SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૭ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ એ આત્મા કઈ શાતાદનીય ન બાંધે? એ આત્મા મરીને દેવલોકમાં જાય તેમાં નવાઈ શું? (૧) જીવનમાં નિમ્પ્રયોજન પાપોનો ત્યાગ, (૨) જરૂરી પાપોમાં પણ વિવેક અને (૩) જે કરે તેમાં પણ અકરણીયતાનો ખ્યાલ. આ ત્રણે અત્યંત જરૂરી છે. જૈન કુલમાં જન્મ્યા હોવા છતાં વાસ્તવિક ધર્મ પામ્યા નથી. યોગદષ્ટિ સુકોમળ હૃદયને પેદા કરે છે. જીવ-અજીવ, પાપ, પુણ્ય વિ.નું સ્વરૂપ સમજો. આત્માનું સ્વરૂપ સમજો. તેમાં જે પ્રવૃત્તિ આત્માને ખરાબ કરનાર છે. તેમાં હેયત્વની શ્રદ્ધાપૂર્વક અંતઃકરણ તૈયાર બનાવો. પહેલાં તો તેવી પ્રવૃત્તિ કરો જ નહીં, અને કરવી પડે તો કાયાથી ભળો પણ અંતઃકરણથી તેમાં ન ભળો. પ્રવૃત્તિ કરતાં અહીં જીવ છે કે નહીં? એટલું જ નહીં પણ અહીં જીવની સંભાવના છે કે નહીં ? સાધુ તે જાણ્યા પછી પ્રવૃત્તિ કરે, સાધુને પુંજીને જ બારણું બંધ કરવાનું. જીવ ન હોય તો પણ કેમ પુંજવાનું? એક તો જીવની સંભાવના છે માટે પુજવાનું અને બીજું કારણ પુંજયા વિના કરવાથી હૈયું કઠોર બને છે, માટે કોઈ પણ સંયોગોમાં હૈયું કઠોર ન બનાવાય. કાકડીની કચુંબર વાપરવાનો સાધુ માટે નિષેધ કર્યો છે. માનો કે કચુંબર અચિત્ત છે. સચિત્ત નથી. પણ છતાં નિષેધ કેમ? એ ખાતાં હું કાચું ખાઈ રહ્યો છું” એ જે પરિણામ છે, તે નિર્બસ પરિણામ છે. આ ચારિત્રજીવનના આચાર જુઓ તો ખરા !! આ આચારો તમને ગમવા જોઇએ. કાચું ખાવાથી નિર્ધ્વસતાના, કઠોરતાના પરિણામ આવે છે. જુઓ ! બાફેલું અનાજ પહેલા નંબરમાં છે. આરોગ્યમાં શ્રેષ્ઠ છે. પચવામાં પહેલે નંબરે છે. રાંધેલું અનાજ બીજા નંબરમાં છે. શેકેલું અનાજ ત્રીજા નંબરે છે. તળેલું અનાજ ચોથા નંબરે છે. તળેલું ખાવાથી પાચન શકિત નબળી પડે છે. આંબિલનો ખોરાક સર્વશ્રેષ્ઠ છે. આપણે આચારો સંપૂર્ણપણે પાળી ન શકીએ એ જુદી વાત છે. પણ એ સાંભળતા સાંભળતા અહોભાવ જાગે છે? આદર હોવો તો જરૂરી જ છે. તમને સાધુના આચાર સાંભળતાં આનંદ આવે છે? જગતનો એવો એક સંન્યાસી લાવો જે (કાચા) પાણીનો ઉપયોગ ન કરતો હોય, જે અગ્નિ સળગાવતો ન હોય, જે વનસ્પતિને અડતો પણ ન હોય. સમ્યગુ આચારપાલન બીજામાં ધર્મ પ્રગટ કરે છે ધના સાર્થવાહ (ઋષભદેવ ભગવાનનો જીવ) ક્ષિતિપ્રતિઠિત નગરથી વસંતપુર નગર કમાવા માટે જતાં હતાં ત્યાં તેમને એક વિચાર આવ્યો. મારી પાસે અઢળક સંપત્તિ છે. બધી રીતે હું પૂર્ણ છું , બધી રીતે સુખી છું. છતાં મને કમાવાનો લોભ સતાવે છે તો પછી જેની પાસે સંપત્તિ જ નથી, તેઓનું શું થતું હશે ?તેઓ શું કરશે ? માટે ઢંઢેરો પીટાવે છે. જેને વસંતપુર તરફ આવવું હોય તે બધા મારી સાથે આવો. તે બધાનું હું રક્ષણ કરીશ, ધન ન હોય તો ધન આપીશ. જેની પાસે જે ન હોય તે હું આપીશ. બધી જવાબદારી મારી, બધી સગવડતાઓ આપીશ, ઘણા મોટા સાથે સાથે તે જાય છે. સાર્થવાહના હૃદયની આ વિશાળતા છે. પુણ્યબંધનું કારણ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy