SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ મેં ચકચૂર પાપો કર્યા, મારી બધી શક્તિ હોમી દીધી, એ બધાએ ભેગા થઈને મને રાગાદિના ઝેર જ પાયા છે. જેને મારા માન્યા તેમણે મને આ ચીજ પાઈ છે. આવો ખ્યાલ યોગની દૃષ્ટિમાં આવે છે. સંસારમાં જેને તમે તમારા માનો છો એ તમારાં કહેવાતા સ્વજનાદિ રાગાદિનું ઝેર પાવા સિવાય બીજું કાંઈ કરતાં નથી. એવી શ્રદ્ધા છે તમને ? યોગની દૃષ્ટિનું માહાત્મ સમજાયું છે ? હિંસા છે પણ દષ્ટિનો બોધ છે. પેલામાં અહિંસા છે. પણ યોગની દષ્ટિ નથી. અહીં હિંસા છે પણ અંતઃકરણની શુદ્ધિની આંશિક શરૂઆત થાય છે. જ્યાં સુધી હેય, હેયરૂપે ન લાગે ત્યાં સુધી ધર્મની મજા ન આવે. હિંસા કરે છે તેને કર્મબંધ થશે. પણ અંતઃકરણ શુદ્ધ છે. તો તે પછી અહિંસામાં આગળ વધવાનો છે. સંસાર ગતિ છે, ચક્રાવો છે, જેમ જેમ દષ્ટિ સુધરે તેમ તેમ ચક્રાવો ઘટે છે. આ બીજી દૃષ્ટિમાં નિયમ આવે છે. પહેલાં યમમાં નિવૃત્તિ હતી કે હિંસા ન કરવી, જૂઠ ન બોલવું, ચોરી ન કરવી, એ રૂપ ફકત નિવૃત્તિ જ હતી. એની સામે અહીં પ્રવૃત્તિ રૂપે નિયમનું પાલન મૂકે છે, ઈચ્છા નિયમ, પ્રવૃત્તિ નિયમ, ધૈર્ય નિયમ, સિદ્ધિ નિયમ. ધૈર્ય, સિદ્ધિ આગળ આવનારી ચીજ છે. અહીં શૌચ વિગેરે નિયમો હોય છે. શૌચ બે પ્રકારે છે. (૧) દ્રવ્ય શૌચ : કાયાને સ્વચ્છ કરે, કાયાને ચોકખી કરે, દેહની મલિનતા દૂર કરે, (૨) ભાવ શૌચ : જે મનને સ્વચ્છ કરે તે ભાવ શૌચ. જેનાથી આત્મા સ્વચ્છ બને, નિર્મળ બને. જૈન શાસન દેહના શૌચ ઉપર બહુભાર નથી મૂકતું. કારણકે દ્રવ્ય શૌચ છે. જેમ કે એક ઘડો હોય તે ઘણા લાંબા દિવસોથી લસણથી વાસિત થયેલો છે. તેમાંથી સુવાસ પ્રગટવી એ બહુ કઠિન છે. તેમ અનાદિકાળથી દેહ અશુચિમય તત્ત્વોથી ભરેલો છે. એવા દેહને સારો રાખવો, સારો રાખવા પ્રયત્ન કરવો તે ઘડામાંથી લસણની વાસ કાઢીને સુવાસિત કરવા જેવું છે. દેહને જેટલો સ્વચ્છ કરવા જઇએ તેમ તેમ તેનો રાગ વધે છે. દેહમાં હું પણાની બુદ્ધિ નીકળી જાય તો દેહ સારો રહે કે ખરાબ રહે, તેમાં આપણને શું નુકશાન ? ખોટા રૂપીયાની નોટો ખીસામાંથી પડી જાય કે ખીસું કપાય જાય તો બહુ દુઃખ થાય છે? કે હાય! મેં ઘણું ગુમાવ્યું એવું લાગે છે? ના. પણ જયાં ખોટામાં સાચાપણાની બુદ્ધિ છે, માટે દુઃખ થાય છે. દેહ એ ખોટું તત્ત્વ છે, દેહથી આત્મા ભિન્ન છે એ જાય તો શું નુકશાન થાય? આ વાત બરાબર બેસી જાય તો એ દેહને કંઈ થાય તો તમને શું નુકશાન છે? કશું જ નહીં. દેહથી ભિન્ન, સ્વજનાદિથી ભિન્ન આત્માને વિચારો છો ? આચાર અને ભાવનાયોગ વિના ધર્મ બળવાન ન બને. આચાર એ ગ્લોબ છે, જ્ઞાન એ ફીટીંગ છે, ભાવના એ પાવરહાઉસ છે. વર્ષો સુધી ઘર્મ-ક્રિયા કરવાં છતાં આગળ જીવ વધતો કેમ નથી ? તેમાં ભાવનારૂપી પાવર નથી. માટે કિયા મુડદાલ થાય છે. ચૈતન્યવંતી બનતી નથી. શ્રાવકોને દ્રવ્યશૌચ છે. સાધુને તો નથી જ, જેમ જેમ પાણીથી સ્વચ્છ કરતાં જઈએ તેમ તેમ રાગ વધે છે. અરિસામાં સાધુ મોઢું જોવે તો આયંબિલનું પ્રાયશ્ચિત Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy