SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ જે ક્રિયા કરતાં કરતાં હું શ્રાવક છું એવું ભૂલાઇ જાય તો પાપ કરવા સહેલા છે. ક્રિયા કરતાં દેવ, ગુરૂ, ધર્મ, કુળ યાદ આવે. તો જ પાપથી બચી શકાય. જાતનું ભાન ભૂલાયા પછી જ પાપ થઇ શકે છે. ‘હું સાધુ છું તે ભૂલાઇ ગયું, ક્રિયા બદલાઇ ગઇ, રૌદ્રધ્યાન આવી ગયું. તેમાં એકાગ્રતા આવી ગઇ અંતઃકરણ મલિન બન્યું, સાતમી નરક ગતિ પ્રાયોગ્ય કર્મબંધ કરે છે. અંતઃકરણ કેટલું કિલષ્ટ બને, ત્યારે સાતમી ન૨કના દળિયા બંઘાય ? જેને અંતઃકરણને પવિત્ર કરતાં આવડે. તેજ સાચા ધર્માત્મા બની શકે છે. વેષ પણ ઘણા પાપથી બચાવે છે. “વેષોઽપિ પમાાં ” માથું મુંડાવાથી શું ? એવું ન કહેવાય, કુળ, માતા - પિતા, અને વાતાવરણને કારણે આપણે ઘણા પાપથી બચી શકીએ છીએ, આર્યદેશનો માનવ કદાચ પાપ પ્રવૃત્તિ કરવા જાય તો તરત તે મારા પિતા કોણ ? મારી માતા કોણ ? મારું કુળ કયું ? આવા વિચારો કરે તો તે ઘણા પાપોથી બચે છે. કુળની ખાનદાની ઘણા અનર્થોથી બચાવે છે. જૈન શાસનનો લોકોત્તર વિનય પણ અદ્ભૂત છે. જેમાં દવિધ સામાચારીનું પ્રતિક્ષણ પાલન હોય છે. જેનાથી સ્વચ્છંદતાનો નાશ થાય છે. આત્માની પૂર્ણ સ્વતંત્રતા પ્રગટ થાય છે. મર્યાદા એ બંધન નથી. પણ મુકિતનો માર્ગ છે. અમારે ત્યાં દરેક વસ્તુ પૂછી - પૂછીને કરવાનું વિધાન છે. જેનાથી અહંકાર તૂટે છે. કરતાં પહેલા જણાવો અને ક૨વા જતી વખતે જણાવો અને કર્યા પછી પણ જણાવો, મર્યાદાનું પાલન તે ધર્મ, અને તેનો ભંગ તે અધર્મ છે. વ્યવહાર ધર્મ ઉપયોગી છે. પ્રસન્નચન્દ્રને નરકના દળિયા બંધાયા હતાં. પણ નરકનું આયુષ્ય નહોતું બંધાયું, કયા પરિણામમાં આયુષ્ય બંધાય ? શાસ્ત્રો કહે છે “ઘોલમાન પરિણામે આયુષ્ય બંધાય છે.” ૧૮૯ સડસડાટ આત્મા ચઢતો હોય ત્યારે આયુષ્ય ન બંધાય અને સડસડાટ આત્મા પડતો હોય ત્યારે પણ આયુષ્ય ન બંઘાય. પણ મધ્યમ પરિણામે આયુષ્ય બંધાય છે. પરિણામો સ્ટેજ ઉપર નીચે થતાં હોય ત્યારે આયુષ્ય બંધાય તે વખતે જીવ અશુભ વિચારોમાં હોય તો દુર્ગતિનું આયુષ્ય બાંધે છે. જયારે જયારે ખબર પડે ત્યારે ખરાબ વિચારથી અટકો છો ? આભોગથી કરેલા પરિણામ વિશેષ કેટલું નુકશાન કરે છે ? પ્રસન્નચન્દ્રે મનોભૂમિકા ઉપર યુદ્ધ શરૂ કર્યું છે. એક પછી એક શસ્ત્રો ફેંકયા, છેવટે શસ્ત્રો ખૂટ્યા, રાજા હતો-એટલે છેવટે માથાનો મુગુટ ફેંકવાની તૈયારી કરે છે. તે વખતે માથા ઉપર હાથ જાય છે. ત્યાંજ તેઓ ચોંકી જાય છે. અ૨૨૨ ! મેં આ શું કર્યું ? હું કયાં છું અને શું વિચારો કરી રહ્યો છું ? માથા પર મુગુટ જ નથી. માથે મુંડન કરેલું છે. આ મુંડનનો પ્રભાવ છે. દ્રવ્યવેષ પણ કેટલો ઉપયોગી છે ? કેટલું કામ કરે છે ? જે અધ્યવસાયોમાં નીચે ને નીચે જ ઉતરતાં જતાં હતાં. જયાં ન૨ક પ્રાયોગ્ય કર્મના બંધ કર્યા હતાં. ત્યાં મસ્તક ઉપર હાથ ગયો. માથે મુંડન હતું, મુગુટ તો હતો નહીં. ત્યાં જ હું કર્યાં છું ? હું કોણ ? હું સંયમધર, હું ચારિત્રી, હું પ્રભુ મહાવીરનો શિષ્ય !! કયાં મારૂં ચારિત્ર ને કયાં અત્યારે હું ? એ ખ્યાલ Jain Education International_2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy