SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ સંતોષ - ૧૯o આવતાં તરત જ જે મનોભૂમિ ઉપર યુદ્ધ ઉભું કર્યુ હતું, ત્યાં જ સમવસરણ ઉભું કર્યું. પશ્ચાત્તાપની ભઠ્ઠી સળગી ઉઠી. મનનું સંશોધન કરવા માંડયું. પહેલાં જે સંક્લેશનાં પરિણામ હતાં. તેમાંથી પાછા ફર્યા. અધ્યવસાય સુધરતાં ચાલ્યા, વિશુધ્યમાન બનવા લાગ્યા. પડયા ત્યારે પડયા અને ચઢયા ત્યારે એવા ચઢયા કે અટકતાં જ નથી. સાધુપણાના અધ્યવસાયથી પણ આગળ વધ્યા, વિશુદ્ધ, વિશુદ્ધતર, વિશુદ્ધતમ અધ્યવસાય ઉપર ચઢયા, ક્ષપકશ્રેણી લાગી ગઇ, વીતરાગ બનીને કેવળજ્ઞાન પામીને રહ્યા. મન એ જ જગતમાં મહાન છે. મનનું શુદ્ધિકરણ કરવાનું છે. નિમિત્ત પામીને સફળ થવાનું છે. મનનાં વિકારોને સાફ કરતાં જવાનું છે. જે મનને શુદ્ધ કરે છે. તે જ સંસાર સાગરને તરી જાય છે. હવે બીજો નિયમ સંતોષ કહે છે. સંતોષ (૨) સંતોષ ઃ અધ્યાત્મને પામવા સંતોષ બહુ જરૂરી છે. આપણી પાસે ઇચ્છાઓનું ચક્ર ચાલે છે. તેને મેળવવા આત્મા પ્રયત્ન કરે છે. પ્રાપ્તિ કરે છે. એક ઈચ્છા પૂર્ણ કરે ત્યાં બીજી ત્રણ ઈચ્છા ઉભી થાય છે. એ ત્રણ પૂરે ત્યાં તેર ઉભી થાય છે. અતૃપ્ત આત્માને ઇચ્છાઓનો અંત જ નથી. ઇચ્છામાંથી ઝંખના પેદા થાય છે. સંસારની ચીજો આવશ્યક છે. પણ તે પ્રામાણિકપણે મેળવવી જોઈએ. અને પછી ઠરી ઠામ થવું જોઇએ અને આત્માની વિચારણા કરવી જોઇએ. કર્મના ઉદયે જે પરિસ્થિતિમાં મૂકાયા છો તે બરાબર લાગે છે? Positive approach જોઈએ. પ્રાપ્ત વસ્તુમાં સંતોષ જોઇએ. મનની ભૂખ ભાંગી શકાય તેમ છે જ નહીં. પુગલનું વિચિત્ર સ્વરૂપ ઓળખાય તો સંતોષ પ્રાપ્ત થાય અને ચિત્ત શાંત બને છે. અને શાંત ચિત્ત ધર્મ કરી શકે છે. ગ્રન્થિભેદ કયારે થાય? અંદરમાં નવી નવી ચીજોનાં-ઇચ્છાના ફણગા ફુટે ત્યારે ગ્રન્યિભેદ ન થાય. ઈચ્છા ખરાબ ચીજ છે, મળે તો પણ નુકશાન અને ન મળે તો પણ નુકશાન. ગરીબને ખાવાનું કેમ મળે તેની ચિંતા હોય છે. અને શ્રીમંતને ભૂખ નથી લાગતી તેની ચિંતા હોય છે. ગરીબને કેમ ભૂખ ભાંગે તે પ્રશ્ન મુંઝવતો હોય છે. શ્રીમંતને કેમ ભૂખ લાગે તે પ્રશ્ન મુંઝવતો હોય છે. ઉપયોગમાંજ સંસાર છે, ઉપયોગમાંજ મોક્ષમાર્ગ છે, અને ઉપયોગમાંજ મોક્ષ છે. સંસારની બધી બાહ્ય પ્રવૃત્તિથી અટકતા શીખવું જ પડશે. અંદરમાં હાયવોય હોય તો ધર્મની પ્રવૃત્તિ કયાંથી સારી થશે ? તત્ત્વને પરિણાવવાનું છે. વૈરાગ્ય પામવાનો છે. જેમ જેમ પદાર્થની ઇચ્છા તેમ તેમ કષાય થાય છે. અને કષાય ઉપયોગમાં હોવા તે જ સંસાર છે ને ઉપયોગમાં ઉપશમ ભાવ તે મોક્ષમાર્ગ છે. જયાં સંસાર છે. ત્યાં જ મોક્ષ છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy