SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ તારા દૃષ્ટિની મનોભૂમિકા ધર્મ જે થાય તે સંશાથી થાય છે. કુલાચારથી થાય છે. જૈન કુળમાં જન્મી ગયા છીએ માટે પૂજા, સામાયિક કરો છો, તમે કદાચ મુસલમાનને ત્યાં જન્મ્યા હોત તો રોજા કરત. ઓદૃષ્ટિમાં જીવને આદ૨-બહુમાન પૂર્વકનો ધર્મ નથી આવતો. મળેલી ચીજ અપૂર્વ છે. એના ઉપર આદર-બહુમાન થાય તો યોગદૃષ્ટિ આવે. પહેલી દૃષ્ટિમાં યમ હતો. ત્યાં બોધ મંદ હતો. ત્યાં અહિંસા ગમતી હતી, એટલું જ છે. બીજી દૃષ્ટિમાં તેની રુચિ કંઈક બળવાન બને છે. અહિં નિયમ પ્રાપ્ત થાય છે. મનનું નિયમન કરે, મનનો સંકોચ કરે, મનને કાબુમાં રાખે, તેનું નામ નિયમ છે. નિયમ:--શૌચ-સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વરપ્રણિધાન રૂપ નિયમો અહીં યોગના અંગ રૂપે પ્રાપ્ત થાય છે. અહિંસા પ્રત્યે કંઈક ગમો હિંસા પ્રત્યે કંઈક અણગમો પહેલી દૃષ્ટિમાં હતો. ત્યાં હિંસા કરે છે, ત્યાં જૂઠ કરે છે, પણ દૃષ્ટિમાં આવ્યો એટલે તે પહેલાં હિંસાદિ રાચી-માચીને કરતો હતો, ત્યાં અહિંસાદિ ગમતાં ન હતાં, હવે એને અહિંસાદિ ગમે છે, એક જીવ કે જેને અહિંસા ગમે છે અને હિંસા કરે છે, બીજો જીવ કે જેને અહિંસા નથી ગમતી અને હિંસા કરે છે. આ બેમાં ફેર છે ! બંનેની પ્રવૃત્તિ સમાન દેખાતી હોવા છતાં વૃત્તિની ભિન્નતાના કારણે વલણમાં ફેર છે માટે કર્મબંધમાં પણ ફેર પડે છે. ૧૮૪ ઓઘદૃષ્ટિમાં જીવને જોઈએ તે-ખાન-પાન-માન-સન્માન વિગે૨ે જો તે હિંસાદિથી મળે તો તે રીતે કરવા લાગી જાય. પણ મનગમતું જોઈએ છે એ જ વાત છે અને જો અહિંસાદિથી એ ચીજો મળે તો પણ અપનાવે. જે ચીજ જોઈએ છે તે કઈ રીતે મળે તે જ વાત હતી. પાંચ-પચીસ વર્ષનું ચારિત્ર પાળવાથી આટલું બધું સુખ મળે તો ખોટું શું ? લેવામાં વાંધો શું ? સંયમના કષ્ટો થોડા કાળના અને સંસારના સુખો અસંખ્ય કાળના મળે છે. આ જ ગણિતથી ઓઘદૃષ્ટિમાં ચારેક ચારિત્ર પણ પાળ્યું. જેમ સંસારમાં તમે કોઈ ચીજ લેવા જાવ. તો આ ચીજ સારી છે, અહીં સસ્તી મળે છે, જ્યાંથી મળે ત્યાંથી પણ સસ્તી ને સારી મળે છે તો લઈ લ્યો. આવું ગણિત તમારૂં છે તેમ ઓઘદૃષ્ટિમાં પણ તેવું ગણિત હોય છે. એજ અહિંસા ત્યાં ગમી હતી તે આત્મસુખના લક્ષ્ય નહીં પણ સંસારના સુખના લક્ષ્ય હતી. ઓઘદૃષ્ટિવાળો અહિંસાનું પાલન કરે છે પણ તેની પાસે દૃષ્ટિ જ નથી. અને પહેલી દૃષ્ટિવાળો જીવ હિંસા કરે છે છતાં તેની પાસે દૃષ્ટિ છે. એટલે અહિંયા એનુ અંતઃકરણ બદલાયું છે. દૃષ્ટિમાં પરિવર્તન આવ્યું છે, હૃદય સુધર્યું છે, અંતઃકરણ એ જ આત્મા છે કારણ સુખ, દુઃખની અનુભૂતિ અંતઃકરણમાં થાય છે. અંતઃકરણને જ સુધારવાનું છે. અધિકરણ એટલે જેના દ્વારા આત્મા દુર્ગતિમાં જાય છે તે છરી, ચપ્પુ, કાતર, શસ્ત્રો વિગેરે. અત્યાર સુધી જે જે પત્ની-પુત્ર-પરિવાર વિગેરે સંસારમાં જેના ખાતર Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy