SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ કષાય અંદરમાં પડેલા છે. એ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયથી હૃદય કઠોર બનેલું હોય છે. કઠોર હૃદય પાત્ર બની શકતું નથી. તેમાં ગુણો ઝીલી શકાતા નથી. જગતમાં પાત્રતાની ખૂબ કિંમત છે. જેમ સિંહણનું દૂધ છે, પણ તે માટે સુવર્ણપાત્ર જ જોઈએ. જે માણસને સિંહણનું દૂધ જોઈએ છે પણ તેની પાસે સુવર્ણપાત્ર ન હોય તો તે પ્રાપ્ત કરી શકતો નથી. એમ જિનવચનનો બોધ મળવા છતાં પાત્રતા આત્માએ મેળવી નથી તો વિકાસ શક્ય નથી. ચરમાવર્તમાં આવે છે ત્યારે કંઈક પાત્રતા આવે છે. અંતઃકરણને શુદ્ધ બનાવીએ તેમ પાત્રતા વધતી જાય છે. પાત્રતાના વિકાસ ઉપર મોક્ષમાર્ગ ચાલ્યો જાય છે .પહેલી કરતાં બીજી દૃષ્ટિમાં પાત્રતા વધે છે. હિંસાદિનું સ્વરૂપ સાંભળતાં, વર્ણન સાંભળતાં અંદરમાં આંચકો લાગે છે કે આ હિંસાદિ પરિણતિ જો આત્માને મલિન કરતી હોય તો મારે જીવનમાં હિંસાદિ ન જોઈએ. ઓઘદૃષ્ટિ કરતાં યોગદૃષ્ટિમાં એટલો જ ફરક છે કે પહેલા-ઓઘદૃષ્ટિમાં અંતઃકરણ તૈયાર ન હતું. ત્યાં હેય-ઉપાદેયનો વિભાગ જીવ નહોતો કરી શકતો. હેયનો હેય રૂપે અને ઉપાદેયનો ઉપાદેય રૂપે બોધ ન થવાથી યથાર્થ શ્રદ્ધાન, યથાર્થ રૂચિ કયાંથી આવે ? હેયતત્ત્વ અંશે પણ હેય લાગવું જોઈએ. ઉપાદેય તત્ત્વ અંશે પણ ઉપાદેય લાગવું જોઈએ. આ રીતે અંતઃકરણ તૈયાર થાય તો યોગદષ્ટિનો બોધ થયો કહેવાય. હેયતત્ત્વ જેટલા અંશે જેટલું જેટલું હેય લાગે તેટલા અંશે પાત્રતા તૈયાર થઈ કહેવાય. ઉપાદેયતત્ત્વ જેટલું જેટલું ઉપાદેય લાગે તેટલા અંશે પાત્રતા તૈયાર થઈ કહેવાય. હિંસા ન ગમે, અહિંસા ગમે, અસત્ય ન ગમે, સત્ય ગમે. આ રુચિ એ જ પહેલો તબક્કો છે. સારું ને ખોટું એ જ્ઞાન વિના ન જાણી શકાય. જ્ઞાન એ ટોર્ચ લાઈટ છે. જ્ઞાન પ્રકાશરૂપ છે. જ્યારે જ્ઞાન ઉપર તીવ્ર પડલો હોય ત્યારે આત્માના વિષયમાં કશું જ જાણવા મળતું નથી. એકેન્દ્રિયાદિમાં, વિકલેન્દ્રિયાદિમાં જીવ પાસે વસ્તુતત્ત્વને ઓળખી શકે તેવો જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ નથી. જ્યારે આપણી પાસે આજે વસ્તુતત્ત્વને ઓળખી શકે તેવો જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ છે. વસ્તુતત્ત્વને ઓળખી શકીએ છીએ. છતાં યોગદૃષ્ટિમાં કેમ વિકાસ થતો નથી ? અંદરમાં પડેલા દર્શનમોહનીય, અંદરમાં પડેલા અનંતાનુબંધી એ અસત્ પદાર્થની જ રૂચિ કરાવે છે. જેટલી અસત્ પદાર્થની રૂચિ બળવાન તેટલી સત્ પદાર્થની રુચિ થઈ શકતી નથી. સત્ પદાર્થની ઐચ ન થાય, સતુ પદાર્થનો સ્વીકાર ન થાય. તો યોગદષ્ટિ કેવી રીતે આવી શકે ? નિગોદમાં જીવ છે , એકેન્દ્રિયાદિમાં જીવ છે, તેના ઉપર શ્રદ્ધા ન હોવાના કારણે જીવ વિષયોમાં ચકચૂર બને છે. લખલૂંટ કમાણી કરવા માટે નવા નવા કારખાનાઓ ચલાવે છે. જેમાં અસંખ્ય, અનંત જીવોના કચ્ચરઘાણ થાય છે. આવી પ્રવૃત્તિ કરનારા જીવ પછી ધર્મના સ્થાનોમાં આવે તો ત્યાં તેની ધર્મપ્રવૃત્તિ શું યોગદૃષ્ટિની છે? અનાદિકાળથી અસત્ પ્રવૃત્તિમાં ઉપયોગ પકડાયેલો રહે છે પછી - - Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy