાણા જેવડી જ છે. કાયબળ નથી, પણ મનોબળ મજબૂત છે. માટે કિલષ્ટમાં કિલષ્ટ પરિણામ કરી શકે છે. આપણે આજે પાપો કરીને, મરીને નરકમાં જઈએ તો બે નરક સુધી જવાય. દુઃખને સહન કરવા માટે મનોબળ અને કાયબળ બંને જોઈએ. અજ્ઞાન કેટલું ખરાબ છે ને દુઃખો કેવા ભોગવવા પડે છે તેનો ખ્યાલ આવવો જોઈએ. નિગોદનું દુઃખ વધારે કે નરકનું દુઃખ વધારે ? નિગોદના જીવોને મન જ નથી. નારકીને મન છે. નરકમાં ચાર ઠાણીયા અશાતાનો ઉદય છે. વ્યકત વેદનાની અપેક્ષાએ નારકીને જે દુઃખ છે તેવું નિગોદમાં નથી. નરકમાં વધુમાં વધુ ૩૩ સાગરોપમે છૂટકારો છે. જયારે નિગોદમાં અનંતો કાળ રહી શકાય છે. અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ સુધી નિગોદમાં જન્મ - મરણ થાય છે. એક શરીરમાં એક સાથે અનંત જીવોને રહેવાનું. આહાર, શ્વાસોશ્વાસ વિગેરે બધા જીવોનું એક સાથે જ. એક આંખના પલકારામાં એક શ્વાસોશ્વાસમાં ૧૭ વાર મરણ અને ૧૮ વાર જન્મ હોય. આવા જન્મ-મરણના દુઃખો ત્યાં છે. આને લક્ષ્યમાં રાખીને શાસ્ત્રમાં નરક કરતાં નિગોદનું દુઃખ અનેક ગણું વધારે કહ્યું છે. નિગોદમાં સમકિત પામી ન શકાય. નરકમાં સમકિત પામી શકાય છે. નિગોદમાં દુઃખ અવ્યકત છે. નરકમાં તીવ્ર અશાતાનો ઉદય છે. તીવ્ર વેદના છે નારકીનું એક એક દુઃખ મનુષ્યના દુઃખ કરતાં અનંત અનંત ગણું છે. ત્યાં સમાધિ રાખવી કઠિન છે. સંસારી જીવ અજ્ઞાન અને મોહથી જ ભરેલા છે. આત્માને કઇ રીતે બચાવાય ? આત્માને અશુભભાવમાંથી બચાવનાર કોઈ નથી. માનવ, માનવ બનીને વધુ ખાય - વારંવાર ખાય તો તે પશુ બને છે. માણસ બેથી વધુ વાર ખાય તો નુકશાન જ છે. છતાં ખાવામાં મર્યાદા હોવી જરૂરી છે. એકવાર ખાય તે આચારી કહેવાય, (૧) ભગવાને પણ “એગભd ચ ભોયણ” કહ્યું છે. શરીર છે તેને ખોરાક આપવો પડે, ૨૪ કલાકે તેને એકવાર ખાવાનું આપી દો. તેનો ખાડો પૂરી દો એટલે કામ પતી જાય છે. હવે બે વાર ખાય તે વેપારી (૨) તે વ્યાપારમાં વ્યગ્ર હોવાથી એકવાર ખાવાથી ન નભે. સાંજે ફરી ખાય, ત્રણવાર ખાય તે વ્યવહારી (૩) વ્યહારમાં બેઠો છે. કોઈને ઘરે જાય તો ચડા-ફોકી નાસ્તો લેવો પડે. ચાર વાર ખાય તે ભીખારી, (૪) ભીખ માંગી માંગીને પેટ ભરે છે. એક ટંકે પેટ પુરતું ખાવા મળતું નથી. માંડ માંડ ભીખ મળે છે. ચાર વાર ખાય ત્યારે પેટનો ખાડો ભરાય છે. પાંચવાર ખાય તે પશુચારી (૫) બિચારા પશુઓ ભટકી ભટકીને પેટ ભરે છે. હવે છ વાર ખાય તેના માટે કોઈ શબ્દ જ નથી. જીવવા માટે ખાવાનું છે ? કે ખાવા Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy