SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શાસનની અદ્દભૂત આચારસંહિતા ૧૮દ છે. ખાલી અરિસામાં જ નહીં, પણ પાણીમાં પણ મોટું ન જોવાય. અરિસામાં મોટું જોવાથી દેહનો રાગ જાલીમ પોષાય છે. આ બધી બેનો મોટા મોટા અરિસા રાખે છે. આરિસામાં મોટું જોયા કરે, બહુ ટાપટીપ કરે, સ્વચ્છ કરે તેને ભવાંતરમાં, ઉદર, બિલાડી, ગાય ભેંસ વિ.ના એવા ભવ મળશે. કે ત્યાં શરીરને સ્વચ્છ નહીં કરી શકાય. શ્રાવકને પૂજા માટે સ્નાન કરવાનું કહ્યું છે ત્યાં ઓછામાં ઓછા પાણીથી શૌચ કરવાનું કહ્યું છે. સાધુને પણ અંડિલભૂમિ ગયા પછી આવીને પગ ન બગડ્યા હોય તો શૌચ કરવાનું નથી પણ સામે બ્રાહ્મણાદિ બેઠા હોય તો તે અધર્મ ન પામે માટે પગ ઘૂવે અને કયારેક છબછબીયા કરીને પણ ધોવે અને પાછું પાણી સૂકાઈ જાય તેવી રીતે કરે. આવું વિધાન જૈન શાસન સિવાય કયાંય નહીં મળે કારણ કે પાણીનાં ટીપામાં પણ અસંખ્ય જીવો જૈન શાસને બતાવ્યા છે. જે છાશવારે ને છાશવારે પૃથ્વી આદિની વિરાધના કરે છે. તેને આ જીવોનો ખ્યાલ આવી જાય ને શ્રદ્ધા આવી જાય તો જીવ દૃષ્ટિમાં આવી જાય છે. જૈન કુળમાં પણ આજે આ શ્રદ્ધા જોવામાં આવતી નથી. આ શ્રદ્ધા આવી જાય તો જ અહીં અંતઃકરણની શુદ્ધિ થાય છે. આપણા તરફથી એકેન્દ્રિયાદિ જીવોને સતત ભય હોય છે. જેમ જીવને બળ ઘટતું જાય તેમ તેમ ભય વધતો જાય છે. જેમકે પુરૂષોને ભય ઓછો હોય, પુરૂષો કરતાં સ્ત્રીઓને ભય વધારે. તમારા કરતાં તમારી સ્ત્રીને ભય વધારે એના કરતાં બાળકને ભય વધારે, કેમ ? અસમર્થ છે. જેમ જેમ અસમર્થ હોય તેમ તેમ ભય વધારે. એમ એકેન્દ્રિયાદિ જીવો અસમર્થ છે. કાચા પાણીની ડોલને અડવામાં પણ પાપ છે. વનસ્પતિનો સંઘટ્ટો કરવાની આપણે ત્યાં ના કહી છે. એને અડવામાં એ જીવોને ભય (ત્રાસ) લાગે છે. મને મારી નાંખશે એવી અવ્યકત ભય સંજ્ઞા તેઓને ત્યાં સતત હોય છે. જૈન શાસનની અભૂત આચારસંહિતા નાનામાં નાના જીવને પણ કિલામણા ન થાય તેવો સુંદર આચારપાલનનો માર્ગ બતાવનાર જૈન દર્શન, સર્વ દર્શનોમાં શિરમોર છે. આચાર માર્ગમાં જૈન શાસન શિખર ઉપર છે. સર્વથા નિષ્પાપ જીવન અહીં ચારિત્રમાં શકય છે. એક જીવ પ્રત્યે પણ મન-વચન-કાયાથી લેશમાત્ર પણ હિંસાનો ભાવ પેદા થયો ત્યારથી ભાવ હિંસા ચાલુ થાય છે. અમારે સાધુને દરેક ક્રિયામાં ઇરિયાવહિયા શા માટે ? બહાર જાય, સ્પંડિલ જઈને આવે, દહેરાસર દર્શન કરીને આવે તો ઇરિયાવહિયા કરો. કારણ કે મારા દેહના અર્થે, મારા સ્વાર્થના અર્થે, મેં જે કાંઇ પ્રવૃત્તિ કરી તેમાં જે કાંઈ નાના નાના જીવોને કિલામણા કરી હોય તેનું પ્રાયશ્ચિત કરે છે. આ છે જૈન શાસનનો મૈત્રીભાવ! નાનામાં નાના નિગોદના જીવોથી માંડીને પંચેન્દ્રિય જીવો સુધી સર્વજીવો પ્રત્યે મૈત્રીભાવ કરવાનો છે. જીવો પ્રત્યે આવા મૈયાદિભાવવાળો એ આત્મા કયું પુણ્ય ન બાંધે ? ' Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy