SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવશૌચ ૧૮૮ છે. આના પરિણામે જ ઘર્મઘોષ મુનિ મળ્યા છે. તેઓ સાર્થવાહને કહે છે કે, અમારે પણ તારા સાર્થમાં જોડાવાની ભાવના છે. અમે પણ વસંતપુર નગર તરફ જવા ઈચ્છીએ છીએ, ત્યારે ઘના સાર્થવાહ કહે છે પ્રભો ! પધારો, પધારો, જરૂર પધારો. આપ તો ત્યાગી છો, મહાત્યાગી છો, આપ આવો તે મારે માટે વિશિષ્ટ આનંદનો વિષય છે. ત્યારે ધર્મઘોષમુનિ પોતાના આચાર સંભળાવે છે. અમને આવું ન ખપે વગેરે વાતો કરે છે ત્યારે તેને વિચાર આવે છે કે અહો ! કેવા સૂક્ષ્મ આચાર પાળી શકે છે? એમ સાંભળતાં અહોભાવ અંદરમાં પ્રગટે છે. પણ હૈયામાં દુર્ભાવ નથી થતો કે આવું શું ચૂંથ ચૂંથ કરે છે? અહીં જીવની ઉત્તમતા જણાઈ આવે છે, તેનો ગુણાનુરાગ પૂરવાર થાય છે. ઉત્તમ આચારો પ્રત્યે પ્રીતિ એ પણ પ્રશંસનીય છે. કારણકે તે પ્રીતિથી ઉત્તમ આચારો પ્રત્યે રૂચિ થાય છે અને પછી જીવનમાં સદાચારો પ્રગટી શકે છે. આ મહાત્માનું જીવન ગમ્યું ને સાથે આવવાની અનુજ્ઞા આપી. પછી યોગાનુયોગ પોતે કાર્યમાં વ્યસ્ત હોવાથી તેમની સાર સંભાળ લેવાનું બન્યું નહીં. તેમનું અસ્તિત્વ જ સ્મૃતિપથમાંથી નીકળી ગયું. ઘણા દિવસે પાછું યાદ આવતાં તેમની સાર સંભાળ લેતાં ભોજન માટે કહેતાં આચાર્ય ભગવંતાદિ વિનમ્રતાથી જણાવૈ છે કે આ ન ખપે પછી “ધી” જોયું. આ ખપશે? હા, જરૂર પધારો. ભાવથી ધી” વહોરાવ્યું અહોભાવ આવ્યો કે આવા ગુણીયલ સાધુઓ મારી ભૂલને ધ્યાનમાં પણ લેતાં નથી, અપ્રીતિ બતાવતા નથી. મારી ભૂલ પ્રત્યે દિશાસુચન પણ કરતાં નથી. ખરેખર વિશ્વાસથી લાવ્યા પછી તેમની સંભાળ મેં લીધી નથી. નીતિશાસ્ત્ર કહે છે કે આ પૃથ્વી હિમાલય અને આગ્સ જેવા પર્વતોથી ભારભૂત નથી. પણ તદની અને વિશ્વાસઘાતીથી ભારભૂત છે. હું મારી ફરજ ચુકયો. પણ ગુણી ગુણને જુએ છે. અવગુણી અવગુણને જુએ છે. મારે પણ ગુણદષ્ટિ કેળવવી જોઈએ સાધુઓ પ્રત્યે પરાકાષ્ઠાનો અહોભાવ જાગ્યો તેથી ગ્રન્થિભેદ થતાં તે સાર્થપતિ સમકિત પામે છે. ભાવશૌચ યમમાં નિવૃત્તિ છે, નિયમમાં પ્રવૃત્તિ છે. ભાવશૌચ મનને પવિત્ર કરે છે. સ્વચ્છ કરે છે. મનમાં જે વિકારો, દોષો, સંકલ્પ વિકલ્પ થાય છે. તે મનને બગાડે છે. તે મનમાંથી કલુષિતતા કાઢવાની છે. સ્વચ્છ-નિર્મળ અંતઃકરણ - તે જ મોક્ષમાર્ગ છે. મન બહુ જ ચંચળ છે. તેને નાથવું ભલભલા માટે કઠિન બની જાય છે. સાધુ માટે પણ કઠિન છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ ચારિત્રનું સુંદર પાલન કરે છે. તપ - ત્યાગ ઉચ્ચ કોટિનો છે. કાઉસ્સગ ધ્યાનમાં છે. આતાપના લઇ રહ્યા છે. પ્રભુ મહાવીરને વંદનાર્થે શ્રેણિક મહારાજા સપરિવાર જઈ રહ્યા છે. તે વખતે સૈનિકના વચનો સાંભળીને પ્રસન્નચંદ્ર રાજર્ષિ યુદ્ધના વિચારે ચઢી ગયા. બહારથી વેષ ચારિત્રનો છે. પણ હું સાધુ છું. તે વાત ભૂલાઈ ગઈ. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy