SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ તારા દૃષ્ટિની મનોભૂમિકા ૧૮૨ ન જડે એવી સ્થિતિ સર્જાઈ છે બાર મહિનામાં તપ પણ કેવો? ઉપવાસ ઉપર ઉપવાસ. ધ્યાનમાં જ રહ્યા. અંદરમાંથી શુદ્ધિ થતી આવે છે. કોઈપણ એક સ્ટેજને પકડશો તો શુદ્ધિ આવશે. પણ સઘળાં સ્ટેજને પકડશો તો વિશુદ્ધિ પ્રાપ્ત થશે. આટલી શુદ્ધિ થવા છતાં આ રીતે કેવળજ્ઞાન ન મળે એ ઉપયોગ એમને નથી આવતો. ઘરમાં રહીને સમ્યકત્વ મેળવવું છે ? તો આ ઘર આશ્રવનું સ્થાન છે. આશ્રવ સિવાય કંઈ જ નથી. એવું સતત લાગવું જોઈએ. જેને આશ્રવનો આશ્રવ રૂપે સ્વીકાર નથી તેને ઘરમાં સમ્યકત્વ થાય? તમને સંસારની પ્રત્યેક ચીજો આશ્રવ છે એમ લાગે છે ? બાહુબલીને ૧૨ મહિને એવી સ્થિતિ સર્જાઈ ગઈ છે પછી ભગવાને બે બેનોને બ્રાહ્મી-સુંદરીને મોકલી છે. ટકોરની જ જરૂર હતી. પ્રણિધાન ફર્યું. વિપરીત પ્રણિધાન ગયું એની સાથે કેવળજ્ઞાન થાય છે. ખોટા સંકલ્પ, ખોટા પ્રણિધાને શું કામ કર્યું તે જોયું ને ? તો શું આ બાર મહિનાની ક્રિયાએ કાંઈ ન કર્યું ? ના એવું નથી એ ક્રિયા વાંઝણી નથી. એ કર્મની લઘુતા કરાવવા સમર્થ બની છે. માટે જ પ્રણિધાન ફરતાં શીઘ કાર્યસિદ્ધિ (કેવળજ્ઞાન) થઈ. સ્યાદ્વાદદષ્ટિથી પદાર્થનું મૂલ્યાંકન કરવાથી વિવેકની પ્રાપ્તિ થાય છે. તારા દષ્ટિની મનોભૂમિકા तारायां तु मनाक् स्पष्टं, नियमश्च तथाविधः । अनुद्वेगो हितारम्भे, जिज्ञासा तत्त्वगोचरा || ४१ ॥ જીવ યોગની પહેલી દૃષ્ટિમાં કેટલો બધો વિકાસ પામે છે તે સમજવા જેવું છે. જીવો અનંતકાળથી સતત સંકલેશો કરી અશુભકર્મનો બંધ કરી રખડપટ્ટી કરી રહ્યા છે. તેમાંથી બહાર નીકળી આ યોગની દૃષ્ટિ પામી ને આગળ આગળની દૃષ્ટિઓને પામીને મોક્ષને પ્રાપ્ત કરે છે. આ બીજી તારા દૃષ્ટિ છે. સમ્યગુશ્રદ્ધાયુક્ત જે બોધ તે દૃષ્ટિ છે એમ પહેલાં કહ્યું છે. આ દૃષ્ટિમાં પહેલી કરતાં વિશેષ શ્રદ્ધાવાળો બોધ થાય છે. અહીં આત્મા તરફ કંઈક વિશેષ વલણવાળો બોધ હોય છે. અત્યાર સુધી વિષય- પ્રતિભાસ બોધ હતો, ફક્ત જાણકારી હોય પણ એની સાથે કંઈ લાગે-વળગે નહીં. ઓઘદૃષ્ટિના ઘોર અંધકારમાં હતો. હિંસાદિ જાણે પણ હિંસાદિ પ્રત્યે અણગમો, ધૃણા, જુગુપ્સા લેશમાત્ર ન હતું, તેમ અહિંસાદિ જયા પછી લેશ માત્ર તે ગમે નહીં તો તેવા કોરા જ્ઞાનને શું કરવાનું? જૈન શાસન કહે છે. અંતઃકરણ ભેદાવું જોઈએ, અંત:કરણ ભીજાવું જોઈએ તે ન થયું. અંતઃકરણ ન ભીંજાય અને બહારથી બધું જ થયા કરે a n-il gi Value ? પાણીનો નળ ખુલ્લો મૂકે, પણ ડોલ જ ઊંઘી મૂકેલી હોય, તે માણસ ક્યારેય પાણીને પામી શકતો નથી. કેમ? પાત્ર ઊંધુ છે. અહીં મિથ્યાત્વ અને અનંતાનુબંધી Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy